Sardar Gurjari

શનિવાર, તા. ૧૫ ફેબ્રુઆરી, ૨૦૨૫, મહા વદ ૩, વિ.સં. ૨૦૮૧, વર્ષ -૨૪, અંક -૨૩૭

મુખ્ય સમાચાર :

આણંદ : ૪ પાલિકાઓના કુલ ૬૧ પૈકીના ર૮ મતદાન મથકો સંવેદનશીલ

15/02/2025 00:02 AM

આણંદ જિલ્લામાં ઓડ, બોરીયાવી અને આંકલાવ નગરપાલિકાની સામાન્ય તેમજ ઉમરેઠ પાલિકાના વોર્ડ નં. ૪ની પેટા ચૂંટણીની સાથે ખંભાત તાલુકા પંચાયતની ઉંદેલ બેઠકની પણ પેટા ચૂંટણી તા. ૧૬ ફેબ્રુ.ર૦રપને રવિવારના રોજ યોજાનાર છે. જિલ્લા ચૂંટણી વિભાગ દ્વારા મતદાન સહિતની ચૂંટણીલક્ષી તમામ આયોજનોને આખરી ઓપ આપવાની પ્રકિયા હાથ ધરી છે. સાથોસાથ સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ મતદાન મથકોએ ચાંપતો પોલીસ બંદોબસ્ત, ...

ખંભાતની કાર્ડિયાક કેર સેન્ટરના PMJAY યોજનાના ૧૮ લાખના કલેઇમ નામંજૂર કરાયાનો ઉહાપોહ

15/02/2025 00:02 AM

સરકારની આયુષ્યમાન યોજનામાં થોડા સમય અગાઉ અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના મસમોટા કાંડનો મામલો બહાર આવ્યા બાદ સરકારે આ યોજનામાં જોડાયેલ હોસ્પિટલમાં થતી ઓપરેશન સહિતની બાબતો પર ખાસ ધ્યાન આપવા સાથે નવી ગાઇડલાઇન અમલી બનાવી છે. દરમ્યાન ખંભાતની કાડિર્યાક કેર સેન્ટરમાં આ યોજના હેઠળના મોકલાયેલ અંદાજે ૧૮ લાખના બીલો આરોગ્ય વિભાગ દ્વારા નામંજૂર કરાયાનો મામલો ટોક ઓફ ધી ટાઉન બન્યો હોવાનું જાણવા મ...

આણંદ જિલ્લામાં ધો.૧૦ અને ૧૨ની બોર્ડ પરીક્ષા તૈયારીને આખરી ઓપ અપાયો

15/02/2025 00:02 AM

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આગામી તારીખ ૨૭ મી ફેબ્્રુઆરીથી ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાાન પ્રવાહની પરીક્ષાઓ લેવામાં આવનાર છે. તે સંદર્ભે આણંદ જિલ્લા સ્થાયી પરીક્ષા સમિતિના અધ્યક્ષ અને કલેક્ટર પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ પરીક્ષાલક્ષી તૈયારીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે....

અંબાવ ઈટ ભઠ્ઠાના શ્રમિકોના બાળકોએ દિવેલાના બી ખાતા તબિયત લથડી

15/02/2025 00:02 AM

આંકલાવ તાલુકાના અંબાવ ગામના એક ઈટ ભઠ્ઠા ઉપર કામ કરતા શ્રમિકોના બાળકોએ દિવેલાના લીલા બી ખાઈ જતા ૬ બાળકોની તબિયત લથડી હતી. જેઓને ભઠ્ઠાના માલિકે આંકલાવની ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવતા ગત રાત્રે જ હોસ્પિટલમાંથી તમામ ૬ બાળકોને રજા આપી દેવાઈ હતી....

નિસરાયા : એપેક્ષ બ્રિકસના સંચાલકને લઘુત્તમ વેતન અધિનિયમના ભંગ બદલ રૂ.૬ હજાર દંડ

15/02/2025 00:02 AM

બોરસદ તાલુકાના નિસરાયામાં આવેલ એપેક્ષ બ્રિકસની સરકારી શ્રમ અધિકારી અને લઘુત્તમ વેતન અધિનિયમના નિરીક્ષકે ગત તા. ૧૧ નવે.ર૦ર૪ના રોજ મુલાકાત લીધી હતી. તે સમયે સંચાલક સોહેલખાન મુખ્ત્યારખાન પઠાણે છેલ્લા છ માસના હાજરી-પગાર પત્રક, ઓવર ટાઇમ રજીસ્ટર શ્રમ અધિકારીએ માંગવા છતાં રજૂ કર્યા ન હતા. ઉપરાંત શ્રમયોગીઓને પગારચિઠ્ઠી ન આપીને લઘુત્તમ વેતન અધિનિયમનો ભંગ કર્યા અંગેની શ્રમ અધિકારીએ ૧૭ ડિ...

બોરસદમાં મુખ્ય કાંસ પર બનાવાયેલા ત્રણ ગેરકાયદે નાળા પાલિકા-કાંસ વિભાગ દ્વારા દૂર કરાયા

14/02/2025 00:02 AM

આ વર્ષ ચોમાસા દરમ્યાન બોરસદમાં ભારે વરસાદની સાથોસાથ પાણી વહેણના કાંસોમાં દબાણોના કારણે અનેક વિસ્તારો જળબંબાકારની સ્થિતિમાં ફેરવાયા હતા. તેમાંયે શહેરના પામોલ રોડ, ખાંસી વાડી સહિતના વિસ્તારોમાં ૭ર-૭ર કલાક સુધી પાણી ભરાઇ રહેતા સ્થાનિકો કફોડી સ્થિતિમાં મૂકાયા હતા. ભારે વરસાદના કારણે ભરાયેલા પાણીના કારણે અનેક સ્થાનિકોની ઘરવખરીને વ્યાપક નુકસાની પહોંચી હતી અને સ્થળાંતર કરવાની ફરજ પડી ...

