Sardar Gurjari

સોમવાર, તા. ૧૯ મે, ૨૦૨૫, વૈશાખ વદ ૬, વિ.સં. ૨૦૮૧, વર્ષ -૨૪, અંક -૩૨૯

મુખ્ય સમાચાર :

આણંદ જિલ્લામાં કલીનીકલ એસ્ટાબ્લીશમેન્ટ એકટના ૭ માસ બાદ પણ માત્ર ૧૦૭૮ થયેલ અરજી, ૧૦ર૪ મંજૂર

19/05/2025 00:05 AM

કલીનીકલ એસ્ટાબ્લીશમેન્ટ એકટ લાગુ કર્યાના સાત માસ બાદ પણ આણંદ જિલ્લામાં મોટાભાગની ખાનગી કલીનીક, દવાખાના, હોસ્પિટલો, બ્લડ બેંક અને લેબોરેટરી દ્વારા નિયમોનુસારની ઓનલાઇન નોંધણી કરવામાં વિલંબતા દાખવી રહ્યા છે. તાજેતરમાં જિલ્લાકક્ષાની યોજાયેલ કલીનીકલ એકટ અંગેની બેઠકમાં અત્યાર સુધીમાં ઓનલાઇન માત્ર ૧૦૭૮ અરજીઓ થયાનું અને તેમાંથી નિયમોનુસાર ૧૦ર૪ મંજૂર કરવામાં આવ્યાનું જાણવા મળે છે. જયારે...

અંતે ઉમરેઠથી ઓડ તરફેના ત્રિમાર્ગીય રસ્તાનું કરાયું ડામરકામ

19/05/2025 00:05 AM

નડિયાદ-ડાકોર ચાર માર્ગીય હાઇવેની કામગીરી દરમ્યાન ઉમરેઠ નજીક કેટલાક સમયથી ઓડ ચોકડી હાઇવેની કામગીરીમાં રોડની બાજુમાં કપચી-મેન્ટલના પથ્થરોના ઢગલા કરાયા હતા.જેના કારણે છેલ્લા બે માસમાં ખાસ કરીને ટુ વ્હીલરો સ્લીપ ખાઇ ગયાના, અકસ્માતના બનાવો બની રહ્યા છે. દરમ્યાન આણંદ માર્ગ-મકાન વિભાગના કા.ઇજનેર જીગર પટેલે જણાવ્યું હતું કે, ઉમરેઠથી ઓડ તરફ જતો જંકશન ત્રિમાર્ગીય રસ્તો છે. જેને કામચલાઉ ...

ખંભાત : ૧.૯૦ લાખના ચેક રીર્ટન કેસમાં મહિલાને ૧ વર્ષની કેદની સજા

19/05/2025 00:05 AM

ખંભાત શહેરના આંબાખાડ વિસ્તારમાં આવેલા સલમાનપાર્કમાં રહેતી એક મહિલાને ૧.૯૦ લાખના ચેક રીર્ટન કેસમાં અદાલતે તકશીરવાર ઠેરવીને એક વર્ષની સાદી કેદની સજા તેમજ દશ હજાર રૂપિયાનો દંડ ફટકારતી સજા સંભળાવી હતી....

આણંદ : બ્રેનડેડના અંગદાન થકી જીવન જીવવા લાચાર બનેલ દર્દીઓને મળતું ‘નવજીવન’

17/05/2025 00:05 AM

અકસ્માતમાં કોઇ અંગ ગૂમાવવા બદલ કે બિમારીના કારણે કોઇ અંગ કામ કરતું બંધ થઇ જવાના કારણે દર્દી લાચાર સ્થિતિમાં મૂકાઇ જતો હોય છે. આવા દર્દીને જીવન જીવવાની અભિલાષા હોય છે પરંતુ શરીરનું અંગ જ કામ કરતું ન હોવાના કારણે હતાશાની ગર્તામાં ધકેલાઇ જતો હોય છે. જેની સાથોસાથ તેનો પરિવાર પણ પારાવાર પરેશાનીભરી સ્થિતિ અનુભવતો હોય છે. જો કે છેલ્લા કેટલાક વર્ષોથી અંગદાન પ્રત્યે વધતી જાગૃતતાના કારણે...

આણંદ મનપામાં સમાવેશ થયાને ૪ માસ ઉપરાંતનો સમય છતાંયે ૪ ગામોના રહિશોને વેરો કયાં ભરવોની ‘વિમાસણ’ !

17/05/2025 00:05 AM

આણંદ મનપા જાહેર કરવા સાથે તેમાં ૪ ગામોનો સમાવેશ કરાતા મનપાનો વ્યાપ-વિસ્તાર વધ્યો છે. પરંતુ તેમાં સમાવિષ્ટ વિસ્તારો પેકી ગ્રામ્યના નગરજનોને જરુરી સુવિધા તેમજ વેરા ભરવા માટેની સુગમતા માટે અગાઉથી સરકાર દ્વારા પણ કોઇ ગાઇડલાઇન હાથ ધરવામાં આવી નહતી. જેના કારણે અગાઉ ગ્રામ પંચાયતમાં જ દર વર્ષ વેરો ભરતા ગ્રામજનોને હવે વેરો ભરવા માટે ગડમથલભરી સ્થિતિમાંથી પસાર થવું પડી રહ્યાનું જાણવા મળે ...

