રાજસ્થાન :૧૯પ૭માં બનેલા જવાઇ બંધના ભરોસે છે ૯૦૦ ગામ
૧૯૪૬માં જોધપુરના પૂર્વ મહારાજ ઉમ્મેદસિંહે બંધનું નિર્માણ શરુ કરાવ્યું હતું
રાજસ્થાનનો જવાઇ બંધ પાલી સહિત ત્રણ જિલ્લાના લોકો અને ખેડૂતો માટે વરદાન સમાન છે. હાલમાં તે પશ્ચિમી રાજસ્થાનનો સૌથી મોટો બંધ છે. ૯૦૦થી વધુ ગામોને પાણી પુરું પાડતા આ બંધનું નિર્માણ જોધપુરના પૂર્વ મહારાજા ઉમ્મેદસિંહે કરાવ્યું હતું. વર્ષ ૧૯૦૩માં જવાઇ નદીમાં આવેલ ભયાનક પૂરના કારણે પાલી અને ઝાલૌર જિલ્લામાં ભારે નુકસાની પહોંચી હતી. ત્યારબાદ પૂર્વ મહારાજ ઉમ્મેદસિંહે આ બંધનું ૧૯૪૬માં નિર્માણકાર્ય શરુ કરાવ્યું હતું. જેનું કામ ૧૯પ૭માં પુરું થયું હતું. ત્યારબાદ અત્યાર સુધી પાલીના ગ્રામજનોને પીવાના પાણી સહિત ખેડૂતોને સિંચાઇ માટે પાણી મેળવવામાં તકલીફ પડી નથી.
ચોમાસાની સીઝનમાં જવાઇ બંધ પાણીથી ભરાઇ જવાના કારણે મનોહર દૃશ્ય સર્જાય છે. આ બંધની આસપાસના ૯૦૦ ગામોના લોકોને પાણી પહોંચાડવામાં આવે છે. સાથોાસાથ ખેડૂતોને સિંચાઇ માટે પણ પાણી ઉપલબ્ધ કરાવવામાં આવી રહયું છે. શિરોહીના શિવગંજ શહેર ઉપરાંત જાલૌર અને પાલી જિલ્લાની આ બંધ લાઇફલાઇન છે.
જો કે બંધનું નિર્માણકાર્ય ૧૧ વર્ષ સુધી ચાલ્યું હતું. આટલો લાંબો સમય અને સતત મહેનતના કારણે બંધનું સંપૂર્ણ કામ થઇ શકયું હતું. બંધની આધારશિલા ૧૩ મે,૧૯૪૬ના રોજ જોધપુરના પૂર્વ નરેશ ઉમ્મેદસિંહે મૂકી હતી.જવાઇ બંધને સૌથી વધુ જાલૌર જિલ્લાની લાઇફ લાઇન માનવામાં આવે છે. તેટલો જ ફાયદો પાલી જિલ્લાને પણ મળી રહ્યો છે. હજારો ખેડૂતોને સિંચાઇનું પાણી અહીંથી મળે છે.