Sardar Gurjari

સોમવાર, તા. ૧૯ મે, ૨૦૨૫, વૈશાખ વદ ૬, વિ.સં. ૨૦૮૧, વર્ષ -૨૪, અંક -૩૨૯

મુખ્ય સમાચાર :
કોંગ્રેસમાં સંગઠન સૃજન અભિયાનનો પ્રારંભ
આણંદ : પ્રદેશ કોંગ્રેસના નિરીક્ષકો દ્વારા કાર્યકરો-નેતાઓ સાથે સંવાદ કરી જિલ્લા પ્રમુખની પસંદગીનો સર્વ કરશે
જિલ્લામાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓમાં કોંગ્રેસની ક્રમશ: હારનું મંથન કરીને રોડમેપ તૈયાર કરાશે : પાંચ નિરીક્ષકો દ્વારા ૩ દિવસ સુધી તાલુકાવાઇઝ કાર્યકરો અને નેતાઓ સાથે બેઠક યોજીને જિલ્લામાં કોંગ્રેસની સ્થિતિ અને જિલ્લા પ્રમુખ સહિતની નિમણૂંકો માટે રિપોર્ટ તૈયાર કરાશે
23/04/2025 00:04 AM Send-Mail
કોંગ્રેસમાં રહીને ભાજપનું કામ કરનાર સામે કાર્યવાહીની માંગ
કોંગ્રેસ પ્રદેશકક્ષાના નિરીક્ષકો સાથે સાંજે શહેરના લાયન્સ હોલમાં યોજાયેલ બેઠકમાં જિલ્લામાંથી ર૦૦થી વધુ કોંગી કાર્યકરો, નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં યુવા કાર્યકરોએ કોંગ્રેસમાં રહીને ભાજપનું કામ કરનાર અને હોદ્દો મેળવ્યા બાદ એકિટવ ન રહેનાર કોંગી નેતાઓ સામે કાર્યવાહીની માંગ કરી હતી. સાથોસાથ કોંગ્રેસ સંગઠનની નવી રચનામાં યુવા કાર્યકરો, નેતાઓને તક આપવા પણ અનુરોધ કર્યો હતો.

કરમસદની કોંગ્રેસ ટીમને સસ્પેન્ડ કર્યાનો મુદ્દો ગાજયો, સ્પષ્ટતા ન થઇ
આણંદ મનપામાં કરમસદના સમાવેશ સામે એક જૂથ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં સરદાર પટેલની ઓળખ સમાન કરમસદને આગવું સ્થાન આપવાની માંગ થઇ હતી. તે સમયે કરમસદ કોંગ્રેસ દ્વારા પણ વિરોધ પ્રદર્શનમાં જોડાવવા અંગેની અટકળો વચ્ચે આખી ટીમને પ્રભારી ઉષા નાયડુ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યાનો મામલો આજે પ નિરીક્ષકો અને બપોર બાદ યોજાયેલ બેઠકમાં પણ ચર્ચિત બન્યો હતો. જો કે આખી ટીમને સસ્પેન્ડ કરવા પાછળનો યોગ્ય ખુલાસો સવાર કે બપોર બાદની બેઠકમાં નિરીક્ષકો કરી શકયા નહતા.પરંતુ નવા સંગઠનમાં કાર્યકરની વાત પણ ધ્યાને લેવામાં આવશે સહિતની પૂર્વ ભૂમિકા વ્યકત કરી હતી.

આણંદ જિલ્લામાં આજથી કોંગ્રેસના ત્રિદિવસીય સંગઠન સૃજન અભિયાનનો પ્રારંભ થયો છે. રાહુલ ગાંધીએ અભિયાનની શરુઆત ૧પ એપ્રિલે કરી હતી. જેને સમગ્ર રાજયના જિલ્લાઓમાં અમલી બનાવવામાં આવ્યું છે.

આણંદ કોંગ્રેસ સમિતિએ આજે સવારે ૧૧ કલાકે નિર્ધારિત પ્રેસ વાર્તામાં મુખ્ય નિરીક્ષક વિલંબથી આવતા કાર્યક્રમ અંદાજે અડધો કલાક મોડો શરુ થયો હતો. આણંદ જિલ્લા મુખ્ય નિરીક્ષક તરીકે સીડબલ્યુસીના સભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી વિજય સિંગલા, પૂર્વ રાજયસભા સાંસદ અમીબેન યાજ્ઞિક, બોટાદ જિ.પં. વિરોધ પક્ષના નેતા રમેશભાઇ શીલુ, ઠાસરાના પૂર્વ ધારાસભ્ય કાંતિભાઇ પરમાર, વલસાડના નેતા પ્રકાશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. સૌને કોંગ્રેસ જિલ્લા પ્રમુખ વિનુભાઇ સોલંકી, કા.પ્રમુખ ભૃગુરાજસિંહ ચૌહાણ વગેરેએ સોૈને આવકાર્યા હતા.