નડિયાદમાં રોગચાળાનો કહેર : ઝાડા-ઉલ્ટીના વધુ પ૦ કેસ નોંધાયા

17/05/2025 00:05 AM

નડિયાદ શહેરમાં અમદાવાદી દરવાજા બહાર શાંતિ ફળિયામાંથી કોલેરા રોગચાળાનો એક કેસ મળી આવ્યો હતો.જેના પગલે નડિયાદ મહાનગરપાલિકાનુ આરોગ્ય તંત્ર દોડતું થયું હતું અને શાંતિ ફળિયાના બે કિલોમીટર ત્રિજ્યામાં આવેલ વિસ્તારને તંત્ર દ્વારા કોલેરા ગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો હતો. દરમિયાન અસરગ્રસ્ત વિસ્તારમાંથી આજે વધુ ૫૦ જેટલા કેસો ઝાડા ઉલટીના મળી આવ્યા હોવાનું જાણવા મળ્યું છે....

આણંદ જિલ્લામાં ચોથા વર્ષ ડેન્ગ્યુ પોઝિટિવ કેસોમાં નોંધાયો ઘટાડો

17/05/2025 00:05 AM

ડેન્ગ્યુ એડીસ મચ્છર કરડવાથી,વાયરસથી થતો રોગ હોવા સાથે તે ડેનુ ૧, ડેનુ ર, ડેનુ ૩ અથવા ડેનુ ૪ આ ચાર પૈકી કોઇપણ એક વાયરસનો ચેપ લાગવાથી થતો હોય છે. મચ્છરજન્ય આ રોગમાં માત્ર માદા મચ્છર જ માણસને કરડે છે. મચ્છર ચેપ ધરાવતા વ્યકિતને કરડયા બાદ લગભગ સાતેક દિવસ બાદ ચેપી બને છે અને અન્ય માણસોમાં વાયરસ ફેલાવે છે. જો કે એકવાર ચેપી બન્યા બાદ મચ્છર જીવનભર ચેપી રહે છે અને આ ચેપ પોતાના ઇંડામાં પણ...

પેટલાદ : ગર્ભ પરીક્ષણ મામલે ઇશિતા હોસ્પિટલનું સોનોગ્રાફી મશીન સીલ

17/05/2025 00:05 AM

ગર્ભનું પરીક્ષણ કરવું એ ગૂનો હોવા અંગે હોસ્પિટલો, લેબોરેટરી સહિતના સંબંધિત સ્થળોએ સૂચના પત્રો લગાવવા સાથે પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે. પરંતુ છાનાછપને ગર્ભ પરીક્ષણ થતા હોવાની બાબત પણ અવારનવાર ઉજાગર થતી હોય છે....

આણંદ જિલ્લાની વ્યાજબી ભાવની પ દુકાનોમાં ક્ષતિ જણાતા દુકાનદારો સામે શિક્ષાત્મક કાર્યવાહી

17/05/2025 00:05 AM

આણંદ જિલ્લામાં સરકારી વ્યાજબી ભાવની દુકાનોએ સમયસર જથ્થો ન મળવો, દુકાનો અનિયમિત ખુલવા સહિતની ફરિયાદો અવારનવાર થવા પામે છે. જો કે નિયમોનુસાર જિલ્લાની વાજબી ભાવની દુકાનોની વહીવટી તંત્ર દ્વારા દર માસે આકસ્મિક તપાસણી હાથ ધરવામાં આવતી હોય છે. તપાસ દરમ્યાન જથ્થામાં વઘઘટ સહિતની ક્ષતિ જોવા મળે તો દુકાનદારો સામે નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરીને શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવતી હોય છે. દરમ...

આણંદ : ૯ માસ અગાઉ કલેકટરની સૂચના છતાં ગોયા તળાવને સિમેન્ટ પાટીયાની દિવાલ બનાવી પણ દરવાજો ન મૂકયો

16/05/2025 00:05 AM

આણંદમાં નવા બસસ્ટેન્ડ સામે આવેલ ગોયા તળાવની ગત ર૪ ઓગસ્ટ,ર૦ર૪ના રોજ કલેકટર, આણંદે રુબરુ મુલાકાત લીધી હતી. તે સમયે કોઇ વ્યકિત કે પ્રાણી અજાણતાવશ ગોયા તળાવમાં ન ખાબકે તે માટે કમ્પાઉન્ડ વોલ બનાવીને દરવાજો મૂકવા, આ સ્થળેથી રોડા-માટીના ઢગલા હટાવવા પાલિકાને સૂચના આપી હતી. પરંતુ કલેકટરની સૂચનાનું પાલિકાએ પોતાની મનમરજી પ્રમાણે પાલન કર્યાની સ્થિતિ જોવા મળી રહી છે....

    

આણંદ જિલ્લામાં કલીનીકલ એસ્ટાબ્લીશમેન્ટ એકટના ૭ માસ બાદ પણ માત્ર ૧૦૭૮ થયેલ અરજી, ૧૦ર૪ મંજૂર

અંતે ઉમરેઠથી ઓડ તરફેના ત્રિમાર્ગીય રસ્તાનું કરાયું ડામરકામ

ખંભાત : ૧.૯૦ લાખના ચેક રીર્ટન કેસમાં મહિલાને ૧ વર્ષની કેદની સજા

આણંદ : બ્રેનડેડના અંગદાન થકી જીવન જીવવા લાચાર બનેલ દર્દીઓને મળતું ‘નવજીવન’

આણંદ મનપામાં સમાવેશ થયાને ૪ માસ ઉપરાંતનો સમય છતાંયે ૪ ગામોના રહિશોને વેરો કયાં ભરવોની ‘વિમાસણ’ !

નડિયાદમાં રોગચાળાનો કહેર : ઝાડા-ઉલ્ટીના વધુ પ૦ કેસ નોંધાયા

આણંદ જિલ્લામાં ચોથા વર્ષ ડેન્ગ્યુ પોઝિટિવ કેસોમાં નોંધાયો ઘટાડો

પેટલાદ : ગર્ભ પરીક્ષણ મામલે ઇશિતા હોસ્પિટલનું સોનોગ્રાફી મશીન સીલ