ઓસ્ટ્રેલિયાના સીડની શહેરમાં વડતાલધામ મંદિરનું ભૂમિપૂજન
પ એકર જમીનમાં ભારતીય સંસ્કૃતિનું જીવંત મંદિર બનશે :પૂ. નિત્યસ્વરૂપ સ્વામી
ઓસ્ટ્રેલિયાના સીડની શહેરમાં પાંચ એકર જમીનમાં વડતાલવાસી શ્રીલ-મીનારાયણ દેવના તાબાના વડતાલધામ મંદિરનો ભૂમિપૂજન મહોત્સવ યોજાયો હતો.
આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના આશિર્વાદ, વડતાલ ટ્રસ્ટીબોર્ડના પ્રયાસ અને વડીલ સંતોના આશિર્વાદ સાથે છેલ્લા ચાર વર્ષથી સત્સંગીઓ હરિમંદિરમાં સત્સંગ કરી રહ્યા છે. સત્સંગ સમુદાય
વધવાથી વિશાળ મંદિરની માંગ ઉભી થઇ હતી.
છ માસ પૂર્વ આચાર્ય મહારાજ એવં ચેરમેન દેવપ્રકાશસ્વામી વગેરે ચતુર્થ પાટોત્સવ પ્રસંગે પધાર્યા ત્યારે વિશાળ ભૂમિ સંપાદન કરવાનો કરેલ સંકલ્પ ધર્મપ્રેમી સજજનોના સહકાર સાથે પૂર્ણ થયો અને પ એકર ભૂમિ સંપાદિત કરવામાં આવી હતી. આ જમીનમાં તા. ર૩થી ર૭ માર્ચ,ર૦ર૩ દરમ્યાન ભૂમિ પૂજન મહોત્સવનું આયોજન કરાયું હતું.
આ પ્રસંગે પ દિવસ ઘરસભા, સરધાર નિવાસી પૂ. નિત્યસ્વરુપદાસજી સ્વામીના વકતાપદે શ્રીમદ્દ સત્સંગિજીવનની કથા યોજાઇ હતી. આજરોજ તા. ર૬મીએ મહાસમર્થ યોગીરાજ શ્રી ગોપાળનંદ સ્વામીએ આપેલ બીજમંત્ર અને જનમંગલ હોમ સાથે મંત્રોના નાદ સાથે પૂ.નિત્યસ્વરુપ સ્વામી તથા ડો. સંતસ્વામીના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. જેમાં ભૂમિદાતા યજમાનો જોડાયા હતા. આશિર્વાદ સાથે સંત સ્વામીએ મંદિરનું આધ્યાત્મિક અને સામાજીક માહાત્મય સમજાવ્યું હતું. પૂ. નિત્યસ્વરુપ સ્વામીએ સૌને આશિર્વાદ પાઠવતા ભારતભૂમિના ગૌરવની વાત કરતા કહયું કે, ભારત એ ભગવાનની ભૂમિ છે.
આ પ્રસંગે પ્રમુખ તેજસભાઇ, સેક્રેટરી દિપકભાઇ રાઘવાણી, સી.કે.પટેલ, ઘનશ્યામ કાનાણી, કેતન પટેલ, નિલય પટેલ સહિત અગ્રણીઓ સહિત સત્સંગીઓ ઉપસ્થિત રહ્યા હતા.