Sardar Gurjari

સોમવાર, તા. ૧૯ મે, ૨૦૨૫, વૈશાખ વદ ૬, વિ.સં. ૨૦૮૧, વર્ષ -૨૪, અંક -૩૨૯

મુખ્ય સમાચાર :
ડિજિટલ ઇન્ડિયાનો પોકળ નારો : આણંદ જિલ્લાની પ૬ર સરકારી શાળાઓમાં કમ્પ્યૂટર ખરા પણ ૧૪ વર્ષથી શિક્ષકોની ભરતી જ કરી નથી!
પ્રાથમિક કક્ષાએથી જ વિદ્યાર્થી ઇ-જ્ઞાન મેળવે તે માટે શાળાઓને કમ્પ્યૂટર સહિત સાધનો ફાળવાયા હતા, સ્માર્ટકલાસનો પણ પ્રચાર-પ્રસાર
13/07/2024 00:07 AM Send-Mail
અનેક શાળાઓમાં નેટ કનેકિટીવીટીની સમસ્યાથી કમ્પ્યૂટર શોભાના ગાંઠીયા સમાન!
નવાઇની વાત એ છે કે રાજય સરકાર દ્વારા મોટા ઉપાડે આણંદ જિલ્લાની સરકારી શાળાઓમાં ફાળવેલ કમ્પ્યૂટરલેબમાં નેટ કનેકિટીવીટી નિયમિત છે કે કેમ તેનું મોનેટરીંગ કરવાની સીસ્ટમ જ ગોઠવવામાં આવી નથી. સરકાર દ્વારા નિયત કરાયેલ રાજયની એજન્સી દ્વારા શાળાઓમાં નેટ કનેકિટીવીટીનું કામ કરવામાં આવ ેછે. પરંતુ સમયાંતરે તેમાં કોઇ ક્ષતિ કે કનેકિટીવીટી ખોટકાવાના સમયે એજન્સીને વારંવાર ફોન કરવા છતાંયે સમયસર ચકાસણી માટે ટીમ આવતી ન હોવાનું દબાતા સૂરે શાળાના આચાર્યો જણાવી રહ્યા છે. જયારે અંતરિયાળ વિસ્તારના વિકાસના નામે ત્યાં ફાળવાયેલ કમ્પ્યૂટરો પણ નેટ સુવિધાના કમઠાણથી માત્ર શોભાના ગાંઠિયાની જેમ ગોઠવાયેલા જોવા મળી રહ્યાનું જાણવા મળે છે.

વિષય શિક્ષકોની ભરતીનો નિર્ણય રાજયસ્તરેથી થાય છે : સર્વશિક્ષા અભિયાન
આણંદ જિલ્લા સર્વ શિક્ષા અભિયાનના સૂત્રોએ જણાવ્યુ ંહતું કે, જિલ્લાની સરકારી શાળાઓમાં વખતોવખત સરકારની સૂચના મુજબ મોકલવામાં આવતા કમ્પ્યૂટરને જે-તે શાળામાં સેટઅપ કરવામાં આવે છે. પરંતુ કમ્પ્યૂટર વિષયના શિક્ષકોની ભરતી કરવા અંગેનો નિર્ણય જિલ્લાકક્ષાએથી નહીં પરંતુ રાજયસ્તરેથી લેવાતો હોય છે. હાલમાં કમ્પ્યૂટર ધરાવતી શાળાઓમાં વિવિધ વિષયના શિક્ષકો પોતાના વિષય અભ્યાસ કમ્પ્યૂટર સ્ક્રીન અને સ્માર્ટકલાસમાં મોટા સ્ક્રીન પર બાળકોને કરાવી રહ્યા છે.

પ્રાથમિક-માધ્યમિક શાળાઓમાં ૧પ વર્ષથી ચિત્ર શિક્ષકની ભરતી જ થઇ નથી : રાજય કલાશિક્ષક સંઘ
આધુનિક શિક્ષણની સાથે વિદ્યાર્થી પોતાના કૌશલ્ય, આત્મસૂઝ અને ગમતા વિષયમાં અગ્રેસર બને તેવા દાવા સાથે સરકાર વિવિધ અભિયાનો ચલાવી રહી છે પરંતુ છેલ્લા ૧પ-૧પ વર્ષથી શાળાઓમાં ભણાવાતા ચિત્ર વિષયના કાયમી શિક્ષકોની ભરતી જ કરવામાં ન આવ્યાનો સણસણતો આક્ષેપ રાજય કલા શિક્ષક સંઘે કર્યો હતો. જેના પ્રમુખ પરેશ સેવકે જણાવ્યું હતું કે, પ્રાથમિક અને માધ્યમિક શાળામાં મૂળભૂત અને પાયાના જે વિષયોમાં વિદ્યાર્થી પોતાની સર્જન શકિત ખીલવી શકે છે, કલ્પના શકિત વિકસાવી શકે છે અને કૌશલ્યને શિક્ષણ દ્વારા વધુ ઓપ આપીને રોજગારી માટેનો આયામ પણ બનાવી શકે છે. પરંતુ ચિત્ર સહિતના આ પ્રકારના કૌશલ્યવર્ધક અને ભવિષ્યમાં રોજગારી અપાવી શકે તેવા વિષયોના શિક્ષકોની ભરતી જ કરવામાં આવી રહી નથી. વધુમાં જણાવ્યું હતું કે, દર વર્ષ સરકાર દ્વારા કલા મહાકુંભ અને કલા મહોત્સવના મોટા આયોજનો કરાય છે પરંતુ છેવાડાની પ્રાથમિક, માધ્યમિક શાળાઓમાં ચિત્ર શિક્ષકો જ ન હોવાની કડવી વાસ્તવિકતા જોવા મળે છે. જેના કારણે ખાનગી શાળાઓના બાળકો કલા મહોત્સવમાં ઝળકતા હોવા સામે સરકારી શાળાઓમાં વિષય શિક્ષક-માર્ગદર્શનના અભાવે ગ્રામ્ય બાળકો કૌશલ્ય ખીલવી શકતા નથી. ચિત્ર વિષયમાં પારંગત બનેલ ઉમેદવારો દોઢ દસકાથી નોકરીની રાહ જોઇને બેસી રહ્યા છે અને ન છૂટકે પરિવારના પાલનપોષણ માટે અન્ય વ્યવસાય તરફ વળી રહ્યા છે.

સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓને ખાનગી શાળાઓ જેવી જ સુવિધા, નવી અભ્યાસશૈલી ઉપલબ્ધ થાય તેવા સરકાર દ્વારા કરાતા પ્રચાર-પ્રસાર વચ્ચે અગાઉ કમ્પ્યૂટર લેબ બનાવવાનું જાહેર કરાયુ હતું. આણંદ જિલ્લાની આશરે પ૬ર સરકારી શાળાઓમાં કમ્પ્યૂટર તો વર્ષોથી ફાળવાયા છે પરંતુ અન્ય વિષય શિક્ષકોની જેમ કમ્પ્યૂટર વિષયના શિક્ષકોની છેલ્લા ૧૪ વર્ષથી ભરતી જ કરવામાં આવી નથી. જેથી વિદ્યાર્થીઓને ઇ-જ્ઞાન મેળવતા કરવા માટેનો સરકારી ડિજિટલ ઇન્ડિયાનો દેખાડો હાસ્યાસ્પદ બન્યો છે. બીજી તરફ કમ્પ્યૂટરક્ષેત્રે ડિગ્રી મેળવનાર હજારો યુવાઓ નોકરીની રાહ જોતા હાલ બેરોજગારની સ્થિતિમાં મૂકાયા છે.

રાજય સરકારે તાજેતરમાં ર૪ હજારથી વધુ શિક્ષકોની ભરતીની જાહેરાત કરી હતી. પરંતુ તેમાં કમ્પ્યૂટર, વ્યાયામ, ચિત્ર-સંગીત વગેરેની અલગ ભરતીની જાહેરાત જ કરવામાં આવી નથી. આથી આ લાયકાત ધરાવતા ટેટ-ટાટ ઉમેદવારોમાં રોષ વ્યાપ્યો છે. ડિગ્રી મેળવનાર ઉમેદવારોનું કહેવું છે કે, શિક્ષણ વિભાગ શાળાઓમાં લાખોના ખર્ચ કમ્પ્યૂટર લેબ વસાવી રહી છે પરંતુ તેના શિક્ષકોની ભરતી જ કરવામાં આવતી નથી તો વિદ્યાર્થીઓ પાયાનું જ્ઞાન કેવી રીતે મેળવશે? જેના કારણે સમય વીતતા કમ્પ્યૂટર ધૂળ ખાતી હાલતમાં મૂકાશેની સ્થિતિ સર્જાશે.

વધુમાં જણાવ્યું હતું કે, છેલ્લા ૧૭ વર્ષથી અમારી પરીક્ષા લેવામાં આવે છે. છેલ્લે ર૦૧૮માં પરીક્ષા લેવાઇ હતી પરંતુ અમારા બદલે ફાજલ શિક્ષકોને સમાવી લેવામાં આવ્યા હતા. ર૦૧૧થી કમ્પ્યૂટર શિક્ષકની ભરતી જ કરવામાં આવી નથી. મતલબ કે ૧૪-૧૪ વર્ષથી કમ્પ્યૂટર શિક્ષકોની ભરતી કરવામાં આવી નથી અને સરકાર ડિજિટલ સ્ટડીનું ગાણું ગાઇ રહી છે.

આણંદ જિલ્લામાં કલીનીકલ એસ્ટાબ્લીશમેન્ટ એકટના ૭ માસ બાદ પણ માત્ર ૧૦૭૮ થયેલ અરજી, ૧૦ર૪ મંજૂર

અંતે ઉમરેઠથી ઓડ તરફેના ત્રિમાર્ગીય રસ્તાનું કરાયું ડામરકામ

ખંભાત : ૧.૯૦ લાખના ચેક રીર્ટન કેસમાં મહિલાને ૧ વર્ષની કેદની સજા

આણંદ : બ્રેનડેડના અંગદાન થકી જીવન જીવવા લાચાર બનેલ દર્દીઓને મળતું ‘નવજીવન’

આણંદ મનપામાં સમાવેશ થયાને ૪ માસ ઉપરાંતનો સમય છતાંયે ૪ ગામોના રહિશોને વેરો કયાં ભરવોની ‘વિમાસણ’ !

નડિયાદમાં રોગચાળાનો કહેર : ઝાડા-ઉલ્ટીના વધુ પ૦ કેસ નોંધાયા

આણંદ જિલ્લામાં ચોથા વર્ષ ડેન્ગ્યુ પોઝિટિવ કેસોમાં નોંધાયો ઘટાડો

પેટલાદ : ગર્ભ પરીક્ષણ મામલે ઇશિતા હોસ્પિટલનું સોનોગ્રાફી મશીન સીલ