Sardar Gurjari

બુધવાર, તા. ૨૯ નવેમ્બર, ૨૦૨૩, કારતક વદ ૨, વિ.સં. ૨૦૮૦, વર્ષ -૨૩, અંક -૧૬૨

મુખ્ય સમાચાર :
કિંખલોડ સીમમાં બોર ખાવા ગયેલા કિશોરનું વીજકરંટ લાગતા કમકમાટીભર્યુ મોત
કેળાના ખેતરની ફરતે મારેલી લોખંડની તારવાળી વાડને અડી જતાં અનિલભાઈ ઠાકોરનું મોત નિપજ્યું
03/02/2023 00:02 AM Send-Mail
માનપુરામાં વીજ કરંટ લાગતા નીલગાયનું મોત ખેતર માલિક પાસેથી ૨૫ હજાર દંડ વસૂલાયો
આંકલાવ તાલુકાના માનપુર ગામે રહેતા સુરેશભાઈ કાળાભાઈ પઢિયારે સીમ વિસ્તારમાં આવેલા પોતાના ખેતરમાં પાકને પશુઓથી બચાવવા માટે ખેતરની ચારે તરફ લાકડાના પોલ ઉભા કરીને તેના પર લોખંડના તાર બાંધી દીધા હતા. ત્યારબાદ તેના પર વીજ કરંટ પસાર કર્યો હતો. દરમ્યાન એક નીલગાય ત્યાં આવી ચઢતાં વીજ કરંટ લાગવાથી તેનું સ્થળ પર જ મોત થયું હતુ. આ અંગે ફોરેસ્ટ વિભાગ દ્વારા ગુનો દાખલ કરીને આરોપી સુરેશભાઈ પઢિયારને ઝડપી પાડીને તેની પાસેથી દંડ પેટે કુલ ૨૫ હજાર રૂપિયા વસુલ કર્યા હતા.

આંકલાવ તાલુકાના કિંખલોડ ગામની રવિપુરા સીમમાં ગઈકાલે સાંજના સુમારે બોર ખાવા માટે ગયેલા એક કિશોરને વીજકરંટ લાગતાં તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું.

કિંખલોડ ગામે રહેતો અનિલ પ્રવિણભાઈ ઠાકોર નામનો ૧૧ વર્ષીય કિશોર ગઈકાલે સાંજના પાંચેક વાગ્યાના સુમારે સ્કૂલેથી છૂટીને ઘરે આવ્યો હતો ત્યારબાદ રવિપુરા સીમમાં બોર ખાવા માટે ગયો હતો. દરમ્યાન રમેશભાઈ કાનજીભાઈ પટેલના કેળાના પાકવાળા ખેતરની ફરતે મારેલી લોખંડની તારવાળી વાડને અડી જતાં તેને જોરદાર વીજકરંટ લાગતાં સ્થળ પર જ મોત નિપજ્યું હતું.

ઘટનાની જાણ પરિવારજનોને થતાં તેઓ સ્થળ પર આવી પહોંચ્યા હતા અને તુરંત જ ભાદરણ પોલીસને જાણ કરતા પોલીસ પણ આવી પહોંચી હતી અને લાશનો કબ્જો લઈને પીએમ માટે સરકારી હોસ્પિટલમાં મોકલી આપી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર રમેશભાઈ પટેલે કેળાના પાકને પશુઓથી બચાવવા માટે ખેતરની ફરતે લોખંડના તારવાળી વાડ બનાવી હતી અને તેમાં ઝટકા કરંટ ઉતાર્યો હતો. જો કે ઝટકા કરંટ લાગવાથી કોઈનું મૃત્યુ ના નીપજી શકે, ડાયરેક્ટ વીજકરંટ ઉતારવામાં આવ્યો હોય તો જ મોત થાય. આ અંગે હાલમાં તો પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે. પીએસઆઈ એસ. એમ. પટેલના જણાવ્યા અનુસાર હજી સુધી પીએમ રીપોર્ટ, એફએસએલ અને જીઈબીનો રીપોર્ટ આવ્યો નથી. તે આવ્યા બાદ તુરંત જ ગુનો દાખલ કરી દેવામાં આવશે.

આણંદ-ખેડા જિલ્લામાં સાયબર ક્રાઈમના વધુ ૮ કિસ્સા ઉજાગર થતાં ફરિયાદ

કંથારીયામાં ત્રાટકેલા તસ્કરો બંધ મકાનનું તાળુ તોડીને ૧.૬૭ લાખની મત્તા ચોરી ફરાર

બદલપુરની પોણા વીઘાં જમીન પર કબ્જો જમાવી દેતાં ચાર વિરૂદ્ઘ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ

બોરસદ : કુરીયર હોલ્ડમાંથી બહાર કાઢવાના બહાને ખેડૂત પાસે ૪૧૩૯૦ રૂા.ની છેતરપીંડી

વહેરાખાડીના યુવાન સાથે ગાડી વેચવાના બહાને ૩૨ હજારની ઓનલાઈન છેતરપીંડી

આણંદ જિલ્લામાં સાયબર ક્રાઈમમાં વધારો : ૭ ફરિયાદોમાં ૧૦ લાખથી વધુની ઠગાઈ

ધર્મજ બ્રિજ ઉપર ટ્રેક્ટરની ટ્રોલીને આઈશર ટેમ્પાએ ટક્કર મારતાં એકનું મોત, ૧૦ ઘાયલ

ખંભાતના વ્યકિતને ર.પ૦ લાખના ચેક રીટર્નના કેસમાં દંડ, ન ભરે તો ૬ માસની કેદ