Sardar Gurjari

૨૬-૨-૨૦૧૪, બુધવાર

મુખ્ય સમાચાર :
કેન્દ્ર સરકારનું સરોગેસી નિયમ-૨૦૨૨માં સંશોધન ડોનર ગેમેટનો ઉપયોગ કરીને સરોગેસીની મંજૂરી
જોકે આ પ્રકારની સરોગેસી માટે જિલ્લા મેડિકલ બોર્ડે એ પ્રમાણિત કરવું પડશે કે પતિ અથવા પત્નીમાંથી કોઈ એક એવી સ્થિતિથી પીડિત છે
24/02/2024 00:02 AM Send-Mail
કેન્દ્ર સરકારે સરોગેસી માટે માં-બાપ બનવાનું સપનું દેખાડવા માટે આશાનું એક નવું કિરણ દેખાડયું છે. આવો જાણીએ કે, સરોગેસી નિયમમાં શું ફેરફાર આવ્યા છે અને શું ફેરફાર આવવાના છે.

સરોગેસી દ્વારા માતા-પિતા બનવાનું સપનું જોનારા માટે કેન્દ્ર સરકારે નવો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારે પોતાના નવા નિર્ણયમાં સરોગેસી નિયમ, ૨૦૨૨માં સંશોધન કર્યું છે, જેથી ડોનર ગેમેટના એગ્સ અને સ્પમનો ઉપયોગ કરવાની મંજૂરી આપી દીધી છે. આની સાથે એ શરત રાખી છે કે, કપલમાંથી એકની તબીબી સ્થિતિ જે તેમને તેમના ગેમેટનો ઉપયોગ કરવામાં અસમર્થ બનાવે છે.

સરકાર દ્વારા જાહેર કરાયેલ સરોગેસી સંશોધન નિયમ ૨૦૨૪માં કહેવામાં આવ્યું છે કે, જિલ્લા મેડિકલ બોર્ડે આ પ્રમાણિત કરવું પડશે કે પતિ અથવા પત્નીમાંથી કોઈ એક એવી સ્થિતિથી પીડિત છે.વધુમાં કહેવાયું છે કે, ડોનર ગેમેટનો ઉપયોગ કરીને સરોગેસીની મંજૂરી આ શરતને આધીન છે કે સરોગેસીના માધ્યમથી જન્મનારા બાળકની બાસે ઈચ્છુક કપલથી ઓછામાં ઓછા એક ગેમેટ હોવું જોઈએ. સરોગેસીથી પસાર થનારી સિંગલ મહિલાઓને સરોગેસી પ્રક્રિયાનો લાભ ઉઠાવવા માટે પોતાના એગ અથવા દાતા શુક્રાણુનો ઉપયોગ કરવો પડશે. માર્ચ ૨૦૨૩માં કેન્દ્ર સરકાર દ્વારા જાહેર એક નોટિફિકેશનમાં સરોગેસી કરાવવા ઈચ્છુક કપલ માટે ડોનર ગેમેટ પર પ્રતિબંધ લગાવી દેવાયો હતો, જેના કારણે કોર્ટથી રાહતની માંગ કરતા અરજી દાખલ કરાઈ. આ અરજીઓમાં મેડિકલ રિપોર્ટના આધારે એ બતાવાયું હતું કે, તેઓ ઈંડા ઉત્પન્ન કરવામાં અસમર્થ હતા. નોટિફિકેશનમાં કહેવાયું છે કે, ઈચ્છુક સિંગલ માતાઓ પણ ડોનર માતાના ઈંડાનો ઉપયોગ નથી કરી શકતી. કેટલીક અરજીઓ મળ્યા બાદ સુપ્રીમ કોર્ટે સરકારને પોતાની ૨૦૨૩ની નોટિફિકેશન પર પુનર્વિચાર કરવા કહ્યું હતું.

યમુના નદીના ૨૩ સ્થળો પાણીની ગુણવત્તા પરીક્ષણમાં ફેલ : સંસદીય સમિતિનો અહેવાલ

ઓનલાઈન ટેક્ષી બુકિંગમાં ભેદભાવનો મામલો સંસદમાં, આઈફોન યુઝર્સ પાસેથી વધુ ભાડુ વસૂલવાનો આરોપ

તમિલનાડુ સરકારે બજેટ ડોક્યુમેન્ટમાંથી રૂપિયાનું ચિહ્ન હટાવ્યું

બદલાપુર જાતીય શોષણના આરોપીનું એન્કાઉન્ટર નકલી, એફઆઈઆર કેમ ન કરી : બોમ્બે હાઈકોર્ટ

મદ્રાસ હાઈકોર્ટે જેએમઆઈ લો ફર્મની તપાસ કરવા સીઆઈડીને આપ્યા આદેશ

સહાયક પુરાવા વિના મૃત્યુપૂર્વના નિવેદનના આધારે કોઈને દોષિત ન ઠેરવી શકાય: સુપ્રિમ

પદભ્રષ્ટ કરાયેલા ભૂતપૂર્વ ન્યાયાધીશ હાઈકોર્ટના જજ જેટલું પેન્શન મેળવવા માટે હકદાર : બોમ્બે હાઈકોર્ટ

તમિલનાડુમાં સરકારી નોકરી માટે તમિલ ભાષા જરૂરી : મદ્રાસ હાઈકોર્ટ