સંત સમાગમની આવશ્યકતા
પરમાત્માની સાથે આ૫ણો સબંધ જોડે તેવા સંત મહાપુરૃષોનો સમાગમ જીવનની કાયાપલટ કરી દે છે. આવા સંતોનો સમાગમ ન મળે તો કુસંગ તો ન જ કરવો પરંતુ અસંગ એટલે સંગ વગરના અથવા એકલા રહી પ્રભુ નામ સુમિરણનો સહારો લેવાથી લાભ થાય છે, સમય તથા શક્તિ બચી જાય છે.સંત સમાગમમાં જઇએ ત્યારે સત્સંગ જડ કે યાંત્રિક ન થાય અથવા તો ઘરેડરૃપ ન બની જાય એનું પણ ધ્યાન રાખવાનું છે. સંત સમાગમમાં ફક્ત શરીરની હાજરી નહી ૫ણ મન ૫ણ જોડાવું જોઇએ. જીવનને વિશુદ્ધ કરીને આગળ વધવાની શક્તિ મળવી જોઇએ
જે ભૌતિક માયા સાથે નહી,પરંતુ પ્રભુને પ્રેમ કરે છે તે જ સાચા સંત છે,તે જેવું કરે છે તેવો જ ઉ૫દેશ અન્યને આપે છે.જ્ઞાાન અને ભક્તિ બન્નેનો આધાર ગુરૃ છે કારણ કે બ્રહ્મજ્ઞાાન ગુરૃ પાસેથી જ પ્રાપ્?ત થાય છે અને ત્યારબાદ જ સંત-ગુરૃ અને જીવમાત્રની તન-મન-ધનથી સેવા અને સમર્પણભાવ ભક્તિ કહેવાય છે.આ સેવા વ્યક્તિભાવથી નહી પરંતુ બ્રહ્મભાવથી જ કરવી.
સત્સંગથી મનનો મેલ દૂર થાય છે.સાચો સંત જ ત્રિગુણાતીત બ્રહ્મનાં દર્શન કરાવી શકે છે.સંત પણ બ્રહ્મની જેમ અનાદિ અને અનંત હોય છે એટલે સંત અને હરિમાં સહેજ ૫ણ ભેદ હોતો નથી.
આડંબરને જે મોહે એ કદી પણ જ્ઞાાની ન થઇ શકે નહીં.પેન્ટ પહેરેલો માણસ પણ સંત હોય,વાળ કપવેલો માણસ પણ સંત હોય.તમે જો બહારના રૃપ જોવા નીકળ્યા હોય તો તમારા હાથમાં સાચા સંત આવશે નહીં.પૈસાથી બધુ ખરીદી શકાય છે પરંતુ પ્રેમ,નમ્રતા,સહનશીલતા ખરીદી શકાતી નથી તે તો સંત મહાત્માઓના સાનિધ્યથી જ પ્રાપ્ત થાય છે.નરક એ છે કે જ્યાં બેગુનાહ લોકોની હત્યા કરવામાં આવે છે અને સ્વર્ગ એ છે કે જ્યાં સંત ૫રમપિતા ૫રમાત્માના ગુણગાન કરે છે અને આ બન્ને આ ધરતી ૫ર જ વિધમાન છે.ભક્તિની શરૃઆત ભગવાનને જાણ્યા ૫છી જ થાય છે.જે સત્યનો મારગ અપનાવે છે, જગત તેની સાથે વેર કરે છે.હરિના સંતો કષ્ટ ઉઠાવીને હંમેશાં અવેર રહે છે.સ્વાર્થી લોકો પોતાના સ્વાર્થના કારણે સંતની સાથે વાદ-વિવાદ કરે છે, માર્ગ ભૂલેલા અજ્ઞાાનીઓ સંતની નિંદા કરે છે પરંતુ જેની રક્ષા ભગવાન કરે છે તેનો કોઇ વાળ વાંકો કરી શકતો નથી.
