Sardar Gurjari

ગુરુવાર, તા. ૨૪ એપ્રિલ, ૨૦૨૫, ચૈત્ર વદ ૧૧, વિ.સં. ૨૦૮૧, વર્ષ -૨૪, અંક -૩૦૪

મુખ્ય સમાચાર :
કર્મચારીઓને ગુજરાત સરકારની ચીમકી પગાર જોઈતો હોય તો રજિસ્ટ્રેશન કરો
-જો કર્મયોગી એપમાં યુઝર રજિસ્ટ્રેશન નહીં કર્યુ તો હવે પગાર અટકાવાશે -રજિસ્ટ્રેશન થયાનું સર્ટિફિકેટ રજૂ કરવું પડશે
06/09/2024 00:09 AM Send-Mail
સચિવાલયના તમામ વિભાગ અને તાબા હેઠળની કચેરીમાં કાર્યરત કર્મચારી તથા અધિકારીઓ દ્વારા થતી કામગીરીની નોંધણી કર્મયોગી એપ્લિકેશનમાં કરવામાં આવે છે. માનવ સંસાધન વ્યવસ્થાપન પ્રણાલીના ભાગરૂપે કર્મયોગી એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે.આ એપ્લિકેશનનો ઉપયોગતમામ કર્મચારી-અધિકારીઓ કરે તે માટે વખતોવખત સૂચનાઓ પણ જાહેર કરવામાં આવી છે,ત્યારે જુલાઇના અંતમાં એપ્લિકેશનના યુઝર રજિસ્ટ્રેશન સંદર્ભ વધુ એક ઠરાવ સામાન્ય વહીવટ વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે. જેમાં કર્મયોગી એપમાં યુઝર રજિસ્ટ્રેશન નહીં હોય તો તેનો પગાર અટકાવવાનો નિર્ણય કર્યો છે.

આ સુધારા ઠરાવ અંતર્ગત જે તે કચેરીના મંજૂર કર્મચારી મહેકમ મુજબની જગ્યા કર્મયોગી એપ્લિકેશનમાં ઊભી થયા બાદ કચેરી ખાતે એડમિન રાઇટ મેળવ્યા બાદ જે તે કચેરી દ્વારા એડમિન લોગ ઇનમાંથી યુઝર રજિસ્ટ્રેશનની કામગીરી પૂરી કરવાની રહેશે . જો આ કામગીરી નહીં કરવામાં આવે તો સંબંધિત કચેરીના વડાનો સપ્ટેમ્બરનો પગાર રોકવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત સંબંધિત કચેરીના વડા દ્વારા જે તે મહિનાના પગાર બિલ સાથે કચેરીના તમામ કર્મચારીનું રજિસ્ટ્રેશન કર્મયોગી એપ્લિકેશનમાં થઇ ગયા અંગેનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. તિજોરી અધિકારી દ્વારા પ્રમાણપત્રની ખાતરી કર્યા બાદ જ પગાર બિલ અંગે કાર્યવાહી કરવામાં આવશે તેમ પરિપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

ગત માર્ચ મહિના દરમિયાન પણ સરકાર દ્વારા વધુ અત્યાધુનિક રીતે ઓનલાઇન મહત્તમ કામગીરી થાય તે માટે કર્મયોગી એપ્લિકેશન ૨.૦ લોન્ચ કરવામાં આવી હતી. જેમાં તબક્કાવાર લીવ, એલટીસી, વાર્ષિક કામગીરી મૂલ્યાંકન અહેવાલ, કર્મચારીની નોંધણી, સર્વિસ બુક વિગેરે મોડયુલ્સને આવરી લેવાનું આયોજન કરવામાં આવ્યું હતું. હાલ સાથી એપ્લિકેશન પરથી છેલ્લા ત્રણ વર્ષનો કામગીરી મૂલ્યાંકન અહેવાલ કર્મયોગી ઉપર તબદીલ કરાયો છે. પ્રથમ તબક્કાના પાયલોટ પ્રોજેકટમાં લીવ અને એલટીસી મોડયુલસનું પરીક્ષણ સફળ થતા સાથી એપ્લિકેશન ૨.૦ હેઠળ સચિવાલયના તમામ અધિકારી-કર્મચારીઓ સમાવાયા હતા. આ સમયે એટલે કે ૨૨ માર્ચથી જ રજા, એલટીસી, વાર્ષિક કામગીરી મૂલ્યાંકન અહેવાલની અરજી કર્મયોગી એપ્લિકેશન ૨.૦ પરથી કરવા જીએડી દ્વારા સુચના આપવામાં આવી હતી. આગામી સમયમાં અન્ય ડેટા પણ તબક્કાવાર મૂકવામાં આવશે તેમ અગાઉ થયેલી જાહેરાત અન્વયે પણ આ સુધારા ઠરાવમાં આવ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે. ‘કર્મયોગી’ એપ્લિકેશનનો ઉપયોગ થ્થ્થ્.્રૂચ્ક્ન્ર્ગ્ૌ.ર્ણ્jૂચ્ૂઞ્.ર્ગ્ત્.ૌખ્ લિંક પરથી કરી શકાશે. આ એપ્લિકેશનના માર્ગદર્શનમાં કોઇ જરૂરિયાત ઉભી થાય તો આ હેલ્પલાઇન નંબર ૦૭૯-૨૩૨-૫૮૫૭૬/૭૭, ૦૭૯-૨૩૨-૫૫૮૨૩/૨૫ તથા ્રૂચ્ક્ન્ર્ગ્ૌ-જ્ણ્ઘ્ઘ્ગ્ચ્ઞ્@ર્ણ્jૂચ્ૂઞ્.ર્ગ્ત્.ૌખ્ પર સંપર્ક કરી શકાશે.