પોપ ફ્રાન્સિસનું ૮૮ વર્ષની વયે નિધન, વેટિકન સિટીમાં લીધા અંતિમ શ્વાસ
-ફેફસામાં ઈન્ફેકશનને કારણે લાંબા સમયથી બીમાર હતા -પોપ ફ્રાન્સિસ ઇતિહાસમાં પ્રથમ લેટિન અમેરિકન પોપ હતા
કેથલિક ખ્રિસ્તી ધાર્મિક નેતા પોપ ફ્રાન્સિસનું ૮૮ વર્ષની વયે અવસાન થયું છે. વેટિકન અનુસાર, પોપ આજે સ્થાનિક સમય મુજબ સવારે ૭.૩૫ વાગે અંતિમ શ્વાસ લીધા.પોપ ફ્રાન્સિસ ઇતિહાસમાં પ્રથમ લેટિન અમેરિકન પોપ હતા. તેમને ફેફસાની બિમારીને કારણે ૧૪ ફેબ્રુઆરીના રોજ રોમની જેમેલી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પોપ ફ્રાન્સિસ ન્યુમોનિયાથી પીડિત હતા. તેમના નિધનથી કેથલિક સમુદાય શોકની લહેર છવાઇ ગઇ છે.
પોપ ફ્રાન્સિસ જેસુઇટ ઓર્ડરના પ્રથમ પોપ હતા. તે ૮મી સદી પછી યુરોપની બહારના પ્રથમ પોપ હતા. આર્જેન્ટિનાના બ્યુનોસ એરેસમાં જોર્જ મારિયો બર્ગોગ્લિયો તરીકે જન્મેલા પોપ ફ્રાન્સિસને૧૯૬૯માં કેથોલિર પાદરી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ૨૮ી ફેબ્રુઆરી ૨૦૧૩ના રોજ પોપ બેનેડિકટ હિકના રાજીનામા બાદ એક પોપ કોન્કલેવે કાર્ડિનલ બર્ગોગ્લિઓને તેમના અનુગામી તરીકે ચૂંટાયા હતા. તેમણે ૧૩મી માર્ચ સેન્ટ ફ્રાન્સિપાલના સન્માનાં તેમના નામની પસંદગી કરી હતી.
પીએમ મોદીએ પોપ ફ્રાન્સિસના નિધન પર દુ:ખ વ્યકત કર્યુ છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર પોસ્ટ કરીને લખ્યું કે પોપ ફ્રાન્સિસના નિધનથી મને ખૂબ જ દુ:ખ થયું છે. આ દુ:ખની ઘડીમાં વિશ્વભરના કેથલિક સમુદાય પ્રત્યે મારી હૃદયપૂર્વકની સંવેદના. પોપ ફ્રાન્સિસને વિશ્વભરના લાખો લોકો હંમેશા કરૂણા,નમ્રતા અને આધ્યાત્મિક હિંમતના પ્રતીક તરીકે યાદ રાખશે.
પોપ ફ્રાન્સિસ એક સદી કરતાં વધુ સમયમાં વેટિકનની બહાર દફનાવવામાં આવનારા પહેલા પોપ હશે.પોપને સામાન્ય રીતે વેટિકન સિટીમાં સેન્ટ પીટર બેસિલિકાની નીચે ગુફાઓમાં દફનાવવામાં આવે છે. પરંતુ પોપ ફ્રાન્સિસને રોમમાં ટિબર નદીની બીજી બાજુ સાન્ટા મારિયા મેગીગોર બેસિલિકામાં દફનાવવામાં આવશે.
પોપે સાન્તા મારિયા મેગીગોર બેસિલિકામાં તેમનું દફન થવાની વાતનો ખુલાસો ડિસેમ્બર ૨૦૨૩માં કર્યો હતો. તેમણે કહ્યું કે તેમને મેગીગોર બેસિલિકા સાથે ખાસ સંબંધ અનુભવે છે. તેઓ રવિવારે સવારે વર્જિન મેરીના માનમાં અહીં જતા હતા. સાન્ટા મારિયા મેગીગોરમાં ૭ અન્ય પોપને પણ દફનાવવામાં આવ્યા છે. પોપ લીઓ કિકક વેટિકનની બહાર દફનાવવામાં આવેલા છેલ્લા પોપ હતા.૧૯૦૩માં તેમનું નિધન થયું હતું.