Sardar Gurjari

સોમવાર, તા. ૧૯ મે, ૨૦૨૫, વૈશાખ વદ ૬, વિ.સં. ૨૦૮૧, વર્ષ -૨૪, અંક -૩૨૯

મુખ્ય સમાચાર :
આણંદ જિલ્લામાં સ્વરક્ષણાર્થે કુલ ૯૧૪ જેટલા હથિયાર પરવાના હાલમાં સક્રિય
-છેલ્લા ત્રણ વર્ષમાં ૪૯ જેટલા હથિયાર પરવાના રદ્દ કરાયા -હથિયાર પરવાનો મેળવવા અને રીન્યુ કરાવવા માટે હવે ઓનલાઈન પ્રક્રિયા -રાજકીય નેતાઓ, પોલીસ-મહેસુલી અધિકારીઓ સહિત ઉદ્યોગપતિઓને હથિયાર પરવાના અપાયા
23/04/2025 00:04 AM Send-Mail
આણંદ જિલ્લામા અગાઉ આડેધડ લાયસન્સો અપાયાની બૂમ
આણંદ જિલ્લામાં ડીઝીટલ પ્રોસેસ થયા પહેલા અગાઉ કેટલાક આડેધડ લાયસન્સો અપાયા હોવાની બૂમ ઉઠવા પામી છે. આ અંગે જો કલેક્ટર કચેરી દ્વારા જમા કરાવેલા દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવે તો કેટલાક ભુતીયા લાયસન્સો મળી આવે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે.સુત્રોના જણાવ્યા અનુસાર રાજકીય નેતાઓ, ઉદ્યોગપતિઓ, સરકારી અધિકારીઓ, મહેસુલી અધિકારીઓ ઉપરાંત કેટલાક પોલીસ કોન્સ્ટેબલોને પણ હથિયાર પરવાના આપી દેવામાં આવ્યા હતા. જે તે સમયે તેની યોગ્ય ખરાઈ કે ચકાસણી કર્યા વગર માત્રને માત્ર લાગવગના ધોરણે આવા લાયસન્સો ઈસ્યુ થયા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

હવે નવા લાયસન્સ માટે કોઈ અરજી આવતી નથી
આણંદની જીલ્લા કલેક્ટર કચેરીની ફોજદારી શાખાના અધિકારીના જણાવ્યા અનુસાર છેલ્લા કેટલાય સમયથી મોટાભાગે નવા હથિયાર લાયસન્સો આપવાની પ્રક્રિયા બંધ જેવી જ છે. કારણ-કે મોટાભાગે કોઈ નવી અરજીઓ આવતી જ નથી. હાલમાં જે હથિયાર લાયસન્સો છે તેના પરવાના રીન્યુ કરવાની જ કામગીરી ચાલી રહી છે. તેમાંય પણ ડીએસપી અને આરએસી દ્વારા હથિયાર લાયસન્સ રીન્યુ કરવાની જરૂરત છે તેવા જ લાયસન્સો રીન્યુ કરાઈ રહ્યા છે. બિનજરૂરી લાયસન્સો મોટાભાગે રદ્દ જ કરી દેવામાં આવી રહ્યા છે. સાથે સાથે કેટલાક વૃદ્ઘાવસ્થાને કારણે, કેટલાક વિદેશમાં વસતા હોવાને કારણે જાતે જ પોતાના લાયસન્સો જમા પણ કરાવી રહ્યા છે.

એક તરફ સમગ્ર રાજ્યમાં બોગસ દસ્તાવેજોના આધારે હથિયાર પરવાના મેળવીને તેના આધારે હથિયારોની હેરાફેરી સહિતની ગેરરીતીઓ ઉજાગર થવા પામી છે ત્યારે આણંદ જિલ્લામાં હાલમાં કુલ ૯૧૪ જેટલા હથિયાર પરવાના સક્રિય હોવાનું જાણવા મળ્યું છે. છેલ્લા કેટલાક સમયથી નવા હથિયાર પરવાના મેળવવા માટેની કોઈ જ અરજીઓ પણ નહીં આવી હોય હાલમાં સક્રિય પરવાના રીન્યુ કરવાની જ કામગીરી ચાલી રહી હોવાની સત્તાવાર સુત્રો દ્વારા માહિતી ઉપલબ્ધ થવા પામી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ડીજીટલ પેમેન્ટ યુગ શરૂ થયા પહેલા એટલે કે સને ૨૦૨૦ પહેલા મોટાપાયે રૂપિયાની હેેરાફેરી કરવામાં આવતી હતી. જેને લઈને છાશવારે લુંટના બનાવો પણ બનતા હતા. આણંદ જિલ્લામાં ૨૦૧૦ના દાયકામાં ૧૦થી વધુ બેંક લુંટની ઘટના બની હતી.

