હજુ ચાર્જ ફ્રેમ નહીં કરતા સુપ્રિમ લાલઘૂમ
મોરબી ઝુલતો પુલ દુર્ઘટના : સુપ્રીમ કોર્ટે સીબીઆઈ તપાસ માંગતી અરજી દાખલ કરી
ગુજરાત સરકાર, કલેકટરને નોટિસ જાહેર કરી તપાસનો જવાબ માંગ્યો
મોરબી ઝુલતો પુલ ૧૩૫ વ્યક્તિનાં મોતના મામલે ૧૧૨ પીડિતોની પીટિશન કરવામાં આવી છે. સુપ્રિમ કોર્ટે પુલ દુર્ઘટનામાં ઝ્રમ્ૈં તપાસની માગ કરતી અરજી દાખલ કરવામાં આવી છે. સુપ્રિમ કોર્ટે ગુજરાત સરકાર, કલેક્ટરને નોટિસ જાહેર કરી તપાસનો જવાબ માંગ્યો છે. પુલ દુર્ઘટનાને અઢી વર્ષ વીતવા છતાં હજુ ચાર્જ ફ્રેમ નહીં કરતા સુપ્રિમ લાલઘૂમ થઈ હતી. કેસમાં વધુ તપાસની માંગ કરતી અરજી હાઈકોર્ટમાં પેન્ડિંગ પડી છે, ત્યારે સુપ્રિમે અરજી દાખલ કરી હતી.
મોરબીમાં ૩૦ ઓક્ટોબર ૨૦૨૨ના રોજ મોટી દુર્ઘટના સર્જાઈ હતી. ઝુલતો પુલ ધરાશાયી થતાં ૧૩૫ લોકોના મૃત્યુ નીપજ્યાં હતા. જે કેસની ગુજરાત હાઇકોર્ટેમાં સુનાવણી હાથ ધરાઈ હતી ત્યારે કોર્ટે ઓરેવા કંપની ના સત્તાધીશોને ઉધડા લીધા હતાં. આ કેસની સુનાવણી દરમિયાન કોર્ટે ઓરેવા કંપની પાસે ભોગ બનનારને વળતર કઈ રીતે આપશો તેની વિગતો માગી હતી. સાથો સાથ કોર્ટે કહ્યું હતુ કે, વાલી, માતા-પિતા ગુમાવનારી દીકરીઓની ભણવા,લગ્નની જવાબદારી કંપનીની રહેશે. બાળકોએ જે ભણવું હોય તે ભણાવવું પડશે. એ ભણીને તમારા બધાના બોસ પણ બની શકે છે અને એ કંપની પણ ઉભી કરી શકે છે.
મોરબીની મચ્છુ નદી પર આવેલા ઝૂલતા પુલનું રિનોવેશન ઓરેવા કંપનીએ રૃપિયા ૨ કરોડના ખર્ચે કર્યું હતું. ભારતમાં સીએફએલ અને એલઈડી બલ્બમાં ૧ વર્ષની વોરંટી આપવાની શરુઆત ઓરેવાએ કરી હતી. પરંતુ તેઓ આ વોરંટી પોતે રિનોવેટ કરેલા મોરબીના ઝૂલતા પુલ પર ન આપી શક્યા. ૨૬ ઓક્ટોબર ૨૦૨૨થી મોરબીનો ઝૂલતો પુલ ખુલ્લો મુકવામાં આવ્યો હતો તથા ૧૨થી ૧૫ વર્ષની મજબૂતાઈની ગેરંટી આપવામાં આવી હતી. જે ૫ દિવસની અંદર તૂટયો અને ૧૩૫ લોકો કાળનો કોળિયો બની જતાં હાહાકાર મચી ગયો હતો.
સરકારે વળતર અંગેના મુદ્દા પર પીડિતો સાથે વાતચીત કરવાની ખાતરી આપી હતી. કોર્ટે કહ્યું હતું કે મોરબી જિલ્લા કલેક્ટર, ટ્રસ્ટ, કંપની અને પીડિતો વચ્ચે વળતરને લઈને કાયદેસરનાં કાગળિયાં થવાં જોઈએ. કોર્ટે કહ્યું હતું કે કંપનીએ ટ્રસ્ટને ફાળવેલા ૧૫ લાખ રૃપિયા ઓછા છે. ઓછામાં ઓછા ૫૦ લાખ રૃપિયા ફાળવવા જોઈએ. કાલે ઊઠીને કંપની કહે કે પીડિતોને વળતરની જરૃર નથી અને તમે વળતર આપવાનું બંધ કરી દો એવું પણ બની શકે, કોઈને કંપની પર વિશ્વાસ નથી, કોર્ટને પણ નહીં!