વિજય સિંગલાએ ભાજપ દ્વારા ઇડીનો દૂરપયોગ અને નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા અને રાહુલ ગાંધી વિરુદ્વ ઇડીએ દાખલ કરેલ ચાર્જશીટને પક્ષપાતી અને કિન્નાખોરીયુકત ગણાવી હતી. જિલ્લામાં કોંગ્રેસના સંગઠન અંગે તેઓએ કહયું હતું કે, આજથી ત્રણ દિવસ સુધી પાંચેય નિરીક્ષકો આઠ તાલુકાની મુલાકાત લઇને કાર્યકરો અને નેતાઓ સાથે સંવાદ સાધશે. જેમાં નવા પ્રમુખ કે પક્ષના સંગઠનને મજબૂત બનાવવા અંગેના પ્રાપ્ત થનાર સૂચનો સહિતનો રિપોર્ટ તૈયાર કરાશે. ૩૧ મે પહેલા જિલ્લામાં કોંગ્રેસ પ્રમુખની જાહેરાત કરવામાં આવશે તેમ તેઓએ જણાવ્યું હતું. છેલ્લી કેટલીક ચૂંટણીઓમાં કોંગ્રેસની ઘટતી જતી બેઠકો મામલેના સવાલના જવાબમાં તેઓએ જણાવ્યું હતું કે, ભૂતકાળની સ્થાનિક સ્વરાજય સહિતની ચૂંટણીઓમાં થયેલ હારનું મંથન કરીને રોડ મેપ તૈયાર કરવામાં આવશે. પૂર્વ કેબિનેટ મંત્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ સંગઠનને મજબૂત બનાવી આગામી ર૦ર૭ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી જીતવાનું લ-ય નકકી કરાયું છે. કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયેલા નાનામાં નાનો કાર્યકર પણ પ્રમુખ બનવા માટે દાવેદારી કરી શકે છે તેમ પણ તેઓએ ઉમેર્યુ હતું. વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા અમિતભાઇ ચાવડાએ જણાવ્યું હતું કે, નિરીક્ષકો દ્વારા જિલ્લાભરના કાર્યકરો-નેતાઓ સાથેની બેઠક બાદ જિલ્લા પ્રમુખની વરણી અંગે રિપોર્ટ તૈયાર કરશે. સંગઠનને મજબૂત બનાવવા સહિતના માપદંડોના આધારે પ્રમુખપદ માટે નિમણૂંક કરાશે.

આણંદ જિલ્લામાં કલીનીકલ એસ્ટાબ્લીશમેન્ટ એકટના ૭ માસ બાદ પણ માત્ર ૧૦૭૮ થયેલ અરજી, ૧૦ર૪ મંજૂર

અંતે ઉમરેઠથી ઓડ તરફેના ત્રિમાર્ગીય રસ્તાનું કરાયું ડામરકામ

ખંભાત : ૧.૯૦ લાખના ચેક રીર્ટન કેસમાં મહિલાને ૧ વર્ષની કેદની સજા

આણંદ : બ્રેનડેડના અંગદાન થકી જીવન જીવવા લાચાર બનેલ દર્દીઓને મળતું ‘નવજીવન’

આણંદ મનપામાં સમાવેશ થયાને ૪ માસ ઉપરાંતનો સમય છતાંયે ૪ ગામોના રહિશોને વેરો કયાં ભરવોની ‘વિમાસણ’ !

નડિયાદમાં રોગચાળાનો કહેર : ઝાડા-ઉલ્ટીના વધુ પ૦ કેસ નોંધાયા

આણંદ જિલ્લામાં ચોથા વર્ષ ડેન્ગ્યુ પોઝિટિવ કેસોમાં નોંધાયો ઘટાડો

પેટલાદ : ગર્ભ પરીક્ષણ મામલે ઇશિતા હોસ્પિટલનું સોનોગ્રાફી મશીન સીલ