Sardar Gurjari

સોમવાર, તા. ૨૭ માર્ચ, ૨૦૨૩, ચૈત્ર સુદ ૬, વિ.સં. ૨૦૭૯, વર્ષ -૨૨, અંક -૨૭૮

મુખ્ય સમાચાર :
આણંદ: હત્યાના ગુનામાં આજીવન કેદની સજા ભોગવતો કેદી ફરાર
03/02/2023 00:02 AM Send-Mail
હત્યા અને હત્યાના પ્રયાસના ગુનામાં આજીવન કેદની સજા ભોગવતો ચાવડાપુરા ખાતે રહેતો કેદી પેરોલ ફર્લો રજા મંજુર કરાવીને ફરાર થઈ જતાં આ અંગે આણંદ રૂરલ પોલીસે ગુનો દાખલ કરીને તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ચાવડાપુરા ખાતે રહેતા નીલેશભાઈ ખુમાનસિંહ પરમારને તારીખ ૩૦-૫-૧૨ના રોજ આણંદની સેશન્સ કોર્ટે હત્યા તેમજ હત્યાના પ્રયાસના ગુનામાં તકશીરવાર ઠેરવીને આજીવન કેદની સજા ફટકારી હતી.જેથી તેને વડોદરાની મધ્યસ્થ જેલમાં મોકલી આપવામાં આવ્યો હતો. જ્યાં તે પાકા કામના કેદી તરીકે રહેતો હતો. દરમ્યાન ગત ૨૧-૧૨-૨૨ થી ૫-૧-૨૩ સુધીની તેની ૧૪ દિવસની ફર્લો રજા મંજુર થઈ હતી જેથી તે જેલમાંથી બહાર નીકળ્યો હતો. ૫મી તારીખના રોજ જેલબંધી થાય તે પહેલા તેને વડોદરા મધ્યસ્થ જેલમાં હાજર થવાનું હતુ પરંતુ તે હાજર થયો નહોતો અને ફરાર થઈ ગયો હતો. આ અંગે જેલરે આણંદ રૂરલ પોલીસ મથકે આવીને ફરિયાદ આપતાં પોલીસે ગુનો દાખલ કરીને તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.


બોરીયાવીમાં રસ્તા બાબતે કૌટુંબિક પરિવારો વચ્ચે ઝઘડો : ૬ને ઈજા

બોરસદ : યુટર્ન લેતી એસટી બસની ટક્કરે બાઈક ચાલકનું મોત

વટાદરામાં અન્ય સમાજની યુવતી સાથે પ્રેમલગj કરનારને હવનમાં બેસવા નહી દઈને ત્રાસ ગુજારતા ફરિયાદ

સામરખાના સાભોડપુરા પાસેથી રૂા.૯૯૦૦ના વિદેશી દારૂ સાથે એકની ધરપકડ

નાપા તળપદમાં જમીનના વિવાદમાં બે ભાઈઓના પરિવારો વચ્ચે મારામારીમાં ૫ને ઈજા

અલારસાના શખ્સે ગ્રાહકો પાસેથી ૧.૪૮ લાખની રકમ મેળવીને વસ્તુઓ નહીં આપી કરી છેતરપીંડી

આંકલાવની કિશોરીને ભગાડીને લઈ ગયા બાદ દુષ્કર્મ ગુજારનાર યુવકને આજીવન કેદ

અમદાવાદના નરોડાના વેપારીનું પૈસાની લેતીદેતીમાં અપહરણ કરનાર આણંદના પાંચ શખ્સોની ધરપકડ