Sardar Gurjari

બુધવાર, તા. ૨૯ નવેમ્બર, ૨૦૨૩, કારતક વદ ૨, વિ.સં. ૨૦૮૦, વર્ષ -૨૩, અંક -૧૬૨

મુખ્ય સમાચાર :
ઓસ્ટ્રેલિયાના સીડની શહેરમાં વડતાલધામ મંદિરનું ભૂમિપૂજન
પ એકર જમીનમાં ભારતીય સંસ્કૃતિનું જીવંત મંદિર બનશે :પૂ. નિત્યસ્વરૂપ સ્વામી
27/03/2023 00:03 AM Send-Mail
ઓસ્ટ્રેલિયાના સીડની શહેરમાં પાંચ એકર જમીનમાં વડતાલવાસી શ્રીલ-મીનારાયણ દેવના તાબાના વડતાલધામ મંદિરનો ભૂમિપૂજન મહોત્સવ યોજાયો હતો. આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના આશિર્વાદ, વડતાલ ટ્રસ્ટીબોર્ડના પ્રયાસ અને વડીલ સંતોના આશિર્વાદ સાથે છેલ્લા ચાર વર્ષથી સત્સંગીઓ હરિમંદિરમાં સત્સંગ કરી રહ્યા છે. સત્સંગ સમુદાય વધવાથી વિશાળ મંદિરની માંગ ઉભી થઇ હતી.

છ માસ પૂર્વ આચાર્ય મહારાજ એવં ચેરમેન દેવપ્રકાશસ્વામી વગેરે ચતુર્થ પાટોત્સવ પ્રસંગે પધાર્યા ત્યારે વિશાળ ભૂમિ સંપાદન કરવાનો કરેલ સંકલ્પ ધર્મપ્રેમી સજજનોના સહકાર સાથે પૂર્ણ થયો અને પ એકર ભૂમિ સંપાદિત કરવામાં આવી હતી. આ જમીનમાં તા. ર૩થી ર૭ માર્ચ,ર૦ર૩ દરમ્યાન ભૂમિ પૂજન મહોત્સવનું આયોજન કરાયું હતું.

આ પ્રસંગે પ દિવસ ઘરસભા, સરધાર નિવાસી પૂ. નિત્યસ્વરુપદાસજી સ્વામીના વકતાપદે શ્રીમદ્દ સત્સંગિજીવનની કથા યોજાઇ હતી. આજરોજ તા. ર૬મીએ મહાસમર્થ યોગીરાજ શ્રી ગોપાળનંદ સ્વામીએ આપેલ બીજમંત્ર અને જનમંગલ હોમ સાથે મંત્રોના નાદ સાથે પૂ.નિત્યસ્વરુપ સ્વામી તથા ડો. સંતસ્વામીના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. જેમાં ભૂમિદાતા યજમાનો જોડાયા હતા. આશિર્વાદ સાથે સંત સ્વામીએ મંદિરનું આધ્યાત્મિક અને સામાજીક માહાત્મય સમજાવ્યું હતું. પૂ. નિત્યસ્વરુપ સ્વામીએ સૌને આશિર્વાદ પાઠવતા ભારતભૂમિના ગૌરવની વાત કરતા કહયું કે, ભારત એ ભગવાનની ભૂમિ છે. આ પ્રસંગે પ્રમુખ તેજસભાઇ, સેક્રેટરી દિપકભાઇ રાઘવાણી, સી.કે.પટેલ, ઘનશ્યામ કાનાણી, કેતન પટેલ, નિલય પટેલ સહિત અગ્રણીઓ સહિત સત્સંગીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સ.પ.યુનિ.માં સત્તા મંડળોમાં નેકની જૂની માન્યતા પ્રાપ્ત કોલેજના પ્રતિનિધિઓની નિમણૂંક શકય !

આણંદ : સમાજ સુરક્ષા અધિકારીનો ભોજનાર્થ વિહાર ને' દિવ્યાંગ અરજદારો કચેરીએ રાહ જોતા બેસી રહ્યાં

આણંદ : ૩ માસમાં બીજીવાર માવઠાંથી નુકસાન, નિયમની આંટીઘૂંટીમાં સહાય ન મળતા જગતનો તાત વિવશ

પ૦ વર્ષોથી ખંભાતના અન્નપૂર્ણા ભોજનાલય દ્વારા જરૂરતમંદો માટે અવિરત ચાલતી સાત્વિક ભોજન સેવા

ખંભોળજના પૂર્વ પીએસઆઈ દિલીપકુમાર બ્રહ્મભટ્ટ, પત્ની અને પુત્રની અમેરિકામાં હત્યા

આણંદ: સામરખા ઓવરબ્રિજની જોખમી ફૂટપાથ અકસ્માત સર્જશેની ભીતિ

ચરોતરમાં માવઠાંનું સંકટ ટળ્યું, ઉભા પાકનો સોથ વળી જતા જગતનો તાત વિવશ સ્થિતિમાં

પેટલાદ : સુણાવ કેળવણી મંડળની કારોબારી કમિટિની ૩જી ડીસેમ્બરે ચૂંટણી યોજાશે