Sardar Gurjari

સોમવાર, તા. ૧૯ મે, ૨૦૨૫, વૈશાખ વદ ૬, વિ.સં. ૨૦૮૧, વર્ષ -૨૪, અંક -૩૨૯

મુખ્ય સમાચાર :
ઠાસરા: શાળા આરોગ્ય ચકાસણી કર્યા વિના રિપોર્ટ કરનાર તબીબ સહિત ૪ સસ્પેન્ડ
વિદ્યાર્થીઓની આરોગ્ય ચકાસણી અંગે સવાલ કરનાર શિિક્ષકા સાથે તાલુકા આયુષ મે.ઓ. વસીમ શેખે ગેરવર્તણૂંક કરી હતી
18/04/2025 00:04 AM Send-Mail
શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓની આરોગ્ય ચકાસણી અભિયાન અંતર્ગત તાલુકાના સરકારી તબીબો દ્વારા શાળામાં જઇને કામગીરી કરવામાં આવતી હોય છે. પરંતુ ઠાસરામાં એક શાળાની આરોગ્ય ચકાસણી કર્યા વિના જ કાગળ ઉપર રિપોર્ટ દર્શાવ્યાનો ભાંડો ફૂટવા પામ્યો છે. જેને લઇને તબીબ સહિત ૪ આરોગ્ય કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

જાણવા મળ્યાનુસાર ઠાસરા તાલુકાના મગન ભુલાના મુવાડાની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓની આરોગ્ય ચકાસણી કરવામાં આવી ન હતી. દરમ્યાન ગત ર૭ માર્ચ શાળામાં ડોકટરની આવેલ ટીમને શિિક્ષકા દ્વારા શાળાના ધો.૧થી ૮માં અભ્યાસ કરતા ૧૧૬ વિદ્યાર્થીઓ પૈકી એકપણનું મેડીકલ ચેકઅપ ન થયાની ફરિયાદ કરી હતી. જેથી શાળાની વિઝીટે આવેલા તબીબે તાલુકાના આયુષ મેડીકલ ઓફિસર વસીમ શેખને આ બાબતે પૂછપરછ કરતા તેઓએ શાળાએ આવીને શિિક્ષકા સાથે શાળામાં ગેરવર્તૂણૂંક કરી હતી. સમગ્ર મામલે શાળાના આચાર્ય દ્વારા તાલુકાની અન્ય શાળાઓમાં તપાસ કરતા ત્યાં પણ વિદ્યાર્થીઓની આરોગ્ય ચકાસણી ન થયાનો ભાંડો ફૂટયો હતો. જેથી આચાર્યએ જિલ્લા આરોગ્ય અધિકારી ઉપરાંત ગાંધીનગર કક્ષાએ રજૂઆત કરી હતી. જેથી આરબીએસકે યોજનાના આયુષ તબીબ ડો.વસીમ શેખ, ફાર્માસિસ્ટ રેનિસન વાઘેલા, ફિમેલ હેલ્થ વર્કર રોશન નીનામા અને ડો.સ્તુતિ જોશીને બરતરફ કરાયા છે.


માતર : બાઇક અકસ્માતમાં ગંભીર ઇજાના કારણે મૃત્યુ પામનાર ચાલકના વારસદારોને ૧પ.૬૩ લાખ વળતર ચૂકવવા હૂકમ

નડિયાદમાં કોલેરાનો બીજો કેસ : સુરતથી પરત ફરેલા વ્યકિતનો રિપોર્ટ પોઝિટિવ

વડતાલથી નડિયાદ જવા માટે સવારે ૧૦.૧૦ કલાકે બસ ઉપડ્યા પછી બે કલાક સુધીમાં એકપણ બસ નથી

નડિયાદના શાંતિ ફળિયામાં કોલેરાનો કેસ નોંધાયો, ર કિ.મી. વિસ્તાર અસરગ્રસ્ત જાહેર

ખેડા જિલ્લામાં ૯૧ ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીને લઈ સ્થાનિક રાજકારણમાં ગરમાવો

નડિયાદની વિધી જાદવએ છેલ્લા ૧૦ વર્ષમાં ૩૯૭ શહીદ પરિવારોને નાણાંકીય મદદ સાથે દેશભક્તિ વ્યક્ત કરી

ડાકોર : પૂનમે દર્શનાર્થીઓની ભીડ ટાણે બ્રિજમાં વધુ એક ગાબડું, ટ્રાફિકની સમસ્યા

કપડવંજ ડેપોના રાજાપાઠમાં પકડાયેલ કંડકટર સસ્પેન્ડ, ખંભાત મૂકાયો