આ તમામ લુંટોનો ભેદ હજી પણ વણઉકલ્યો જ રહેવા પામ્યો છે. જેને લઈને સ્વરક્ષણ અર્થે હથિયાર પરવાનો મેળવવા માટેનો ભારે ક્રેઝ હતો. તેમાંય વળી સરકારી અધિકારીઓ,મહેસુલી અધિકારીઓ તેમજ કેટલાક સાધુ-મહંતો દ્વારા પણ પોતાના સ્વરક્ષ માટે હથિયાર પરવાના મેળવવા માટે અરજીઓ કરવામાં આવી હતી અને તેઓને કલેક્ટર કચેરી દ્વારા જરૂરી દસ્તાવેજો મેળવીને હથિયાર લાયસન્સો અપાયા હતા. હથિયાર લાયસન્સ મેળવવા માટે જીલ્લા કલેક્ટર કચેરીને નિયત નમુનામાં અરજી કરવી પડતી હતી. જેમાં ત્રણ વર્ષના ઈન્કમટેક્સ રીર્ટનની કોપી, હથિયાર લાયસન્સ મેળવવા માટેનું કારણ અને તેના પુરાવા, રહેણાંક તેમજ ઓળખના પુરાવા , નિયત ફી ભર્યાનું ચલણ અને હથિયાર ચલાવવા માટે ફીઝીકલી ફીટ છો તે અંગેના એમબીબીએસના પ્રમાણપત્રની નકલો રજુ કરવી પડતી હતી. ત્યારબાદ કલેક્ટર કચેરી દ્વારા મામલતદાર અને પોલીસને અભિપ્રાય માટે મોકલી આપવામાં આવતા હતા. આ બન્ને જગ્યાએથી હકારાત્મક અભિપ્રાયો આવ્યા બાદ જીલ્લા કલેક્ટર કચેરી દ્વારા હથિયાર પરવાનો આપવામાં આવતો હતો. હથિયાર પરવાનો મેળવ્યા બાદ ભારત સરકારની આર્મ્સ એક્ટ ફેક્ટરીમાંથી હથિયાર ખરીદવામાં આવતું હતુ. જો કે છેલ્લા બે-ત્રણ વર્ષથી સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન થઈ જવા પામી છે. હથિયાર મેળવવા માટે જે તે અરજદારે ઓનલાઈન ફોર્મ ભર્યા બાદ તેની સરકાર દ્વારા નક્કી કરેલી ફીનું ચલણ ભર્યાની પહોંચ સાથે પ્રમાણિત દસ્તાવેજોની કોપી અરજી સાથે જીલ્લા કલેક્ટર કચેરી ખાતે જમા કરાવવાની હોય અને ત્યારબાદ પોલીસ અને મામલતદારના અભિપ્રાયના આધારે હથિયાર લાયસન્સો આપવામાં આવે છે. જો કે હથિયાર પરવાનો આપવો કે નહીં તેની સંપુર્ણ સત્તા જીલ્લા કલેક્ટરના હસ્તક જ હોય છે. આ જ રીતે હવે ત્રણ વર્ષ બાદ રીન્યુ કરાવવાની પણ પ્રક્રિયા હાથ ઘરવામાં આવે છે. હાલમાં ત્રણ વર્ષની મુદ્દત માટે જ હથિયાર પરવાના આપવામાં આવે છે. ત્રણ વર્ષની મુદ્દત પુરી થયા બાદ હથિયાર પરવાનો રીન્યુ કરાવવો પડતો હોય છે. જે માટે ઓનલાઈન પ્રોસેસમાંથી પસાર થવું પડે છે. જેમાં ઓનલાઈન ફોર્મ ભર્યા બાદ, ત્રણ વર્ષ માટેની નક્કી કરેલી ૧૫૦૦ રૂપિયાની ફી ભર્યાનું ચલણ, સરકારી હોસ્પીટલના એમબીબીએસનું ફીટનેશ સર્ટીફીકેટ, રહેણાંક અને ઓળખના પુરાવા, જે તે પોલીસ મથકની એનઓસી રજુ કરવા પડે છે. બાદ આરએસી દ્વારા તેની સુનાવણી હાથ ઘરવામાં આવે છે. નક્કી કરેલા દિવસે અરજદારે આરએસી સમક્ષ હાજર થઈને હથિયાર પરવાનો રાખવાની કેમ જરૂરત છે તેનો સંતોષકારક ખુલાસો કરવામાં આવે છે. જો કે આ વખતે કલેક્ટર કચેરી દ્વારા ડીએસપીના અભિપ્રાયો મંગાવવામાં આવ્યા હતા અને ત્યાંથી જેમના હકારાત્મક અભિપ્રાયો આવ્યા હોય તેવા અરજદારોના હથિયાર લાયસન્સો રીન્યુ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ જ હથિયાર પરવાનો બીજા ત્રણ વર્ષ માટે રીન્યુ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

આણંદ જિલ્લામાં કલીનીકલ એસ્ટાબ્લીશમેન્ટ એકટના ૭ માસ બાદ પણ માત્ર ૧૦૭૮ થયેલ અરજી, ૧૦ર૪ મંજૂર

અંતે ઉમરેઠથી ઓડ તરફેના ત્રિમાર્ગીય રસ્તાનું કરાયું ડામરકામ

ખંભાત : ૧.૯૦ લાખના ચેક રીર્ટન કેસમાં મહિલાને ૧ વર્ષની કેદની સજા

આણંદ : બ્રેનડેડના અંગદાન થકી જીવન જીવવા લાચાર બનેલ દર્દીઓને મળતું ‘નવજીવન’

આણંદ મનપામાં સમાવેશ થયાને ૪ માસ ઉપરાંતનો સમય છતાંયે ૪ ગામોના રહિશોને વેરો કયાં ભરવોની ‘વિમાસણ’ !

નડિયાદમાં રોગચાળાનો કહેર : ઝાડા-ઉલ્ટીના વધુ પ૦ કેસ નોંધાયા

આણંદ જિલ્લામાં ચોથા વર્ષ ડેન્ગ્યુ પોઝિટિવ કેસોમાં નોંધાયો ઘટાડો

પેટલાદ : ગર્ભ પરીક્ષણ મામલે ઇશિતા હોસ્પિટલનું સોનોગ્રાફી મશીન સીલ