સેવાલિયા : વર્ષોની ઓળખાણના નાતે ૩ લાખ ઉછીના પરત પેટેનો ચેક રીટર્ન કેસમાં બે વ્યકિતઓને બે વર્ષની કેદ
પિયુષભાઇ પટેલ, અમિત સુથાર અને ભુવનેશ્વરી કવોરી વર્કસે રૂ. ૩ લાખ કિરીટભાઇ શાહને વળતર તરીકે ચૂકવવા કોર્ટનો હૂકમ
ગોધરા તાલુકાના ગોઠડા(ટીંબા)માં આવેલ ભુવનેશ્વરી કવોરી વર્કસના ભાગીદારને સેવાલિયામાં રહેતા વેપારી સાથે વર્ષોથી પરિચય અને ઓળખાણ હતી. દરમ્યાન કવોરીમાં નાણાંની જરુર પડતા સેવાલિયાના પરિચિત પાસેથી ૩ લાખ ઉછીના લીધા હતા. જે પરત પેટેનો આપેલ ચેક બેંકમાં રજૂ કરતા ડીસઓનર થયો હતો. જે અંગે નોટિસ મોકલવા છતાંયે નાણાં ન ચૂકવતા કોર્ટમાં ફરિયાદ કરી હતી. આ કેસમાં કોર્ટે બે આરોપીઓને બે-બે વર્ષની કેદ તેમજ કવોરી અને તેના ભાગીદારોએ રૂ. ૩ લાખ ફરિયાદીને વળતરપેટે ચૂકવવા હૂકમ કર્યો હતો.
મળતી વિગતોમાં સેવાલિયામાં રહેતા અને વ્યાપાર કરતા કિરીટભાઇ નટવરલાલ શાહને ટીંબા ગામે અવરજવર કરતા ગોઠડાની ભુવનેશ્વરી કવોરી વર્કસના ભાગીદાર અમિત દિનકરરાય સુથાર અને પિયુષભાઇ ડાહ્યાભાઇ પટેલ સાથે વર્ષોથી પરિચય હોવાથી ગાઢ મિત્રતા હતી. દરમ્યાન અમિતભાઇ અગાઉ ધંધાર્થ કિરીટભાઇ પાસેથી નાણાં ઉછીના લઇ જતા હતા અને સમયસર પરત આપતા હતા.
દરમ્યાન ગત પ એપ્રિલ,ર૦૧રના રોજ પિયુષભાઇ પટેલે રૂ. ૩ લાખ એક માસ માટે ઉછીનાની માંગણી કરી હતી. જેથી તા. ર૯ એપ્રિલ,ર૦૧રના રોજ પિયુષભાઇને રૂ. ૩ લાખ રોકડા આપ્યા હતા. જે પેટે પિયુષભાઇ અને અમિતભાઇની ભાગીદારીવાળી કવોરીના બેંકનો રૂ. ૩ લાખનો એક માસ બાદનો ચેક આપ્યો હતો.
નિયત તારીખે ચેક બેંકમાં રજૂ કરતા અપૂરતા ભંડોળના શેરા સાથે પરત ફર્યો હતો. જેથી તા. રપ જૂન,ર૦૧રના રોજ નોટિસ મોકલવા છતાંયે ચેકના નાણાં ચૂકવ્યા ન હતા. જેથી તા. ર૦ જુલાઇ,ર૦૧રના રોજ સેવાલિયા કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી.
આ કેસમાં રજૂ થયેલ લેખિત-દસ્તાવેજી પુરાવા, દલીલો સહિતની બાબતો ધ્યાને લઇને કોર્ટે નોંધ્યું હતું કે, આરોપીઓ દ્વારા આપેલ ચેક ફરિયાદીએ બેંકમાં રજૂ કરતા અપૂરતા ભંડોળના શેરા સાથે પરત ફરેલ છે. જે અંગે ફરિયાદીએ આરોપીને નોટિસ મોકલવા છતાંયે ચેકવાળી લેણી રકમ ચૂકવી આપેલ નથી. જેથી આરોપીઓ વિરુદ્વ એન.આઇ.એકટની કલમ ૧૧૮ તથા ૧૩૯ હેઠળ કરવામાં આવતા અનુમાનોનું ખંડન આરોપીઓ કરી શકેલ નથી. ફરિયાદીની હકીકતને બેંકના દસ્તાવેજી પુરાવાથી સમર્થન મળેલ છે.
આ કેસમાં ન્યાયાધીશ ડી.જી.વાઘેલા (જયુડી.મેજી. ફ.ક.,સેવાલિયા)એ આરોપી પિયુષભાઇ પટેલ, અમિત સુથાર અને શ્રી ભુવનેશ્વરી કવોરી વર્કસ-પેઢીને ક્રિ.પ્રો.કો. કલમ રપપ(ર) અન્વયે ધી નેગો.ઇન્સ્ટ´.એકટની કમ ૧૩૮ના ગુના સબબ તકસીરવાન ઠરાવવાનો હૂકમ કર્યો હતો અને પિયુષભાઇ પટેલ અને અમિત સુથારને ઉપર્યુકત ગુના હેઠળ બે-બે વર્ષની કેદની સજાનો હૂકમ કર્યો
હતો.
વધુમાં બે ભાગીદારો અને પેઢીએ સંયુકત કે વિભકત રીતે ફરિયાદીને ચેકની રકમ રૂ. ૩ લાખ જજમેન્ટની તારીખથી બે માસમાં વળતર તરીકે ચૂકવી આપવા, તેમાં કસૂર બદલ બે માસ પૂરા થયેથી બંને આરોપીઓને વધુ ૩ માસની કેદની સજા ભોગવવા હૂકમ કર્યો હતો.