Sardar Gurjari

બુધવાર, તા. ૨૯ નવેમ્બર, ૨૦૨૩, કારતક વદ ૨, વિ.સં. ૨૦૮૦, વર્ષ -૨૩, અંક -૧૬૨

મુખ્ય સમાચાર :
કરોલી સીમની કેનાલમાં ગાબડું પડતા ૬૦ વીઘાથી વધુના પાકને નુકસાનીની ખેડૂતોની રાવ
વહેલી સવારે કેનાલમાં ગાબડું સર્જાતા આજુબાજુના ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા
26/03/2023 00:03 AM Send-Mail
મહેમદાવાદના કરોલી ગામની સીમમાં આવેલ કેનાલમાં આજે વહેલી સવારે ગાબડું પડતાં આસપાસના ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા. જેથી આશરે ૬૦ વીઘાથી વધુમાં રહેલા પાકને વ્યાપક નુકસાન થયું હોવાનું ખેડૂતોએ જણાવ્યું હતું.

કરોલીના હર્ષદપુરા સીમ વિસ્તારમાંંથી પસાર થતી કેનાલમાં આજે વહેલી સવારે ગાબડું પડતાં અફડાતફડી મચી ગઈ હતી. કેનાલના પાણી આસપાસના ખેતરોમાં ફરી વળ્યા હતા. જેના કારણે ખેડૂતોએ કરેલા પાકોમાં બાજરી, જાર, ઘઉં, દિવેલા, તમાકુ સહિતના ઊભા પાકને નુકસાન થયું છે. મસમોટું ગાબડું પડતા કેનાલના ઈજનેરો સહિત સત્તાધીશો સ્થળ પર દોડી આવ્યા હતા. ખેતરમાં તૈયાર થયેલ ઘઉંનો પાક પલળી જતાં ખેડૂતો રોષે ભરાયા હતા અને તંત્રની ભૂલના કારણે થયેલ પાક નુકસાનીનું વળતર આપવા માંગ કરી હતી. ત્યારે તંત્ર શું કામગીરી કરશે તે જોવું રહ્યું.


સ.પ.યુનિ.માં સત્તા મંડળોમાં નેકની જૂની માન્યતા પ્રાપ્ત કોલેજના પ્રતિનિધિઓની નિમણૂંક શકય !

આણંદ : સમાજ સુરક્ષા અધિકારીનો ભોજનાર્થ વિહાર ને' દિવ્યાંગ અરજદારો કચેરીએ રાહ જોતા બેસી રહ્યાં

આણંદ : ૩ માસમાં બીજીવાર માવઠાંથી નુકસાન, નિયમની આંટીઘૂંટીમાં સહાય ન મળતા જગતનો તાત વિવશ

પ૦ વર્ષોથી ખંભાતના અન્નપૂર્ણા ભોજનાલય દ્વારા જરૂરતમંદો માટે અવિરત ચાલતી સાત્વિક ભોજન સેવા

ખંભોળજના પૂર્વ પીએસઆઈ દિલીપકુમાર બ્રહ્મભટ્ટ, પત્ની અને પુત્રની અમેરિકામાં હત્યા

આણંદ: સામરખા ઓવરબ્રિજની જોખમી ફૂટપાથ અકસ્માત સર્જશેની ભીતિ

ચરોતરમાં માવઠાંનું સંકટ ટળ્યું, ઉભા પાકનો સોથ વળી જતા જગતનો તાત વિવશ સ્થિતિમાં

પેટલાદ : સુણાવ કેળવણી મંડળની કારોબારી કમિટિની ૩જી ડીસેમ્બરે ચૂંટણી યોજાશે