Sardar Gurjari

સોમવાર, તા. ૨૭ માર્ચ, ૨૦૨૩, ચૈત્ર સુદ ૬, વિ.સં. ૨૦૭૯, વર્ષ -૨૨, અંક -૨૭૮

મુખ્ય સમાચાર :

નડિયાદ નગરપાલિકાનું ૩૧૪૪.ર૭ લાખની પુરાંતવાળું બજેટ બહુમતિએ મંજૂર

25/03/2023 00:03 AM

નડિયાદ નગરપાલિકાની આજે યોજાયેલ સામાન્ય સભામાં વર્ષ ર૦ર૩-ર૪નું રૂ. ૩૧૪૪.ર૭ લાખની પુરાંતવાળું બજેટ બહુમતિથી મંજૂર કરાયું હતું. માત્ર ૧૦ સેકન્ડમાં બજેટ બેઠક આટોપી લેવાયાનો વિરોધ પક્ષ દ્વારા વિરોધ કરાયો હતો....

નડિયાદમાં કોંગ્રેસે પ્રજાની સમસ્યાને લઈ વિરોધ નોંધાવવા માટે મૌન ધરણાં કાર્યક્રમ યોજ્યો

25/03/2023 00:03 AM

દેશમાં ચાલી રહેલા મોંઘવારી બેરોજગારી અને સરકારી નોકરીઓમાં થતી વારંવાર પેપર લીક કાંડ તથા બીજા અનેક કૌભાંડોથી સમગ્ર પ્રજા પરેશાન છે ત્યારે બીજી બાજુ સરકારના પ્રજા વિરોધી નિર્ણયો સામે વિરોધ વાત કરવાની મૂળભૂત સ્વતંત્ર પર કાપ મુકવામાં આવ્યો છે. તેને લઈ આજરોજ નડિયાદ ખાતે કોંગ્રેસ દ્વારા મૌન ધરણાંનો કાર્યક્રમ યોજાયો હતો....

મહેમદાવાદના માધવપુરા પ્રાથમિક શાળામાં આચાર્યની બદલી રોકવા વાલીઓ મેદાનમાં

25/03/2023 00:03 AM

મહેમદાવાદ તાલુકાના માધવપુરા પ્રાથમિક શાળાના મુખ્ય શિિક્ષકાની બદલી કરાતાં ગ્રામજનો વાલીઓ મેદાનમાં આવ્યા છે. મહેમદાવાદ તાલુકાના માધવપુરા પ્રાથમિક શાળાના આચાર્યની આંતરિક બદલી થતાં મામલો ઘેરો બન્યો છે. અગાઉ આ મામલે તાલુકા કક્ષાએ રજૂઆત કરાઈ હતી પણ આ મામલો થાડે પડ્યો નથી અને આગની જેમ વધુ પ્રસર્યો છે. અહીંયા પ્રાથમિક શાળાના આચાર્ય અર્ચનાબેન ગોહિલની કોઈ કારણસર આંતરિક બદલી કરવામાં આવી ...

વડતાલમાં જ્ઞાનબાગ આગળની ૪ર દુકાનો પર ગ્રામ પંચાયતે બુલ ડોઝર ફેરવ્યું

23/03/2023 00:03 AM

યાત્રાધામ વડતાલમાં આજે ગ્રામ પંચાયત દ્વારા દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં જ્ઞાનબાગ આગળની લગભગ ૪ર જેટલી દુકાનો પર બુલડોઝર ફેરવાયું હતું. ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા એકઠાં થઇ ગયા હતા. જો કે કેટલાક દુકાનદારોએ પોતાની દુકાનને બચાવવા બળ પ્રયોગ કરતા પોલીસે તેમને અટકાવ્યા હતા. આજની ઘટનાનો મુદ્દો સ્થાનિક રાજકારણમાં ગરમાયો છે....

ખેડા જિલ્લાને ખેડૂતોને કડાણા ડેમમાંથી મળતું સિંચાઇનું પાણી ૮૦ દિવસ માટે બંધ

21/03/2023 00:03 AM

ખેડા જિલ્લામાં આ વર્ષ ઉનાળા દરમ્યાન ખેડૂતોને સિંચાઇના પાણી માટે કવાયત કરવી પડશેની સ્થિતિની સંભાવના વ્યકત થઇ રહી છે. કડાણા ડેમમાંથી આજથી સિંચાઇ માટે પાણી બંધ કરાયું છે. હાલ વણાકબોરી વિયર જેના પર નિર્ભર છે તે કડાણા ડેમમાં પ૬.૮૪ ટકા જેટલું જ પાણી છે. જે આગામી દિવસોમાં પીવાના હેતુ માટે વપરાશની ગણતરીએ ખેતી સિંચાઇમાં આ પાણી પર બ્રેક લાગી છે....