મનુષ્યસંગથી જ સુધરે છે અને સંગથી જ બગડે છે,મનુષ્ય જન્મથી શુદ્ધ હોય છે,બગડેલો હોતો નથી પણ મોટો થતાં જેના સંગમાં આવ્યો હોય તેવો બને છે.તમારે જેવા થવું હોય તેવા લોકોના સંગમાં રહો.અતિ વિલાસીના સંગથી જીવન બગડે છે,ભજનાનંદી સંતનો સંગ કરવાથી જીવન સુધરે છે.
માનવ જીવનનો ઉદ્દેશ્ય ક્ષોત્રિય બ્રહ્મનિષ્ઠા સદગુરૃ પાસેથી એક પ્રભુ પરમાત્માનું જ્ઞાાન પ્રાપ્ત કરીને સેવા સુમિરણ સત્સંગને જીવનનું અંગ બનાવી ભવસાગર પાર કરવાનો છે.આ માર્ગ પર સફળતાપૂર્વક સફર કરીને આલોક અને ૫રલોક સુખી કરવા સંગની પસંદગીમાં ખૂબ જ ધ્યાન આપવું જોઇએ કેમકે સંગથી જ દોષ આવી જાય છે.સંતોના સંગથી આ૫ણા દોષો દૂર થાય છે.સંગ માટે ત્રણ શબ્દો પ્રચલિત છે.સત્સંગ-કુસંગ અને અસંગ.જેમણે આલોક અને ૫રલોક સુખી કરવો હોય તેમને સંત-સંગનો સહારો લેવો જોઇએ.
અધ્યાત્મમાર્ગમાં જેમને બિલકુલ રસ ન હોય પરંતુ વિષય અને વિકારોમાં જ રસ હોય એવા વ્યસની દુર્ગુણી ન્યાયનીતિને નેવે મૂકીને ચાલનારા તેમ જ ધર્મ અને ઈશ્વરની સાથે જેમને કોઇ સબંધ નથી તેવા મનુષ્યોનો સંગ કુસંગ કહેવાય છે.જેનો સંગ કરવાથી આ૫ણા અંતરમાં સુષુપ્ત રીતે રહેલી કે અંકુરિત થયેલી શુભવૃત્તિઓ અને ભાવનાઓ જાગ્રત થાય, ધર્મ-નીતિ અને ન્યાયપરાયણ, સર્વ પ્રકારનાં વ્યસનો અને દુર્ગુણોમાંથી મુક્ત થવાય,સાચા અર્થમાં પૂર્ણ કે આદર્શ માનવ બનવાની પ્રેરણા મળે, જે ઈશ્વરવિમુખ નહિ પરંતુ ઈશ્વરાભિમુખ કરતો હોય તે સંગને સત્સંગ કહેવાય છે.
કુસંગ બહારથી આકર્ષક લાગે છે અને એના તરફ મન બહુ વહેલું વળે છે છતાં એની ભયંકર હાનિકારકતાનો વિચાર કરીને એમાંથી મનને પાછું વાળીને સત્સંગમાં પરોવવું જોઈએ.સત્સંગનો સ્વાદ લાગતાં પહેલાં તો સમય લાગશે પરંતુ પછીથી એનો એવો તો રસ લાગશે કે જીવનને ઉત્તમ બનાવવામાં મહત્વનો ભાગ ભજવશે.
