Sardar Gurjari

બુધવાર, તા. ૨૯ નવેમ્બર, ૨૦૨૩, કારતક વદ ૨, વિ.સં. ૨૦૮૦, વર્ષ -૨૩, અંક -૧૬૨

મુખ્ય સમાચાર :
વિદ્યાનગર : સાત દિવસનું આતિથ્ય માણીને શ્રીજીને ભાવિકજનો દ્વારા ભાવભરી વિદાય
બાકરોલ તળાવમાં નાની, મોટી ૯૦થી વધુ શ્રીજી પ્રતિમાઓનું ફાયર બ્રિગેડની ટીમ દ્વારા કરાયું વિસર્જન : આણંદના ગોયા તળાવમાં શ્રીજીની ૪૫થી વધુ મૂર્તિઓનું પરંપરાનુસાર વિસર્જન કરાયું
26/09/2023 00:09 AM Send-Mail
આણંદ જિલ્લામાં ગણેશ મહોત્સવની ઉજવણીનો ઉલ્લાસ છવાયેલો છે. દસ દિવસના મહોત્સવ પૈકી કેટલાક ભાવિકજનો પ કે સાત દિવસના ગણેશ પ્રતિમા સ્થાપન કરતા હોય છે. વિદ્યાનગરમાં વર્ષોની પરંપરાનુસાર સાત દિવસની સ્થાપના બાદ આજે શ્રીજીને ભાવભરી વિદાય આપવામાં આવી હતી. શ્રીજીની વિસર્જન યાત્રા યોજીને બાકરોલ તળાવ ખાતે પારંપારિક પૂજા-અર્ચના બાદ શ્રીજી પ્રતિમાઓનું વિસર્જન કરાયું હતું. આ ઉપરાંત આણંદના ગોયા તળાવમાં પણ દિવસ દરમ્યાન ૪૫થી વધુ શ્રીજી પ્રતિમાઓનું ફાયરબ્રિગેડની ટીમ દ્વારા વિસર્જન કરાયું હતું.

વિદ્યાનગરમાં ૪૦થી વધુ જાહેર સ્થળોએ શ્રીજીની વિવિધ કદ, આકારની મનોહર પ્રતિમાઓની સ્થાપના કરવામાં આવી હતી. ગણેશ મહોત્સવ દરમયાન પૂજા-અર્ચના સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમોના પણ આયોજન કરાયા હતા.

આજે નગરના શહિદ ચોક ખાતેથી વિસર્જન યાત્રાનો પ્રારંભ કરાયો હતો. અબીલ-ગુલાલની છોળો અને ગણપતિ બાપ્પા મોરીયાના નાદ સાથે નીકળેલ યાત્રામાં એક બાદ એક ગણેશ મંડળો પોતાના શ્રીજીની પ્રતિમા સાથે જોડાતા ગયા હતા. બપોર બાદ બાકરોલ તળાવે યાત્રા પહોંચી હતી. બાકરોલ તળાવ ખાતે આણંદ પાલિકા ફાયર બ્રિગેડના ફાયર ઓફિસર ધર્મશ ગોરની આગેવાની હેઠળ ફાયર ફાઇટરોની ટીમ તરાપા સહિતના સાધનો સાથે તૈનાત હતી. ભાવિકજનો દ્વારા શ્રીજી પ્રતિમાની વિધિવત પૂજા-અર્ચના બાદ તરાપા દ્વારા ફાયર બ્રિગેડની ટીમ દ્વારા તળાવની મધ્યમાં પ્રતિમાઓને લઇ જઇને વિસર્જીત કરવામાં આવી હતી. રાત્રિના લગભગ સાડા નવ કલાક સુધી ચાલેલ આ પ્રક્રિયા દરમ્યાન ૯૦થી વધુ નાની, મોટી પ્રતિમાઓનું શાંતિપૂર્વક વિસર્જન કરવામાં આવ્યાનું જાણવા મળ્યું હતું. શ્રીજીની વિસર્જન યાત્રા પ્રસંગે વિદ્યાનગર પાલિકા દ્વારા ફલડ લાઇટ, લાઇફ જેકેટ સહિતની વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવી હતી.યાત્રા દરમ્યાન પોલીસ બંદોબસ્ત તૈનાત કરાયો હતો. ઉલ્લેખનીય છે કે, અનેક શ્રીજી ભકતોએ ઘરમાં સાત દિવસના શ્રીજીનું સ્થાપન કર્યુ હતું. જેઓએ આજે બાકરોલ તળાવ ઉપરાંત જોળની નહેર, વડતાલના તળાવ, વહેરાખાડી કે વાસદ મહીસાગર નદીમાં શ્રીજી પ્રતિમાનું વિસર્જન કર્યુ હતું.

સ.પ.યુનિ.માં સત્તા મંડળોમાં નેકની જૂની માન્યતા પ્રાપ્ત કોલેજના પ્રતિનિધિઓની નિમણૂંક શકય !

આણંદ : સમાજ સુરક્ષા અધિકારીનો ભોજનાર્થ વિહાર ને' દિવ્યાંગ અરજદારો કચેરીએ રાહ જોતા બેસી રહ્યાં

આણંદ : ૩ માસમાં બીજીવાર માવઠાંથી નુકસાન, નિયમની આંટીઘૂંટીમાં સહાય ન મળતા જગતનો તાત વિવશ

પ૦ વર્ષોથી ખંભાતના અન્નપૂર્ણા ભોજનાલય દ્વારા જરૂરતમંદો માટે અવિરત ચાલતી સાત્વિક ભોજન સેવા

ખંભોળજના પૂર્વ પીએસઆઈ દિલીપકુમાર બ્રહ્મભટ્ટ, પત્ની અને પુત્રની અમેરિકામાં હત્યા

આણંદ: સામરખા ઓવરબ્રિજની જોખમી ફૂટપાથ અકસ્માત સર્જશેની ભીતિ

ચરોતરમાં માવઠાંનું સંકટ ટળ્યું, ઉભા પાકનો સોથ વળી જતા જગતનો તાત વિવશ સ્થિતિમાં

પેટલાદ : સુણાવ કેળવણી મંડળની કારોબારી કમિટિની ૩જી ડીસેમ્બરે ચૂંટણી યોજાશે