Sardar Gurjari

સોમવાર, તા. ૧૯ મે, ૨૦૨૫, વૈશાખ વદ ૬, વિ.સં. ૨૦૮૧, વર્ષ -૨૪, અંક -૩૨૯

મુખ્ય સમાચાર :
મહારાષ્ટ્ર ચૂંટણી : રાજ ઠાકરેએ બદલી રણનીતિ, દીકરાના બદલે ૧૦ બેઠક વાળી ડીલ કરી કેન્સલ
માહિમમાં શિવસેનાના અમિત ઠાકરે, સદા સરવળકર અને મહેશ સાવંત વચ્ચે ત્રિપલ જંગ જામશે
06/11/2024 00:11 AM Send-Mail
મહારાષ્ટ્રમાં જેમ-જેમ ચૂંટણીના દિવસો નજીક આવી રહ્યા છે, તેમ રાજકારણમાં ગરમાવો વધી રહ્યો છે. મહાયુતિ અને મહા વિકાસ અઘાડીએ પોતાના બળવાખોરોને શાંત કરવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. બીજી તરફ રાજ ઠાકરે અને મહાયુતિ વચ્ચે પણ એક મોટુ સમાધાન થવાનો સંકેત મળ્યો હતો. મનસે પ્રમુખ રાજ ઠાકરેના પુત્ર અમિત ઠાકરે પ્રથમ વખત ચૂંટણી લડવા થઇ રહ્યા છે. માહિમ બેઠક પરથી ચૂંટણી લડી રહેલા અમિત ઠાકરેની સામે એકનાથ શિંદેની શિવસેનાના સદા સરવળકરનો સીધો મુકાબલો છે.

જેમાં સદા સરવળકર પોતાની ઉમેદવારી પરત ખેંચવા માગતા હતા. પરંતુ અંતે આમ ન બન્યું. રાજ ઠાકરે, એકનાથ શિંદે અને ભાજપ વચ્ચે ડીલ થઇ હતી. જેમાં એકનાથ શિંદે સેના અમિત ઠાકરેની સામે ઉભેલા સરવળકરની ઉમેદવારી પાછી ખેંચી લે, જેની સામે મનસે ૧૦ બેઠકો પરથી ઉમેદવારી પાછી ખેંચશે. પરંતુ આ ડીલ સફળ ન રહી. ૧૫ વર્ષથી ધારાસભ્ય રહી ચૂકેલા સરવળકરે આ મુદ્દે નારાજગી વ્યકત કરતાં સોશિયલ મીડિયા પોસ્ટ પણ કરી હતી કે બાળાસાહેબ ઠાકરે હોત તો પરિવાર માટે એક સાચા શિવ સૈનિકને ત્યાગ કરવા આદેશ ન કરતાં.

સદા સરવળકર અંતિમ દિવસે પોતાની ઉમેદવારી પાછી ખેંચવા મામલે રાજ ઠાકરેના નિવાસ સ્થાને તેમને મળવા ગયા હતા. પરંતુ લાંબો સમય સુધી રાહ જોયા બાદ રાજ ઠાકરેએ મુલાકાત કરવાની ના પાડી દીધી હતી. આ રીતે હવે માહિમમાં શિવસેનાના અમિત ઠાકરે, સદા સરવળકર અને મહેશ સાવંત વચ્ચે ત્રિપલની લડાઇ થશે. મનસે દ્વારા ભાજપ સહિત અન્ય બેઠકો પરથી ઉમેદવારી પત્ર પાછું ખેંચવા કવાયત હાથ ધરાઇ છે. જેનું સીધુ નુકસાન ભાજપ ગઠિત મહાયુતિને થવાની આશંકા છે. માહિમ બેઠક પરથી ઉમેદવારી પરત લેવામાં વિલંબ થતાં રાજ ઠાકરે નારાજ થયા હતા. એક બેઠકના બદલે ૧૦ બેઠકનો સોદો સામા પક્ષકારે મોંઘો સાબિત થવાની શકયતા છે. જેથી રાજ ઠાકરેએ આ સમાધાન પર વધુ દલીલ ન કરી.

હૈદરાબાદ : ગુલઝાર હાઉસમાં ભીષણ આગ ભભૂકતા ૮ બાળકો સહિત ૧૭ના મોત

ઉત્તર પ્રદેશ : ડેપ્યુટી સીએમ બ્રિજેશ પાઠક પર અભદ્ર ટિપ્પણી

રાષ્ટ્રપતિ દ્વારા સુપ્રીમ કોર્ટપાસે માગેલા સંદર્ભના વિરોધમાં સ્ટાલિને બિન-ભાજપ શાસિત રાજયોના મુખ્યમંત્રીઓ પાસેથી માંગ્યું સમર્થન

ભારતનું બંધારણ સર્વોચ્ચ, લોકશાહીના ત્રણેય સ્તંભોએ સાથે મળીને કામ કરવું જોઈએ : સીજેઆઈ

ડ્રોન-વિસ્ફોટક ખરીદવા કેન્દ્ર સરકારે ૪૦ હજાર કરોડ કર્યા મંજૂર

ભારત મોટા યુદ્ઘની તૈયારીમાં : સંરક્ષણ મંત્રાલય દ્વારા વધારાનું ભંડોળ ફાળવવાનો સરકારને પ્રસ્તાવ

૫ાકિસ્તાનને પ્રહાર : ભારત ચિનાબ નદી પરના રીવર જળવિધુત પ્રોજેક્ટસ બગલિહાર અને સલાલમાં દર મહિને ફલશિંગ કરશે

સેના અને સૈનિકો વડાપ્રધાન મોદીના ચરણોમાં નતમસ્તક મધ્યપ્રદેશ ભાજપ સરકારના ઉપમુખ્યમંત્રીનો બફાટ