અસ્વચ્છતા બદલ દંડ : આણંદ મનપા વિસ્તારમાં કચરો-ગંદકી કરતા વેપારીઓ પાસેથી રૂ.૧૧,ર૦૦ વહીવટી ચાર્જ વસૂલાયો

14/02/2025 00:02 AM

આણંદ મહાનગર પાલિકાને સ્વચ્છ રાખવા મ્યુનિ. કમિશ્નર મિલિન્દ બાપનાની સૂચના અન્વયે સેનિટેશન વિભાગ દ્વારા વિવિધ વિસ્તારોમાં આકસ્મિક તપાસણી હાથ ધરવામાં આવી રહી છે. જેમાં ગંદકી અને જાહેરમાં કચરો નાંખનાર સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી રહી છે....

બોરસદમાં અનિયમિત અને અપૂરતી એસ.ટી.બસ સેવા મામલે આવેદનપત્ર

14/02/2025 00:02 AM

બોરસદ એસ.ટી. વિભાગમાં રૂટ મુજબની બસો અપૂરતી હોવા સાથે અનિયમિત દોડતી બસોના કારણે ખાસ કરીને અન્ય મુસાફરોની સાથે શાળા-કોલેજ જતા-આવતા વિદ્યાર્થીઓને ભારે પરેશાની ભોગવવી પડી રહી છે. જેની અસર તેમના શૈક્ષણિક ભવિષ્ય અને આરોગ્યને થઇ રહી છે. ગતરોજ નાપા નજીક બસમાં ચઢવા સમયે કંડકટરે ધકકો મારતા વિદ્યાર્થીને હાથે ઇજા થયાના આક્ષેપો સાથે ભારે હોબાળો મચી જવા પામ્યો હતો. જેથી વાલીઓ દ્વારા બોરસદ બ...

વિદ્યાનગર : SC-ST સ્કોલરશિપ મુદ્દે એબીવીપીનું આંદોલન, રામધૂન સાથે વિરોધ

14/02/2025 00:02 AM

રાજય સરકારના અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓની પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ અંગેના નિર્ણય સામે આજે વિદ્યાનગરમાં એબીવીપીએ વિરોધ પ્રદર્શન કર્યુ હતું. યુનિ. નજીકના શહિદ ચોક ખાતે યોજાયેલ વિરોધ પ્રદર્શનમાં કાર્યકરોએ રસ્તા પર બેસીને રામધૂન બોલાવી હતી અને સરકારી પરિપત્રની કોપીઓ સળગાવી હતી....

આણંદમાં ર૭ ફેબ્રુ.થી શરુ થનાર બોર્ડ પરીક્ષાની તૈયારીઓ, શિક્ષણાધિકારીની સ્થળ સંચાલકો સાથે બેઠક

14/02/2025 00:02 AM

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ર૭ ફેબ્રુઆરી,ર૦રપથી લેવાનાર ધો.૧૦ અને ધો.૧ર સાયન્સ, જનરલ (આર્ટસ, કોમર્સ વગેરે )ની પરીક્ષાના આયોજન માટે આણંદ જિલ્લા શિક્ષણ વિભાગમાં તૈયારીઓનો ધમધમાટ શરુ થઇ જવા પામ્યો છે. બોર્ડ પરીક્ષાઓના સુચારૂ આયોજન માટે આજે આણંદમાં મહત્વની બેઠક યોજાઇ હતી....

    

આણંદ : ૪ પાલિકાઓના કુલ ૬૧ પૈકીના ર૮ મતદાન મથકો સંવેદનશીલ

ખંભાતની કાર્ડિયાક કેર સેન્ટરના PMJAY યોજનાના ૧૮ લાખના કલેઇમ નામંજૂર કરાયાનો ઉહાપોહ

આણંદ જિલ્લામાં ધો.૧૦ અને ૧૨ની બોર્ડ પરીક્ષા તૈયારીને આખરી ઓપ અપાયો

અંબાવ ઈટ ભઠ્ઠાના શ્રમિકોના બાળકોએ દિવેલાના બી ખાતા તબિયત લથડી

નિસરાયા : એપેક્ષ બ્રિકસના સંચાલકને લઘુત્તમ વેતન અધિનિયમના ભંગ બદલ રૂ.૬ હજાર દંડ

બોરસદમાં મુખ્ય કાંસ પર બનાવાયેલા ત્રણ ગેરકાયદે નાળા પાલિકા-કાંસ વિભાગ દ્વારા દૂર કરાયા

અસ્વચ્છતા બદલ દંડ : આણંદ મનપા વિસ્તારમાં કચરો-ગંદકી કરતા વેપારીઓ પાસેથી રૂ.૧૧,ર૦૦ વહીવટી ચાર્જ વસૂલાયો

બોરસદમાં અનિયમિત અને અપૂરતી એસ.ટી.બસ સેવા મામલે આવેદનપત્ર