Sardar Gurjari

સોમવાર, તા. ૨૭ માર્ચ, ૨૦૨૩, ચૈત્ર સુદ ૬, વિ.સં. ૨૦૭૯, વર્ષ -૨૨, અંક -૨૭૮

મુખ્ય સમાચાર :
તારાપુર એપીએમસીની ૧૭ એપ્રિલે ચૂંટણી જાહેર, રાજકીય ગરમાવો
ખેડૂત વિભાગમાંથી ૧૦, વેપારી પ્રતિનિધિ ૪, ખરીદ-વેચાણ મંડળી ર સહિત ૧૯ ડિરેકટર
03/02/2023 00:02 AM Send-Mail
આણંદ એપીએમસીનો વહીવટ ૧૫ માસથી વહીવટદાર હસ્તક : ઓકટો.ર૦ર૧માં ચૂંટણી યોજાઇ હતી પણ કોર્ટ મેટર થતા પરિણામ જાહેર કરાયું નથી
આણંદ એપીએમસીની ૮ ઓકટો.ર૦ર૧ના રોજ ચૂંટણી યોજાઇ હતી. પરંતુ તેમાં ખેડૂત વિભાગમાં બેંકનું ધિરાણ લેનાર સેવા સહકારી મંડળી જ મતદાર થઇ શકેનો નિયમ છતાંયે ખાનગી ધિરાણવાળી મંડળીઓનો મતદાર યાદીમાં સમાવેશ કરાયાની રજૂઆત થઇ હતી. ઉપરાંત વેપારી વિભાગમાં મતદાર ખોટી હોવાની તથા મંડળીમાં કુલ ૩ પૈકી એક જ મતદારને મતદાનની મંજૂરી અપાયાની બાબતે પણ કોર્ટ મેટર થઇ હતી. આ કેસ હજી કોર્ટમાં ચાલી રહ્યો છે. જેથી છેલ્લા ૧પ માસથી આણંદ એપીએમસીની વહીવટ રજીસ્ટ્રાર કચેરી દ્વારા નિયુકત વહીવટદાર દ્વારા કરવામાં આવી રહ્યો છે.

આણંદ જિલ્લામાં તારાપુર એપીએમસીની આગામી ૧૭ એપ્રિલે ચૂંટણી યોજાનાર હોવાનું જાહેર કરાયું છે. સહકારી ક્ષેત્રની સૌથી મહત્વની ચૂંટણીઓ પૈકીની એક ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (એપીએમસી)ની ચૂંટણી ગણાય છે. કરોડોનો કારોબાર કરતી સમિતિમાં સભ્ય બનવા માટે અને સમિતિનો વહીવટ પોતાના હાથમાં લેવા માટે એપીએમસીની ચૂંટણીમાં ઝંપલાવવા રાજકીય પક્ષો સહિતના ઉમેદવારો તલપાપડ હોય છે. ઉલ્લેખનીય છે કે રાજકીય નેતાઓની પરોક્ષ હાજરીથી જ એપીએમસીની ચૂંટણીઓ થાય છે.

તારાપુર એપીએમસીની ચૂંટણી જાહેર થતાં જ રાજકીય ગરમાવો પ્રસર્યો છે. માર્કેટ યાર્ડમાં ચેરમેન તેમજ ડિરેકટર બનવા માટે રાજકીય પક્ષોના વગદાર નેતાઓ દ્વારા લોબિંગ શરુ કરાયું છે. જયારે એપીએમસીના વર્તમાન ચેરમેન સહિતના હોદ્દેદારો પુન: ચૂંટાવવા માટેના આયોજનો કરી રહ્યા છે.

તારાપુર એપીએમસીના સૂત્રોનુસાર એપીએમસીમાં ખેડૂત વિભાગમાં અગાઉ ૮ના સ્થાને આ વખતે ૧૦ સભ્યો ઉપરાંત વેપારી પ્રતિનિધિ ૪ અને ખરીદ-વેચાણ મંડળીના ર પ્રતિનિધિની ચૂંટણી યોજાશે. જયારે સ્થાનિક સંસ્થા ગ્રામ પંચાયત/પાલિકાના ૧, ખેતીવાડી (વિસ્તરણ)ના ૧ અને જિલ્લા રજીસ્ટ્રાર કચેરીના ૧ સભ્યનો બોર્ડમાં સમાવેશ કરાશે. વધુમાં જણાવ્યું હતું કે, ૭મીએ એપીએમસીના મતદારોની પ્રાથમિક યાદી જાહેર કરાશે. જેની સામે વાંધા,સૂચનો મળ્યા બાદ સુધારા સાથે નવી યાદી પ્રસિદ્વ કરાશે. ત્યારબાદ નિયમોનુસાર ચૂંટણી માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

કણજરીથી આણંદમાં એન્ટ્રી સુધીનો દાંડી માર્ગ દોઢ વર્ષથી ગોથે ચઢયો!

ચરોતરમાં માવઠાંના મારથી ખેતી પાકને નુકસાન

આણંદ-ખેડા જિલ્લામાં નીલ ગાયોના વધતા ઉપદ્રવથી ઉભા પાકને નુકસાન, ખેડૂતો પરેશાન

આણંદ : રાહુલ ગાંધીના સભ્યપદ રદના વિરોધમાં કોંગ્રેસ દ્વારા સત્યાગ્રહ, પોલીસે કરી અટકાયત

નાપા તળપદ પાસે ઉભેલા ટ્રેક્ટરની ટ્રોલી પાછળ એક્ટીવા ભટકાતા એકનું મોત, ૧ ગંભીર

ઓસ્ટ્રેલિયાના સીડની શહેરમાં વડતાલધામ મંદિરનું ભૂમિપૂજન

કરોલી સીમની કેનાલમાં ગાબડું પડતા ૬૦ વીઘાથી વધુના પાકને નુકસાનીની ખેડૂતોની રાવ

આણંદમાં પ૦ વર્ષથી વધુ વયના બે આધેડને કોરોના પોઝિટિવ, કુલ ૧ર એકિટવ કેસ