Sardar Gurjari

રવિવાર, તા. ૨૮ મે, ૨૦૨૩, જેઠ સુદ ૮, વિ.સં. ૨૦૭૯, વર્ષ-૨૨, અંક-૩૪૦

મુખ્ય સમાચાર :
કરોલી સીમની કેનાલમાં ગાબડું પડતા ૬૦ વીઘાથી વધુના પાકને નુકસાનીની ખેડૂતોની રાવ
વહેલી સવારે કેનાલમાં ગાબડું સર્જાતા આજુબાજુના ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા
26/03/2023 00:03 AM Send-Mail
મહેમદાવાદના કરોલી ગામની સીમમાં આવેલ કેનાલમાં આજે વહેલી સવારે ગાબડું પડતાં આસપાસના ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા. જેથી આશરે ૬૦ વીઘાથી વધુમાં રહેલા પાકને વ્યાપક નુકસાન થયું હોવાનું ખેડૂતોએ જણાવ્યું હતું.

કરોલીના હર્ષદપુરા સીમ વિસ્તારમાંંથી પસાર થતી કેનાલમાં આજે વહેલી સવારે ગાબડું પડતાં અફડાતફડી મચી ગઈ હતી. કેનાલના પાણી આસપાસના ખેતરોમાં ફરી વળ્યા હતા. જેના કારણે ખેડૂતોએ કરેલા પાકોમાં બાજરી, જાર, ઘઉં, દિવેલા, તમાકુ સહિતના ઊભા પાકને નુકસાન થયું છે. મસમોટું ગાબડું પડતા કેનાલના ઈજનેરો સહિત સત્તાધીશો સ્થળ પર દોડી આવ્યા હતા. ખેતરમાં તૈયાર થયેલ ઘઉંનો પાક પલળી જતાં ખેડૂતો રોષે ભરાયા હતા અને તંત્રની ભૂલના કારણે થયેલ પાક નુકસાનીનું વળતર આપવા માંગ કરી હતી. ત્યારે તંત્ર શું કામગીરી કરશે તે જોવું રહ્યું.


સ.પ.યુનિ.માંથી યોગ્યતા ન હોવાના મુદ્દે દૂર કરાયેલા કુલકર્ણીને આંબેડકર યુનિ.ના બોર્ડમાં સભ્યપદે નિયુકિતનો વિવાદ

આણંદ : હોસ્પિટલમાં કોવિડ-૧૯ની સારવાર લીધાનું સાબિત થયું છે, કલેઇમના ર.પ૦ લાખ ચૂકવો- ગ્રાહક કોર્ટ

ખંભાત તાલુકાના કોડવામાં શ્રી હડકબાઇ માતા મંદિરને પૂર્ણ કરવા હરિજન આગેવાનોની માંગ

મિલેટ્સ વર્ષની ઉજવણી વચ્ચે બાજરીની ટેકાના ભાવથી નીચા ભાવે લેવાલી

સ.પ.યુનિ.માં ર૧ જૂનથી નવું સત્ર શરુ થવાના અણસાર નહીં

ખંભાત પંથકની તાડફળીની રાજ્યભરમાં નિકાસ

ઉમરેઠમાં પ્રિ-મોનસુન કામગીરી વિસરાઈ! ચોમાસામાં મુશ્કેલી સર્જાવાની સ્થાનિકોમાં ભીંતિ

આણંદ જિલ્લાનું ધો.૧૦નું પ૭.૬૩ ટકા પરિણામ