Sardar Gurjari

મંગળવાર, તા. ૨૬ સપ્ટેમ્બર, ૨૦૨૩, ભાદરવા સુદ ૧૨, વિ.સં. ૨૦૭૯, વર્ષ -૨૩, અંક -૧૦૧

મુખ્ય સમાચાર :
વૈષ્ણવ સંપ્રદાયની પરંપરા : ડાકોર મંદિરમાં ગોપાલલાલજી મહારાજ 'નાવ મનોરથ'માં બિરાજમાન
25/05/2023 00:05 AM Send-Mail
વૈષ્ણવ સંપ્રદાયના મંદિરોમાં પ્રભુને વિવિધ પ્રકારના મનોરથની પરંપરા જોવા મળે છે. યાત્રાધામ ડાકોરમાં શ્રી રણછોડજી મંદિરમાં આજે જેઠ સુદ પાંચમના દિવસે નાવ મનોરથની આનંદ અને ઉત્સાહની છોળો વચ્ચે ઉજવણી કરવામાં આવી હતી. સાંજના સમયે કીર્તનકારો દ્વારા પ્રભુ ભકિત અર્થ છેડાયેલ સુરાવલી વચ્ચે ભાવિકજનો દ્વારા રાજા રણછોડના જયજયકાર સાથે ગોપાલલાલજી મહારાજને વાજતેગાજતે નૌકાવિહાર કરાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાવિકજનો પ્રભુના નૌકાવિહારના દર્શનાર્થ ઉમટયા હતા.

ઉલ્લેખનીય છે કે, ઉનાળામાં પ્રભુને ગરમીથી બચવા માટે સેવકો દ્વારા વિવિધ પ્રકારે લાલનપાલન કરવામાં આવે છે. જેમાં આજે સોનાના લાલજી મહારાજ નાવ મનોરથમાં બિરાજમાન થયા હતા. ડાકોર મંદિરમાં વર્ષમાં બે વખત નાવ મનોરથ થાય છે. ગરમીની ઋતુમાં પ્રભુને ચંદનનો લેપ અને ચંદનના વાઘા પહેરાવવામાં આવે છે.


ખેડૂતોને થયેલા પાક નુકસાનનું વળતર ચૂકવવાની મહુધાના ધારાસભ્યની માંગ

નડિયાદ અમદાવાદી બજારમાં આવેલ જર્જરિત પુુરુષોત્તમ બિલ્ડીંગમાંથી પોપડા ખરતા લોકોમાં દહેશત

કઠલાલ નગર પાલિકા પ્રમુખ-ઉપપ્રમુખની ૨૯મી સપ્ટેમ્બરે પુન: ચૂંટણી

નાટકીય અંત : કઠલાલ પાલિકામાં પ્રમુખ-ઉપપ્રમુખનો હોદ્દો ધારણ કર્યાના થોડા દિવસોમાં જ રાજીનામા ધરી દીધા

નડિયાદ તાલુકાના વીણાનું શીરો તળાવ ઓવરફલો થતા હજારો વીઘા પાક બોરાણમાં

ખેડા જિલ્લામાં ૩ નદીઓ ગાંડીતૂર બનતા કાંઠા વિસ્તારના ગામોમાં બીજા દિવસે સ્થિતિ યથાવત

ડાકોર : વેલકમ પાટીયાના બ્રિજમાં ગાબડું પડતા સળિયા બહાર નીકળ્યા, દુર્ઘટના સર્જાશેની ભીતિ