મહુધાના ધારાસભ્યએ રાઘવજી પટેલ, કૃષિ અને પશુપાલન, સ્વર્ણિમ સંકુલ-૧, સચિવાલય, ગાંધીનગરને લેખિતમાં રજૂઆત કરી પોતાના મત વિસ્તારમાં વરસાદના કારણે ખેતીપાકને થયેલા નુકસાનનો સર્વ કરાવી સહાય આપવાની માંગણી કરી છે....
નડિયાદના અમદાવાદી બજાર વિસ્તારમાં રોડની સાઈડ પર આવેલ જર્જરીત પુુરુષોત્તમ બિલ્ડીંગ ના ઉપરના માળના પોપડા ખડી પડતા હોય રસ્તે જતા આવતા લોકોને નુકસાન થઈ રહ્યું છે. થોડા સમય પહેલા નડિયાદ નગરપાલિકામાં આ બાબતે સ્થાનિકો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ નડિયાદ નગરપાલિકા દ્વારા આ મુદ્દે કોઈ જાતનું ધ્યાન ના અપાતા આ વિસ્તારના લોકોમાં ભારે રોષ જોવા મળે છે વહેલી તકે આ મકાનના ઉપરના માળનું છ...
કઠલાલ નગરપાલિકામાં નવા ચૂંટાયેલ પ્રમુખ ઉપપ્રમુખના ગણતરીના દિવસોમાં રાજીનામાં અપાયા બાદ નવેસરથી ચૂંટણી યોજવા માટે ચૂંટણી અધિકારી તરફથી તારીખ ૨૯ સપ્ટેમ્બરથી ચૂંટણીની તારીખ જાહેરાત કરાતા વધુ એક વખત રાજકીય ગરમાવો આવી ગયો છે. આ વખતે ભાજપ દ્વારા તમામ સભ્યોને વિશ્વાસમાં રાખીને મેન્ડેડ આપશે તેવી શક્યતાઓ સેવાઈ રહે છે જો કે કેટલાક સભ્યો દ્વારા પ્રેશર ટેકનિક થકી પ્રમુખનો તાજ ધારણ કરવાના ક...
કઠલાલ નગરપાલિકામાં બાકીના અઢી વર્ષની ટર્મ માટે તાજેતરમાં યોજાયેલ ચૂંટણી રાજકીય બળવાખોરીભરી બની હતી. જેમાં સમાજવાદી પાર્ટી છોડીને ભાજપમાં આવેલા ૯ સભ્યો પૈકી એક સભ્યએ પ્રમુખ તરીકે ઉમેદવારી નોંધાવતા પક્ષે મેન્ડેડ આપેલ ભાજપના ઉમેદવારની હાર થઇ હતી. ચર્ચાસ્પદ બનેલ આ મામલાની ઉચ્ચસ્તરે નોંધ લેવાઇ હતી. કઠલાલ પાલિકામાં ભાજપની સત્તા આવે તેવા શરુ થયેલા પ્રયાસોના પગલે નવાજૂનીના એંધાણ જાગૃતજ...
નડિયાદ તાલુકાના વીણા ગામની સીમમાં આવેલ શીરો તળાવ આજે ઓવરફલો થતા આસપાસની ૧ હજાર વીઘા જમીનમાં પાણી ફરી વળ્યા હતા. જેના કારણે ડાંગર, તમાકુ સહિતના પાકને ભારે નુકસાન થવાની ચિંતા ખેડૂતોએ વ્યકત કરી હતી....
ઉપરવાસમાં થયેલ ભારે વરસાદના કારણે ખેડા જિલ્લાની નદીઓમાં ઘોડાપૂર ઉમટયાની સ્થિતિ જોવા મળી રહી છે. મહીસાગર, વાત્રક અને શેઢી નદીઓમાં જળસ્તર વધવાના કારણે કાંઠા વિસ્તારના ગામોમાં પાણી ઘૂસ્યા છે. જેના કારણે અનેક સ્થળોએ અવરજવરના માર્ગો બંધ થઇ ગયા છે. આજે બીજા દિવસે પણ સ્થિતિ યથાવત રહેવાના કારણે ગ્રામ્ય જનજીવનને ભારે અસર પહોંચી છે....
યાત્રાધામ ડાકોરમાં અમદાવાદ માર્ગ પરથી આવવાના રસ્તા ઉપર તેમજ ડાકોર મંદિરથી આશરે ૧.પ કિ.મી.ના અંતરે આવેલ વેલકમ પાટીયા પાસેનો બ્રિજ ગમે ત્યારે દુર્ઘટના સર્જશેની ભીતિ જાગૃત સ્થાનિકો વ્યકત કરી રહ્યા છે. આ બ્રિજનો મુખ્યત્વે ડાકોરના સ્થાનિકો અને વૈષ્ણવો કરે છે. આ માર્ગથી દશેરા તેમજ વાર તહેવારે રણછોડરાયજી ભગવાનની સવારી પસાર થાય છે. ડાકોરને અમદાવાદ એકસપ્રેસ હાઇવે સાથે જોડતો આ માર્ગ છે. ...
>> << News IN Picture