Sardar Gurjari

સોમવાર, તા. ૧૯ મે, ૨૦૨૫, વૈશાખ વદ ૬, વિ.સં. ૨૦૮૧, વર્ષ -૨૪, અંક -૩૨૯

મુખ્ય સમાચાર :
મહુધા : મિત્રતામાં ઉછીના પ લાખ પરત પેટેનો ચેક રીટર્ન કેસમાં એક વર્ષની કેદ
બિલોદરાના પ્રવિણસિંહ બારીયાએ રૂપપુરાના ભૂપેન્દ્રભાઇ પટેલને ચેકની રકમ ફરિયાદ કર્યા તારીખથી વસૂલ ન આપે ત્યાં સુધી ૯ ટકા વ્યાજ સાથે વળતર તરીકે ચૂકવવા હૂકમ
23/04/2025 00:04 AM Send-Mail
મહુધા તાલુકાના રુપપુરાના વ્યકિત સાથે મિત્રતા ધરાવતા બિલોદરાના મિત્રએ સાત માસના વાયદે પ લાખ ઉછીના લીધા હતા. જેની ચૂકવણી પેટે આપેલ ચેક અપૂરતા ભંડોળના શેરા સાથે પરત ફર્યો હતો. જેથી નોટિસ મોકલવા છતાંયે નાણાં પરત ન મળતા મહુધા કોર્ટમાં ફરિયાદ કરી હતી. આ કેસમાં કોર્ટે આરોપીને એક વર્ષની કેદ અને ફરિયાદ તારીખથી નાણાં વસૂલ ન આપે ત્યાં સુધી ૯ ટકા વ્યાજ સાથે વળતરપેટે ફરિયાદીને ચૂકવવાનો હૂકમ કર્યો હતો.

મળતી વિગતોમાં રૂપપુરાના ભૂપેન્દ્રભાઇ રાવજીભાઇ પટેલ બલોલ ખાતે મિત્રની અફિસે અવારનવાર કામ અર્થ જતા હતા. જયાં અવારનવાર આવતા બિલોદરાના પ્રવિણસિંહ શનાસિંહ બારીયા સાથે મિત્રતા થઇ હતી. દરમ્યાન પ્રવિણસિંહ બારીયાએ સાત માસના વાયદે પાંચ લાખ ઉછીના માંગ્યા હતા. જેથી મિત્ર તરીકે વિશ્વાસ રાખીને ભૂપેન્દ્રભાઇએ નાણાં આપ્યા હતા અને સાત માસની મુદ્દત પૂરી થતા નાણાં પરત માંગ્યા હતા.

જેથી પ્રવિણસિંહે તા. ૧૪ જૂન,ર૦ર૪નો રૂ. પ લાખનો ચેક આપ્યો હતો. જે બેંકમંાં રજૂ કરતા અપૂરતા ભંડોળના શેરા સાથે પરત ફર્યો હતો. જેથી તા. ર૪ જૂન,ર૦ર૪ના રોજ નોટિસ મોકલવા છતાંયે ચેકના નાણાં ચૂકવ્યા ન હતા. જેથી તા. ર ઓગસ્ટ,ર૦ર૪ના રોજ મહુધા કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી. આ કેસમાં રજૂ થયેલ મૌખિક-લેખિત દસ્તાવેજી પુરાવા, દલીલો સહિતના પાસા ધ્યાને લઇને કોર્ટે નોંધ્યંલ હતું કે, ફરિયાદ પક્ષ ધી નેગો.ઇન્સ્ટ´.એકટની કલમ ૧૩૮ મુજબના ગુના સબબ આરોપીને તકસીરવાન ઠરાવવા માટેના તમામ આવશ્યક તત્વો નિ:શંકપણે પૂરવાર કરી શકેલ છે. ચેક પરત ફર્યા બાદ ફરિયાદીને આ રકમ ઉપર વ્યાજનું નુકસાન થયેલ છે તે હકીકત તથા જે માનસિક યાતનાઓ થયેલ હોય તે ધ્યાને લેતા તેઓને ચેકની રકમ યોગ્ય વ્યાજના દર સાથે વળતર તરીકે પરત મળવી જોઇએની હકીકત કોર્ટે ધ્યાને લીધી હતી. ન્યાયાધીશ ભરતકુમાર મનમોહનભાઇ પરમાર (જયુડી.મેજી.ફ.ક.,મહુધા)એ આરોપી પ્રવિણસિંહ શનાસિંહ બારીયાને ધી નેગો.ઇન્સ્ટ´.એકટની કલમ ૧૩૮ હેઠળના ગુનામાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ ર૭૮(ર) અન્વયે તકસીરવાન ઠરાવી એક વર્ષની કેદની સજા ભોગવવા હૂકમ કર્યો હતો. ઉપરાંત આરોપીએ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ ૩૯૭(૩) અન્વયે ફરિયાદીને તકરારી ચેકની રકમ હાલની ફરિયાદ કર્યા તારીખથી નાણાં વસૂલ ન આપે ત્યાં સુધી ૯ ટકાના સાદા વ્યાજ સાથે વળતર તરીકે ચૂકવવા, તેમાં કસૂર બદલ વધુ ત્રણ માસની કેદની સજા ભોગવવા હૂકમ કર્યો હતો.

માતર : બાઇક અકસ્માતમાં ગંભીર ઇજાના કારણે મૃત્યુ પામનાર ચાલકના વારસદારોને ૧પ.૬૩ લાખ વળતર ચૂકવવા હૂકમ

નડિયાદમાં કોલેરાનો બીજો કેસ : સુરતથી પરત ફરેલા વ્યકિતનો રિપોર્ટ પોઝિટિવ

વડતાલથી નડિયાદ જવા માટે સવારે ૧૦.૧૦ કલાકે બસ ઉપડ્યા પછી બે કલાક સુધીમાં એકપણ બસ નથી

નડિયાદના શાંતિ ફળિયામાં કોલેરાનો કેસ નોંધાયો, ર કિ.મી. વિસ્તાર અસરગ્રસ્ત જાહેર

ખેડા જિલ્લામાં ૯૧ ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીને લઈ સ્થાનિક રાજકારણમાં ગરમાવો

નડિયાદની વિધી જાદવએ છેલ્લા ૧૦ વર્ષમાં ૩૯૭ શહીદ પરિવારોને નાણાંકીય મદદ સાથે દેશભક્તિ વ્યક્ત કરી

ડાકોર : પૂનમે દર્શનાર્થીઓની ભીડ ટાણે બ્રિજમાં વધુ એક ગાબડું, ટ્રાફિકની સમસ્યા

કપડવંજ ડેપોના રાજાપાઠમાં પકડાયેલ કંડકટર સસ્પેન્ડ, ખંભાત મૂકાયો