નડિયાદમાં દોઢ વર્ષ પહેલાં તેલંગાણામાંથી આવી ગયેલ અને ભટકતું જીવન જીવતી મહિલાનું પરિવાર સાથે મિલન
નડિયાદ સખી વન સ્ટોપ સેન્ટરે પરિવારની ભાળ મેળવવા ભારે જહેમત ઉઠાવી
મહિલા પરપ્રાંતિય હોવાથી તેની ભાષા સમજવામાં મુશ્કેલી પડી હતી : સખી વન સ્ટોપ સેન્ટરના સંચાલિકા
કેન્દ્ર સંચાલિકા ભાવિષા જોષીએ જણાવ્યું કે, આ કેસમાં અમને મહિલા પરપ્રાંતીય હોવાથી ભાષા ન આવડતી હોવાથી ઘણી મુશ્કેલી પડી હતી. આ મહિલા શુ બોલે છે એ અમને ખ્યાલ નહોતો આવતો તો સામે અમારી ભાષા એને ખબર નહોતી પડતી, મહિલાને હિન્દી ભાષા પણ સમજ પડતી નહતી. આમ છતાં ભાષા ટ્રાન્સલેટરનો સંપર્ક કરી ગણતરીના દિવસોમાં મહિલાનું પુનઃ પ્રસ્થાપન કરાવ્યું છે.મહિલા પોતે ઘર છોડી નીકળી તીરૃપતી મંદિરે પહોંચી હતી અને એ બાદ ટ્રેન મારફતે અહીંયા પહોંચી હતી અને નડિયાદ શહેરના શારદા મંદિર રોડ પર ઓટલા પર રાતવાસો કરી ભટકતું જીવન જીવતી હતી. ૧૮૧ મારફતે આ કેસ અમને મળ્યો હતો. ૨૭ જાન્યુઆરીથી અત્યાર સુધીમાં ૧૦ પરપ્રાંતીયો મહિલાઓનું પુનઃ સ્થાપન કરાવ્યું હોવાનું જણાવ્યું છે.
નડિયાદમાં ભટકતું જીવન નિર્વાહ કરતી ૫૨ વર્ષિય પરપ્રાંતીય મહિલા વિશે ૧૮૧ ને જાણ કરવામાં આવતા તેમણે આ મહિલાનો કબજો લઈ સખી વન સ્ટોપ સેન્ટરમાં આશ્રય માટે મોકલી આપી હતી ત્યાંના સ્ટાફે ભારે જેમ જ બાદ. તેલંગણા માં રહેતા તેના પરિવાર સાથે મિલન કરાવ્યું હતું.
નડિયાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં ઓટલા પર રાતવાસો કરતી આ મહિલાને કેન્દ્ર સરકાર પુરસ્કૃત મહિલા અને બાળ વિભાગ નડિયાદ દ્વારા સંચાલિત સખી વન સ્ટોપ સેન્ટરમાં આ મહિલાને ૬ એપ્રિલના રોજ આશ્રય માટે લાવવામાં આવી હતી. આ મહિલા તેલુગુ ભાષા સિવાય અન્ય કોઈ ભાષા જાણતા નહોતાં. આથી સખી વન સ્ટોપ સેન્ટરના સંચાલકોએ તેના પરિવારની ભાળ મેળવવા માટે ભાષા ટ્રાન્સલેટરની મદદ જિલ્લા બાળ સુરક્ષા એકમના લીગલ પી.ઓ. કિર્તીબેન દ્વારા લીધી હતી. નડિયાદ સ્પોર્ટ્સ એકડમીમા કામ કરતા લાવન્યાબેનની મદદથી આ મહિલાનું નામઠામ અને સરનામું પુછવામાં આવ્યું હતું. જેમાં ઘરેથી નીકળેલી આ મહિલાએ પોતાનું નામ નરસમાબેન લક્ષ્મૈયા વડૈ (ઉ.વ.૫૨, રહે.તેલગણા) હોવાનું જણાવ્યું હતું. અને ઘરેથી નીકળી જવા પાછળનું કારણ જણવાતા કહ્યું કે, પોતાના પુત્રનું ૫ વર્ષ અગાઉ અકસ્માતમાં મોત નિપજ્યું હતું અને તેના આઘાતમાંથી હજી બહાર આવ્યા નહોતા આ ઉપરાંત પોતાના પતિ પણ દારૃ પીતા હોય તે તકરાર કરતા હોવાથી ગત ૨૦ સપ્ટેમ્બર ૨૦૨૪ના રોજ ઘર છોડીને ચાલી ગયા હોવાની હકીકત જણાવી હતી.
પરિવારજનોએ તેલંગણાના સ્થાનિક પોલીસ મથકે ગુમ થયાની જાણવાજોગ પણ નોધાવી હતી અને સ્વજનો આ મહિલાની ભાળ મેળવવા પ્રયાસો કરતા હતા. નડિયાદ સખી વન સ્ટોપ સેન્ટરની ટીમે આ મહિલાનું જરૃરી કાઉન્સેલીંગ કરી તેના પરિવારજનોની શોધમાં લાગ્યા હતા. તેલંગણાના તે જિલ્લાના સખી વન સ્ટોપ સેન્ટરનો સંપર્ક કરી આ મહિલાના સ્વજનોની ભાળ મેળવી હતી. આજે ગુરુવારે આ મહિલાના પરિવારજનો નડિયાદ સખી વન સ્ટોપ સેન્ટર ખાતે મહિલાને લેવા આવી પહોંચ્યા હતા. જ્યાં સખી વન સ્ટોપ સેન્ટર સંચાલકોને જરૃરી દસ્તાવેજો તપાસી મહિલાને પરિવાર સાથે પુનઃ સ્થાપન કરાવ્યું હતું. મહિલાના દીકરી, જમાઈ અને ભત્રીજો લેવા આવ્યા હતા આ સમયે લાગણી સભર દ્રશ્યો સર્જાયા હતા.