Sardar Gurjari

મંગળવાર, તા. ૨૬ સપ્ટેમ્બર, ૨૦૨૩, ભાદરવા સુદ ૧૨, વિ.સં. ૨૦૭૯, વર્ષ -૨૩, અંક -૧૦૧

મુખ્ય સમાચાર :
કપડવંજ : ‘મારવાડીઓનું કોઈ નામ લેશે તો જીવતા નહીં છોડીએ’ કહી ચાર યુવકોએ બેને મેથીપાક આપ્યો
કૂતરાઓને ભગાડવા મારેલા છુટા પથ્થરો ઘર પર પડતા ઠપકો આપવાની રીસમાં કરાયેલો હુમલો
27/05/2023 00:05 AM Send-Mail
કપડવંજ તિરુપતિ સોસાયટીના નાકે ગઈકાલે રાત્રિના સમયે ઠપકો આપવાની રીસ રાખી ચાર મારવાડી યુવકોએ બે સલાટ યુવકોને લાકડાના ડંડાનો માર મારી ઈજા પહોંચાડી જાનથી મારી નાંખવાની ધમકી આપતા કપડવંજ શહેર પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ કપડવંજ નગરમાં તિરુપતિ સોસાયટીના નાકે રહેતા સુમિતભાઈ જીવણલાલ સલાટ (ઉં.વ.૧૯) ઘર આગળથી ગઈકાલે રાત્રિના સમયે ગોપાલપુરાનો ચૂચો મારવાડી અને રાહુલ મારવાડી એક્ટિવા પર જતા હતા. આ સમયે એક્ટિવા પાછળ કૂતરાએ ભસતા એક્ટિવા ઉભું રાખી બંનેએ કૂતરાઓને મારેલ છૂટા પથ્થર સુમિત સલાટના ઘર પર પડ્યા હતા. જેથી તેના પિતા જીવણભાઈએ તેમને છૂટા પથ્થરો નહીં મારવા જણાવતા ગુસ્સે ભરાયેલા ચૂચો મારવાડી અને રાહુલ મારવાડી જીવણભાઈ સાથે ગાળાગાળી કરી હતી અને પછી ત્યાંથી ચાલ્યા ગયા હતા.

ત્યારપછી ગોપાલપુરામાં રહેતા ચૂચો મારવાડી, ભજો મારવાડી, રાહુલ મારવાડી અને રાકો મારવાડી હાથમાં લાકડાના ડંડા લઈ બે બાઈક પર સવાર થઈ ત્યાં પરત આવ્યા હતા અને સુમિત અને કાકાના દીકરા નરેશ રતિલાલ સાથે ગાળો બોલી તમે આ જગ્યાના દાદાઓ થઈ ગયા છો તમારા બાપનો રોડ છે ? તેમ કહી ઝઘડો કર્યો હતો અને હાથમાંના લાકડાના ડંડાનો માર મારી સુમિત અને કાકાના દીકરા નરેશને ઈજા પહોંચાડી હતી. દરમ્યાન આજુબાજુના લોકો દોડી આવતા ચૂચો, ભજો, રાહુલે આજે તો તમે બચી ગયા છો પરંતુ ફરીથી અમારા મારવાડીઓનું કોઈ નામ લેશો તો તમોને જીવતા રહેવા દઈશું નહીં તેવી મારી નાંખવાની ધમકી આપી બાઈક પર ફરાર થઈ ગયા હતા.

કમળા ચોકડી પાસેથી પકડાયેલા વિદેશી દારૂમાં નડિયાદના જાણીતા બુટલેગરોના નામ ખૂલતાં ફરિયાદ

કપડવંજ: બે મકાનમાંથી તસ્કરો ૧.૩૨ લાખની મત્તા ચોરી ફરાર

કઠલાલ: કાણીયેલમાં બે ખેતર પાડોશી વચ્ચે બાઈક લઈને જવાની બાબતે ઝઘડો : બે ઘાયલ

સોશિયલ મીડિયામાં ભડકાઉ નિવેદન વાયરલ કરનાર આરએસએસના કાર્યકરની ધરપકડ

ખાત્રજ: પૂર્વ પ્રેમીએ યુવતિના ભાવિ પતિને ફોટા મોકલીને સગાઈ તોડાવ્યાની ફરિયાદ

ઠાસરાના ભદ્રાસાના યુવકની કાર ભાડે આપવાનું કહીને મિત્રએ વેચી દેતા ૪ સામે ફરિયાદ

નડિયાદમાં ઉત્તરસંડા રોડ પર ગાડીએ ટક્કર મારતાં બાઈક ચાલકનું મોત

ડાકોરની પરિણીતા વીઆઈપી સ્ટાઈલમાં રહેતી ન હોવાનું કહીને એનઆરઆઈ સાસરિયાઓએ ત્રાસ ગુજારી કાઢી મૂકી