Sardar Gurjari

સોમવાર, તા. ૧૯ મે, ૨૦૨૫, વૈશાખ વદ ૬, વિ.સં. ૨૦૮૧, વર્ષ -૨૪, અંક -૩૨૯

મુખ્ય સમાચાર :
એનસીપી નેતા બાબા સિદ્દીકીની હત્યાની જવાબદારી લોરેન્સ ગેંગે લીધી, યુપી-હરિયાણાના શૂટર્સ હત્યામાં સામેલ
-સોશિયલ મીડિયા પર સલમાનને મદદ કરનારાઓને ધમકાવ્યા -સલમાન ખાનની સુરક્ષા પણ વધારવામાં આવી
14/10/2024 00:10 AM Send-Mail
મુંબઇમાં એનસીપી(અજિત જૂથ)ના નેતા બાબા સિદ્દીકીની શનિવારે રાત્રે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. સિદ્દીકી આ વર્ષ ફેબ્રુઆરીમાં કોંગ્રેસ છોડીને અજિત પવારમાં જોડાયા હતા.

હત્યાના ૨૮ કલાક બાદ લોરેન્સ બિશ્નોઇ ગેંગે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને હત્યાની જવાબદારી લીધી હતી. લખ્યું કે સલમાન ખાન અને દાઉદને મદદ કરનારાઓને છોડશે નહી.આ પોસ્ટમાં લોરેન્સ બિશ્નોઇ ગ્રુપ અને અનમોલ બિશ્નોઇને હેશટેગકરવામાં આવ્યા છે. પોલીસ આ પોસ્ટની તપાસ કરી રહી છે. લોરેન્સ હાલ ગુજરાતની સાબરમત જેલમાં બંધ છે.તેણે ૧૪ એપ્રિલે સલમાનના ઘરની બહાર ફાયરિંગ કર્યુ હતું. લોરેન્સની જેલમાં પૂછપરછમાં આવશે.સલમાન ખાનની સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે.

હરિયાણા અને યુપીના શૂટરોએ હત્યા કરી.પોલીસે ૩માંથી ૨ શૂટરોની ધરપકડ કરી છે. એક ફરાર છે. એક શૂટર હરિયાણાનો અને બે ઉત્તર પ્રદેશના બહરાઇચનો છે.તેઓ ૪૦ દિવસથી મુંબઇમાં રોકાયા હતા અને સિદ્દીકીના ઘર અને પુત્રની ઓફિસની રેકી કરી રહ્યા હતા. આ હત્યા કેસમાં બહરાઇચના બે યુવકોના નામ સામે આવ્યા છે.આ ઘટનામાં સામેલ ધરમરાજ કશ્યપ અને શિવકુમાર ઉર્ફે શિવ ગૌતમ બંને જિલ્લાના કૈસરગંજકોતવાલીના ગંડારાગામના રહેવાસી હતા.પરિવારનું ભરણપોષણ કરવા માટે બંને પૈસા કમાવા મુંબઇ આવ્યા હતા. આ સિવાય મોહમ્મદ જીશાન અખ્તર નામનો ચોથો આરોપી પણ છે.તેની શોખખોળ ચાલુ છે. જીશાને હત્યા કેસને અંજામ આપનારા ત્રણ આરોપીઓને લોજિસ્ટિકસ સપોર્ટ પૂરો પાડયો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર આ રૂમ તેના નામે ભાડે લેવામાં આવ્યો હતો. સિદ્દીકને વાય-સિકયોરિટી મળી હતી, પરંતુ ઘટના સમયે તેની સાથે કોઇ કોન્સ્ટેબલ નહતો.સ્ટ્રીટલાઇટ અને સીસીટીવી પણ બંધ હતા.શનિવારે રાત્રે લગભગ૯.૩૦ વાગે બાંદ્રાનાખેર નગરમાંધારાસભ્ય પુત્ર જીશાનની ઓફિસની બહાર ત્રણ બદમાશોએ ગોળીબાર કર્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર ઓટોમાં આવેલા ૩ શૂટરોએ બે બંદૂકમાંથી ૬ રાઉન્ડ ફાયરિગ કર્યુ હતું. બાબાને ત્રણ ગોળી વાગી હતી. બે ગોળી તેના પેટમાં અને એક છાતીમાં વાગી હતી.ત્રણેયના મોં પર રૂમાલ બાંધેલા હતા.

હૈદરાબાદ : ગુલઝાર હાઉસમાં ભીષણ આગ ભભૂકતા ૮ બાળકો સહિત ૧૭ના મોત

ઉત્તર પ્રદેશ : ડેપ્યુટી સીએમ બ્રિજેશ પાઠક પર અભદ્ર ટિપ્પણી

રાષ્ટ્રપતિ દ્વારા સુપ્રીમ કોર્ટપાસે માગેલા સંદર્ભના વિરોધમાં સ્ટાલિને બિન-ભાજપ શાસિત રાજયોના મુખ્યમંત્રીઓ પાસેથી માંગ્યું સમર્થન

ભારતનું બંધારણ સર્વોચ્ચ, લોકશાહીના ત્રણેય સ્તંભોએ સાથે મળીને કામ કરવું જોઈએ : સીજેઆઈ

ડ્રોન-વિસ્ફોટક ખરીદવા કેન્દ્ર સરકારે ૪૦ હજાર કરોડ કર્યા મંજૂર

ભારત મોટા યુદ્ઘની તૈયારીમાં : સંરક્ષણ મંત્રાલય દ્વારા વધારાનું ભંડોળ ફાળવવાનો સરકારને પ્રસ્તાવ

૫ાકિસ્તાનને પ્રહાર : ભારત ચિનાબ નદી પરના રીવર જળવિધુત પ્રોજેક્ટસ બગલિહાર અને સલાલમાં દર મહિને ફલશિંગ કરશે

સેના અને સૈનિકો વડાપ્રધાન મોદીના ચરણોમાં નતમસ્તક મધ્યપ્રદેશ ભાજપ સરકારના ઉપમુખ્યમંત્રીનો બફાટ