Sardar Gurjari

સોમવાર, તા. ૧૯ મે, ૨૦૨૫, વૈશાખ વદ ૬, વિ.સં. ૨૦૮૧, વર્ષ -૨૪, અંક -૩૨૯

મુખ્ય સમાચાર :
આણંદ : નવા બસ સ્ટેન્ડથી સરદાર બાગ પોલીસ ચોકી સુધી બે માસથી રોડની સાઇડે મેટલ પાથર્યા બાદ અધૂરી કામગીરી
-ફુલસ્પીડમાં જતા ફોર વ્હીલર વાહનોના કારણે ઉડતા મેટલથી રાહદારી કે અન્ય વાહનચાલકને ઇજાની સંભાવના -કડિયા નાકાથી બીઓબી બેન્ક સુધીના માર્ગે પણ સાઇડમાં મેટલ નાંખ્યા બાદ અધૂરા કામથી વાહનો રોડ પર પાર્કિગથી સમસ્યા
23/04/2025 00:04 AM Send-Mail
એજન્સીને તાકિદ કરી છે, પેવરનું કામ ચાલુ થઇ જશે : મનપા
આણંદ મનપાના રોડ વિભાગના અધિકારિક સૂત્રોએ જણાવ્યું હતું કે, હોળી પર્વ મજૂરો વતનમાં ગયા હોવાથી કામગીરીમાં વિલંબ થયો છે. પરંતુ હવે દોઢ માસ જેટલો સમય થવા આવ્યો છે. જેથી આ બંને રોડની કામગીરીની એજન્સીને રુબરુ બોલાવીને તાકિદ કરવામાં આવી છે. જેમાં આગામી ચારથી પાંચ દિવસમાં મેટલ લેવલીંગ કરવા સહિત પેવરની કામગીરી ચાલુ થઇ જશે.

આણંદ મનપા બન્યા બાદ દબાણો હટાવીને માર્ગો પહોળા બનાવવાનું અભિયાન હાથ ધરાયું હતું. જેમાં નવા બસ સ્ટેન્ડથી સરદાર બાગ પોલીસ ચોકી સુધીના દબાણો હટાવ્યા બાદ બે માસ અગાઉ મેટલ પાથરવામાં આવ્યા હતા. પરંતુ ત્યારબાદ આગળની કામગીરી જ હાથ ધરવામાં ન આવતા પાથરેલા મેટલ રાહદારીઓ, નાના-મોટા વાહનચાલકો માટે પરેશાનીરૂપ બન્યા છે.

આવી જ સ્થિતિ કડિયા નાકાથી બીઓબી બેન્ક સુધીના માર્ગની જોવા મળે છે. અહીંના દબાણો હટાવીને મેટલ પાથર્યા બાદ કામગીરી આગળ ધપાવવામાં આવી નથી. જેના કારણે આ રોડ પરની દુકાનોમાં કામસર આવતા ગ્રાહકોને મેટલના કારણે પોતાના વાહનો રોડ પર પાર્ક કરવાની ફરજ પડી રહી છે. જેના કારણે ટ્રાફિકજામની સ્થિતિ ઉદ્દભવે છે. વધુમાં મેટલ પરથી ફુલસ્પીડમાં પસાર થતા ફોર વ્હીલરના કારણે ઉડતા ધારદાર મેટલ રાહદારી કે અન્ય વાહનચાલકને વાગવાથી ઇજા થવાની ભીતિ પણ રહે છે.

આ રોડના સાઇડની અધૂરી કામગીરીના કારણે નવા બસ સ્ટેશનની અંદર જતી બસોના ચાલકોને પણ બસ વાળવામાં મુશ્કેલી પડી રહી છે. ઉપરાંત બસોને અંદર લઇ જવાના માર્ગ પર પણ છેલ્લા ઘણા સમયથી કરાયેલ ખોદકામનું યોગ્ય પુરાણ કરવામાં આવ્યું નથી. જેના કારણે મુસાફરો પણ અગવડતા અનુભવી રહ્યા છે. જેથી મેટલ પાથર્યા બાદની અધૂરી કામગીરી સત્વરે પૂરી કરવામાં આવે તવી માંગ થવા પામી છે.

આણંદ જિલ્લામાં કલીનીકલ એસ્ટાબ્લીશમેન્ટ એકટના ૭ માસ બાદ પણ માત્ર ૧૦૭૮ થયેલ અરજી, ૧૦ર૪ મંજૂર

અંતે ઉમરેઠથી ઓડ તરફેના ત્રિમાર્ગીય રસ્તાનું કરાયું ડામરકામ

ખંભાત : ૧.૯૦ લાખના ચેક રીર્ટન કેસમાં મહિલાને ૧ વર્ષની કેદની સજા

આણંદ : બ્રેનડેડના અંગદાન થકી જીવન જીવવા લાચાર બનેલ દર્દીઓને મળતું ‘નવજીવન’

આણંદ મનપામાં સમાવેશ થયાને ૪ માસ ઉપરાંતનો સમય છતાંયે ૪ ગામોના રહિશોને વેરો કયાં ભરવોની ‘વિમાસણ’ !

નડિયાદમાં રોગચાળાનો કહેર : ઝાડા-ઉલ્ટીના વધુ પ૦ કેસ નોંધાયા

આણંદ જિલ્લામાં ચોથા વર્ષ ડેન્ગ્યુ પોઝિટિવ કેસોમાં નોંધાયો ઘટાડો

પેટલાદ : ગર્ભ પરીક્ષણ મામલે ઇશિતા હોસ્પિટલનું સોનોગ્રાફી મશીન સીલ