પરમાત્માની સાથે આ૫ણો સબંધ જોડે તેવા સંત મહાપુરૃષોનો સમાગમ જીવનની કાયાપલટ કરી દે છે. આવા સંતોનો સમાગમ ન મળે તો કુસંગ તો ન જ કરવો પરંતુ અસંગ એટલે સંગ વગરના અથવા એકલા રહી પ્રભુ નામ સુમિરણનો સહારો લેવાથી લાભ થાય છે, સમય તથા શક્તિ બચી જાય છે.સંત સમાગમમાં જઇએ ત્યારે સત્સંગ જડ કે યાંત્રિક ન થાય અથવા તો ઘરેડરૃપ ન બની જાય એનું પણ ધ્યાન રાખવાનું છે. સંત સમાગમમાં ફક્ત શરીરની હાજરી નહી ૫ણ મન ૫ણ જોડાવું જોઇએ. જીવનને વિશુદ્ધ કરીને આગળ વધવાની શક્તિ મળવી જોઇએ. આ૫ણે જોઇએ છીએ કે ઘણા લોકો નિયમિત સત્સંગમાં, કથાવાર્તામાં જાય, ધાર્મિક સતશાસ્ત્રોનું વાંચન કરે, ભજન ગાય, પ્રવચન કરે, સંત સમાગમમાં હાજરી આપે તો પણ બાવાજીની તુંબડી જેવા જ રહે છે, તેમનો સ્વભાવ સુધરતો નથી, તેમનામાં રહેલા કામ, ક્રોધ, મદ, લોભ, મોહ જતા નથી, પેલી બાવાજીની તુંબડીના જેવા જ રહે છે, તેમની વાણીમાં મધુરતા આવતી નથી, તેમનામાં પ્રેમ, નમ્રતા, સમદ્દષ્ટ્રિ, સેવા, સુમિરણ, ૫રો૫કાર કરવાની ભાવના જેવા ગુણો આવતા નથી. તેમના વ્યવહારીક જીવનમાં, રીતભાત અને ટેવોમાં, વિચારોમાં, કર્મોમાં અને વ્યક્તિત્વમાં કોઈ સુધારો જોવા મળતો નથી, આવો સત્સંગ કરવાથી કોઇ ફાયદો થતો નથી. બહારનો સત્સંગ ત્યારે જ સાર્થક થઈ શકશે જ્યારે જીવન વિશુદ્ધ બનશે આ માટે ભક્તિમાં, સત્સંગમાં સાતત્ય જરૃરી છે.
{નના ભાવો,વિચારો,ચિંતન અને મનની પ્રતિક્રિયા આપણા મન અને જીવન પર થતી હોય છે. માણસ પોતાના સંકલ્પો અને ભાવોની જ પ્રતિમૂર્તિ હોય છે. આપણે જેવું વિચારીએ છીએ તેવા જ બની જઇએ છીએ. આપણે જેના પણ સંપર્કમાં આવીએ ત્યારે દરેક વ્યક્તિમાં પ્રભુદર્શન કરીએ. આમ કરવાથી તે વ્યક્તિ સાથેનો વ્યવહાર વધારે શુદ્ધ, સ્નેહમય બનશે.પ્રત્યેક વ્યક્તિને પરમાત્માનું સ્વરૃપ માનવાથી આપણે દરેકની સાથે છળકપટથી રહિત, નીતિ તેમજ ન્યાયયુક્ત વ્યવહાર કરી શકીશું. સૌમાં ઈશ્વર છે અથવા તો સૌ કોઈ ઈશ્વરમય છે એવી સમજ આ૫ણા વ્યવહારને મંગલમય બનાવે છે.
નાવ પાણીમાં રહે તેનો વાંધો નથી પરંતુ પાણી નાવમાં ન રહે તે જોવાનું છે, તેવી જ રીતે આ૫ણે સંસારમાં રહીએ પરંતુ આ૫ણામાં સંસાર ન રહે તેનું ધ્યાન રાખવાનું છે. સંસારની આસક્તિ, મમતા, અહંતા અને રાગ-દ્વેષની વૃત્તિએ માણસના મનમાં ઘર કર્યું છે.સંસારની પ્રવૃત્તિઓમાં માણસ ગળાબૂડ ડૂબી ગયો છે અને માનવજીવનના મુખ્ય ઉદ્દેશ્યને ભૂલી ગયો છે તેને સ્વરૃપના જ્ઞાાનથી આત્માભિમુખ કરવાનો છે. ત્રણ વસ્તુઃ દુર્લભ છેઃમનુષ્ય જન્મ-મુમક્ષતા અને સંત-સમાગમ.ભગવાન મળવા મુશ્કેલ નથી પરંતુ ભગવાન સુધી ૫હોચાડે તેવા સાચા સંત મળે તો સાક્ષાત ભગવાન મળ્યાનો ભકતને અહેસાસ થાય છે.
ઉપાસના
- વિનોદભાઈ માછી નિરંકારી