આણંદ જિલ્લામાં વર્ષ દરમ્યાન આયુષ્માન ભારતના ૧૬૯૭૬ લાભાર્થીઓના કલેઇમ પેટે ૩૩.૫૪ કરોડનું ચૂકવણું
જન્મજાત ખામી ધરાવતા ૯૪ બાળકોને અમદાવાદ સિવિલમાં રીફર કરાયા, હદયરોગના ૧૬૧ બાળકોને સારવાર અપાઇ
આણંદ જિલ્લામાં આયુષ્માન ભારત યોજના અંતર્ગત ૬,૮ર,ર૭૧ લાભાર્થીઓની નોંધણી કરવામાં આવી છે. તે પૈકી વર્ષ ર૦ર૩-ર૪માં ૧૬૯૭૬ લાભાર્થીઓને આરોગ્યલક્ષી સેવા પૂરી પાડવા બદલ રૂ. ૩૩.પ૪ કરોડ ઉપરાંતની રકમનું ચૂકવણું કરવામાં આવ્યું છે.
આણંદ જિલ્લામાં કાર્યરત ૩૬ મોબાઇલ હેલ્થ ટીમ દ્વારા સરકારી અને ખાનગી હોસ્પિટલમાં નવા જન્મેલા કુલ ૩ર૦૧૦ બાળકોની તપાસ કરવામાં આવી હતી. જેમાં જન્મજાત ખામી સાથે જન્મેલા ૯૪ બાળકોને સારવાર માટે રીફર કરીને આ ભૂલકાંઓને નવજીવન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત જિલ્લામાં રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ વર્ષ ર૦ર૩-ર૪માં પ,૬૬,૭૪૪ બાળકોની આરોગ્ય તપાસણી કરવામાં આવી હતી. જેમાં જન્મજાત હદય રોગ, ફાટેલા હોઠ તાળવાની તકલીફ,પગ વાંકાચૂંકા હોય, ડાઉન સિન્ડ્રોમ સહિતના કુલ ર૮૬ ખામીવાળા બાળકોને વધુ સારવાર માટે નિષ્ણાંત તબીબ પાસે મોકલીને સારવાર આપવામાં આવ્યાનું મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.દીપક પરમારે જણાવ્યું હતું.
વધુમાં ૩૬ મોબાઇલ હેલ્થ ટીમ દ્વારા ઉણપ ધરાવતા ૯૭૮૬ બાળકો, બાળપણમાં તા રોગો ધરાવતા ર૦૩૭ર બાળકો અને વિકાસલક્ષી વિલંબ, વિકલાંગતા ધરાવતા ૧૦૧૮ બાળકોને શોધીને તેઓને યોગ્ય સારવાર આપી, આરોગ્ય સુધારવામાં પણ આ ટીમ દ્વારા મહત્વનું યોગદાન આપવામાં આવ્યું છે.