Sardar Gurjari

સોમવાર, તા. ૨૭ માર્ચ, ૨૦૨૩, ચૈત્ર સુદ ૬, વિ.સં. ૨૦૭૯, વર્ષ -૨૨, અંક -૨૭૮

મુખ્ય સમાચાર :
નાયબ દંડક રમણભાઇ સોલંકીની દરમ્યાનગીરીથી અટકેલ કામ ફરી શરુ કરાયું
બોરસદમાં ગેસ પાઇપ લાઇનનું પુન:ખાતમુહૂર્ત થયાનું શહેરીજનોમાં આશ્ચર્ય
આઠેક માસ અગાઉ ગેસ લાઇન નાંખવાની કામગીરી આરંભાતા જલારામ મંદિર પાસે ખાતમુહૂર્ત કરાયું હતું : છેલ્લા પ માસથી ખોરંભે પડેલ પાઇપલાઇનના કામનું પુન: બસ સ્ટેન્ડ નજીકથી ખાતમુહૂર્ત કરાયું
03/02/2023 00:02 AM Send-Mail
બોરસદ શહેરમાં છેલ્લા કેટલાય વર્ષોથી ઘરેલુ ગેસ માટે ગેસ લાઇનની અનેકવાર રજૂઆતો કરવા છતાં ગેસ લાઇન કંપનીની એન્ટ્રી થઇ નહતી. અંદાજે આઠેક મહિના અગાઉ ખાનગી કાર્યક્રમના ઉદ્દઘાટનમાં આવેલ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને શહેર ભાજપ પ્રમુખ અને તત્કાલિન પાલિકા પ્રમુખે રજૂઆતો કરતા ચરોતર ગેસ મંડળી દ્વારા બોરસદમાં જલારામ મંદિર નજીક ગેસ લાઇન નાંખવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તે સમયે પાલિકા પ્રમુખ અને કાઉન્સિલરો દ્વારા આ કામનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું. તેમજ બોરસદ-આણંદ રોડ પર આવેલ વહેરા ગામ પાસે ગેસ કંપની દ્વારા સીએનજી-સીએનજી સ્ટેશન માટે જમીનની ખરીદી પણ કરવામાં આવી હતી.

જેમાં બસ સ્ટેન્ડ સુધી પાઇપલાઇન નાંખવાની કામગીરી પણ કરવામાં આવી હતી. પરંતુ કોઇ કારણોસર પાઇપલાઇન નાંખવાની કામગીરી છેલ્લા ઘણા મહિનાઓથી અટકી ગઇ હતી. જે બાબતે નાયબ દંડક રમણભાઇ સોલંકીને રજૂઆત કરતા કામગીરી શરુ કરવામાં આવી હતી. જેથી આજરોજ અગાઉ જે જગ્યાએ ખોરંભે પડી હતી ત્યાં નવીન ગેસ પાઇપલાઇન નાંખવાના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

જેમાં નાયબ દંડક રમણભાઇ સોલંકી, ચેરમેન ધર્મન્દ્રભાઇ પટેલ, પ્રાંત અધિકારી જય બારોટ, શહેર ભાજપ પ્રમુખ દિપકભાઇ પટેલ, પૂર્વ પાલિકા પ્રમુખ આરતીબેન પટેલ સહિત નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, એક જ કામ બાબતનું બે-બે વાર ખાતમુહૂર્ત થયાની બાબતે શહેરીજનોમાં આશ્ચર્ય ફેલાવ્યું હતું.

કણજરીથી આણંદમાં એન્ટ્રી સુધીનો દાંડી માર્ગ દોઢ વર્ષથી ગોથે ચઢયો!

ચરોતરમાં માવઠાંના મારથી ખેતી પાકને નુકસાન

આણંદ-ખેડા જિલ્લામાં નીલ ગાયોના વધતા ઉપદ્રવથી ઉભા પાકને નુકસાન, ખેડૂતો પરેશાન

આણંદ : રાહુલ ગાંધીના સભ્યપદ રદના વિરોધમાં કોંગ્રેસ દ્વારા સત્યાગ્રહ, પોલીસે કરી અટકાયત

નાપા તળપદ પાસે ઉભેલા ટ્રેક્ટરની ટ્રોલી પાછળ એક્ટીવા ભટકાતા એકનું મોત, ૧ ગંભીર

ઓસ્ટ્રેલિયાના સીડની શહેરમાં વડતાલધામ મંદિરનું ભૂમિપૂજન

કરોલી સીમની કેનાલમાં ગાબડું પડતા ૬૦ વીઘાથી વધુના પાકને નુકસાનીની ખેડૂતોની રાવ

આણંદમાં પ૦ વર્ષથી વધુ વયના બે આધેડને કોરોના પોઝિટિવ, કુલ ૧ર એકિટવ કેસ