Sardar Gurjari

સોમવાર, તા. ૧૯ મે, ૨૦૨૫, વૈશાખ વદ ૬, વિ.સં. ૨૦૮૧, વર્ષ -૨૪, અંક -૩૨૯

મુખ્ય સમાચાર :
આણંદ: જીએસટી અધિકારીઓની કનડગત સામે ચરોતર તમાકુ વહેપારી એસો. દ્વારા રેલી, આવેદનપત્ર
12/09/2024 00:09 AM Send-Mail
ચરોતર તમાકુ વેપારી એસો. દ્વારા જીએટી અધિકારીઓની કનડગતના વિરોધમાં આજે આણંદમાં વિશાળ રેલી યોજીને કલેકટરને આવેદનપત્ર અપાયું હતું. રેલીમાં મોટી સંખ્યામાં વહેપારીઓ અને ખેડૂતો જોડાયા હતા. રેલી દરમ્યાન જીએસટી અધિકારીઓ દ્વારા નાની નાની બાબતોએ કરાતી ખોટી કનડગત બંધ કરાવવા સહિતની માંગ કરવામાં આવી હતી.

ચરોતર તમાકુ વેપારી એસો.ના પ્રમુખ પ્રદીપભાઇ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, તાજેતરમાં પેટલાદ ખાતે એસો.ની યોજાયેલ બેઠકમાં રપ૦થી વધુ વેપારી સભ્યો, ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં ચાલુ વર્ષ બજારમાં સારી માંગ હોવાથી તમાકુના ભાવ સારા રહ્યા હોવા સાથે આગામી વર્ષ વધુ સારા વેપારનો આશાવાદ વ્યકત કરવા સાથે ખેડૂતોને વધુ પોષણક્ષમ ભાવ મળે તે માટે સતત પ્રયત્નશીલ રહેવા વેપારીઓને અનુરોધ કરાયો હતો.

વધુમાં જણાવ્યું હતું કે, આ બેઠકમાં ચાલુ વર્ષ પુન: સેન્ટ્રલ જીએસટીના અધિકારીઓ દ્વારા નાની બાબતો, ક્ષતિઓમાં વેપારીઓની કરાતી કનડગત અંગે ચર્ચા થઇ હતી. જેમાં ૧૧ સપ્ટે.ના રોજ આણંદ કલેકટરને આવેદનપત્ર આપવાનું સર્વસંમતિથી ઠરાવાયું હતું. જેના ભાગરુપે આજે વેપારીઓ, ખેડૂતોએ મોટી સંખ્યામાં રેલીમાં જોડાઇને જીએસટી તંત્રની ખોટી કનડગત સામે વિરોધ વ્યકત કર્યો હતો.

આણંદ જિલ્લામાં કલીનીકલ એસ્ટાબ્લીશમેન્ટ એકટના ૭ માસ બાદ પણ માત્ર ૧૦૭૮ થયેલ અરજી, ૧૦ર૪ મંજૂર

અંતે ઉમરેઠથી ઓડ તરફેના ત્રિમાર્ગીય રસ્તાનું કરાયું ડામરકામ

ખંભાત : ૧.૯૦ લાખના ચેક રીર્ટન કેસમાં મહિલાને ૧ વર્ષની કેદની સજા

આણંદ : બ્રેનડેડના અંગદાન થકી જીવન જીવવા લાચાર બનેલ દર્દીઓને મળતું ‘નવજીવન’

આણંદ મનપામાં સમાવેશ થયાને ૪ માસ ઉપરાંતનો સમય છતાંયે ૪ ગામોના રહિશોને વેરો કયાં ભરવોની ‘વિમાસણ’ !

નડિયાદમાં રોગચાળાનો કહેર : ઝાડા-ઉલ્ટીના વધુ પ૦ કેસ નોંધાયા

આણંદ જિલ્લામાં ચોથા વર્ષ ડેન્ગ્યુ પોઝિટિવ કેસોમાં નોંધાયો ઘટાડો

પેટલાદ : ગર્ભ પરીક્ષણ મામલે ઇશિતા હોસ્પિટલનું સોનોગ્રાફી મશીન સીલ