Sardar Gurjari

સોમવાર, તા. ૧૯ મે, ૨૦૨૫, વૈશાખ વદ ૬, વિ.સં. ૨૦૮૧, વર્ષ -૨૪, અંક -૩૨૯

મુખ્ય સમાચાર :
સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા 'માતૃશ્રી અહલ્યાબાઈ હોળકર- સંિક્ષપ્ત ચરિત્ર' પુસ્તકનું વિમોચન
માનવ જીવનના મૂલ્યો સ્થાપવામાં મહારાણી અહલ્યાબાઈનું ખૂબ જ મોટુ યોગદાન છે : રાજમાતા શુભાંગીની દેવીરાજે
13/07/2024 00:07 AM Send-Mail
સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા માતૃશ્રી અહલ્યાબાઈ હોળકર- સંિક્ષપ્ત ચરિત્ર પુસ્તક વિમોચન અને વ્યાખ્યાનનું આયોજન યુનિવર્સિટીના કુલપતિ પ્રો.(ડો.) નિરંજન પટેલના અધ્યક્ષ પદે કરાયું હતું.

આ કાર્યક્રમમાં રાજમાતા અને ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાના ચાન્સેલર શુભાંગિનીદેવીરાજે ગાયકવાડ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતાં. ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન બોર્ડના ભૂતપૂર્વ મેમ્બર અને જીટીયુના પૂર્વ પ્રોફેસર શ્રુતિબહેન આણેરાવએ 'પુણ્યશ્લોક લોકમાતા દેવી અહલ્યાબાઈ હોળકર' વિષય પર વક્તવ્ય આપ્યું હતું.

પ્રો.ડો. નિરંજનભાઈ પટેલે શાબ્દિક સ્વાગત કરતાં જણાવ્યું હતું કે ભારત વિદેશી આક્રમણોથી પરતંત્ર રહ્યું તેમાં પ્રકાશના કિરણો સમાન મહારાણી અહલ્યાબાઈ હોળકરે પોતાના વિચારો તથા નૈતિક આચરણો દ્વારા તે સમયના સમાજને ભારતીયતાના સંદર્ભ દિશા દોરી હતી. તેઓ માનતા હતા કે સમાનતા માત્ર અધિકાર નથી એ ફરજ પણ છે, જે તેમણે સિધ્ધ કરી બતાવ્યું. જે આજના યુવા વર્ગને સતત પ્રેરણા આપતું રહ્યું છે. જ્યારે કોઈ રાષ્ટ્ર કહે કે તે સમૃદ્ઘ અને સશક્ત છે ત્યારે તેનો સીધો અર્થએ થાય છે કે તે દેશનો પ્રત્યેક યુવા રાષ્ટ્રભક્તિ અને રાષ્ટ્રનિર્માણની ભાવના લઈને ચાલી રહ્યો છે. આ વર્ષ મહારાણી અહલ્યાબાઈ હોળકરનું પુણ્યસ્મરણ કરી તેઓના કાર્યથી પ્રેરણા લઈ આજની અને આવનાર પેઢીના ઘડતર કરવાના હેતુસર અને શાળાના બાળકો સુધી મહારાણી અહલ્યાબાઈ હોળકરનું જીવન ચરિત્ર પહોંચી શકે એ માટે આ પુસ્તકનું પ્રકાશન કરવામાં આવ્યું છે. કાર્યક્રમના મુખ્ય વક્તા ડો. શ્રુતિ આણેરાવે મહારાણી અહલ્યાબાઈ હોળકરના જન્મથી લઈ સમગ્ર જીવન દરમ્યાન કરેલાં કાર્યોથી સૌને અવગત કરાવ્યા હતાં. તેઓએ આજથી ૩૦૦ વર્ષ પહેલાના મહારાણી અહલ્યાબાઈ હોળકરની શાસનવ્યવસ્થા અને સાંપ્રત સમયની સરખામણી કરતાં સુશાસન, પર્યાવરણ, ગ્લોબલ વોર્મિંગ, ન્યાય વ્યવસ્થા વગેરે વિષયો પર વાત કરી હતી. મહારાણી શુભાંગિની દેવીરાજે ગાયકવાડે જણાવ્યું હતું કે ભારતમાતાની ધરતી પર અનેક પ્રેરણાદાયી વ્યક્તિઓનો જન્મ થયો, જેઓએ પોતાના કાર્યોથી અને વિચારોથી ભારતની ધરતીને પવિત્ર બનાવી તેવુ જ એક વ્યક્તિત્વ એટલે મહારાણી અહલ્યાબાઈ હોળકર, જેઓએ માનવજીવનના મૂલ્યો સ્થાપવામાં ખૂબ મોટુ યોગદાન આપ્યું. અંતે કાર્યક્રમની આભારવિધી કુલસચિવ ડો. ભાઈલાલભાઈ પટેલે કરી હતી.

આણંદ જિલ્લામાં કલીનીકલ એસ્ટાબ્લીશમેન્ટ એકટના ૭ માસ બાદ પણ માત્ર ૧૦૭૮ થયેલ અરજી, ૧૦ર૪ મંજૂર

અંતે ઉમરેઠથી ઓડ તરફેના ત્રિમાર્ગીય રસ્તાનું કરાયું ડામરકામ

ખંભાત : ૧.૯૦ લાખના ચેક રીર્ટન કેસમાં મહિલાને ૧ વર્ષની કેદની સજા

આણંદ : બ્રેનડેડના અંગદાન થકી જીવન જીવવા લાચાર બનેલ દર્દીઓને મળતું ‘નવજીવન’

આણંદ મનપામાં સમાવેશ થયાને ૪ માસ ઉપરાંતનો સમય છતાંયે ૪ ગામોના રહિશોને વેરો કયાં ભરવોની ‘વિમાસણ’ !

નડિયાદમાં રોગચાળાનો કહેર : ઝાડા-ઉલ્ટીના વધુ પ૦ કેસ નોંધાયા

આણંદ જિલ્લામાં ચોથા વર્ષ ડેન્ગ્યુ પોઝિટિવ કેસોમાં નોંધાયો ઘટાડો

પેટલાદ : ગર્ભ પરીક્ષણ મામલે ઇશિતા હોસ્પિટલનું સોનોગ્રાફી મશીન સીલ