Sardar Gurjari

૨૬-૨-૨૦૧૪, બુધવાર

મુખ્ય સમાચાર :
૭૦ વર્ષથી વધુના વૃદ્ઘોને આયુષ્યમાન યોજનાનો લાભ મળશે, ૫ લાખ સુધીની મફત સારવાર
-દેશભરની પસંદગીની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં સારવાર આપી શકાય છે -પ્રવેશના ૧૦ દિવસ પહેલા અને પછીના ખર્ચની ચૂકવણી કરવાની પણ જોગવાઇ
12/09/2024 00:09 AM Send-Mail
કેન્દ્ર સરકારે બુધવારે(૧૧ સપ્ટેમ્બર) એક મોટી જાહેરાત કરી છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કેહવે આયુષ્માન ભારત પીએમ જન આરોગ્ય યોજનામાં ૭૦ વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોને સામેલ કરવામાં આવશે.મોદી કેબિનેટ આ નિર્ણયને મંજૂરી આપી દીધી છે.

લોકસભાની ચૂંટણી પહેલા જાહેર કરવામાં આવેલા બીજેપીના મેનિફેસ્ટોમાં આ વાત કહેવામાં આવી હતી.સરકારના જણાવ્યા અનુસાર, ૬ કરોડ વરિષ્ઠ નાગરિકો ૫ લાખ રૂપિયા સુધીની મફત સારવાર મેળવી શકશે. દેશના લગભગ ૪.૫ કરોડ પરિવારો તેમાં સામેલ થશે.

સરકારે કહ્યું કે ૭૦ વર્ષ અને તેથી વધુ વયના તમામ વરિષ્ઠ નાગરિકો, તેમની આર્થિક સ્થિતિને ધ્યાનમાં લીધા વિના, આ લાભ મેળવી શકશે. તેમના માટે નવું અલગ કાર્ડ આપવામાં આવશે. આ સાથે તેઓ દર વર્ષ ૫ લાખ રૂપિયા સુધીની મફત સારવાર મેળવી શકશે. રાષ્ટ્રીય સ્વાસ્થ્ય નીતિ હેઠળ કેન્દ્ર સરકારે આ યોજના વર્ષ ૨૦૧૭માં શરૂ કરી હતી. જોકે, પશ્ચિમ બંગાળ સહિત ઘણા રાજયો આ યોજના સ્વીકારવાનો ઇનકાર કરી રહ્યા છે અને રાજયમાં પોતાની યોજનાઓ ચલાવી રહ્યા છે. આ યોજના હેઠળ, દેશભરની પસંદગીની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં સારવાર આપી શકાય છે. આ યોજના હેઠળ પ્રવેશના ૧૦ દિવસ પહેલા અને પછીના ખર્ચની ચૂકવણી કરવાની પણ જોગવાઇ છે. આયુષ્માન યોજના હેઠળ હઠીલા રોગોને પણ આવરી લેવામાં આવ્યા છે. કોઇપણ બિમારી માટે હોસ્પિટલમાં દાખલ થવા પહેલા અને પછીના ખર્ચને આવરી લેવામાં આવે છે. આમાં પરિવહનના ખર્ચને આવરી લેવામાં આવે છે. તમામ મેડિકલ ટેસ્ટ, ઓપરેશન, ટ્રીટમેન્ટ વગેરે જેવી બાબતો આમાં સામેલ છે. આ યોજના હેઠળ અત્યાર સુધીમાં ૫.૫ કરોડથી વધુ લોકોએ તેમની સારવાર કરાવી છે.

યમુના નદીના ૨૩ સ્થળો પાણીની ગુણવત્તા પરીક્ષણમાં ફેલ : સંસદીય સમિતિનો અહેવાલ

ઓનલાઈન ટેક્ષી બુકિંગમાં ભેદભાવનો મામલો સંસદમાં, આઈફોન યુઝર્સ પાસેથી વધુ ભાડુ વસૂલવાનો આરોપ

તમિલનાડુ સરકારે બજેટ ડોક્યુમેન્ટમાંથી રૂપિયાનું ચિહ્ન હટાવ્યું

બદલાપુર જાતીય શોષણના આરોપીનું એન્કાઉન્ટર નકલી, એફઆઈઆર કેમ ન કરી : બોમ્બે હાઈકોર્ટ

મદ્રાસ હાઈકોર્ટે જેએમઆઈ લો ફર્મની તપાસ કરવા સીઆઈડીને આપ્યા આદેશ

સહાયક પુરાવા વિના મૃત્યુપૂર્વના નિવેદનના આધારે કોઈને દોષિત ન ઠેરવી શકાય: સુપ્રિમ

પદભ્રષ્ટ કરાયેલા ભૂતપૂર્વ ન્યાયાધીશ હાઈકોર્ટના જજ જેટલું પેન્શન મેળવવા માટે હકદાર : બોમ્બે હાઈકોર્ટ

તમિલનાડુમાં સરકારી નોકરી માટે તમિલ ભાષા જરૂરી : મદ્રાસ હાઈકોર્ટ