જે મહિલાની હત્યાનો આરોપ હતો તે જીવતી મળી, દિલ્હી હાઈકોર્ટે ૨૦૧૮થી જેલમાં બંધ વ્યકિતને નિર્દોષ જાહેર કર્યો
જે યુવતીની લાશ મળી હતી તેની ઓળખ હજુ સુધી થઈ નથી
દિલ્હી હાઇકોર્ટે મહિલાની હત્યાના આરોપમાં જેલમાં બંધ એક વ્યકિતને જામીન આપ્યા તે ૨૦૧૮થી જેલમાં હતો. જેની હત્યા માટે તેને જેલમાં મોકલવામાં આવ્યો તે મહિલા જીવિત મળી આવી છે. તે જ સમયે, જે યુવતીની લાશ મળી હતી તેની ઓળખ હજુ સુધી થઇ નથી.
જસ્ટિસ ગિરિશ કઠપાલિયાએ ૨૧ એપ્રિલે આ કેસની સુનાવણી કરી હતી. તેમણે કહ્યું હતું કે એવું કહેવું જોઇએ કે આ કેસની તપાસ કોર્ટના અંતરાત્માને હચમચાવી નાખ્યું છે, મૃતક મહિલાની હજુ સુધી ઓળખ થઇ નથી.
જસ્ટિસ કઠપાલિયાએ કહ્યું- આ ખૂબ જ દુ:ખદ છે કે ૭ વર્ષ પહેલા એક મહિલાએ આટલી ભયાનક રીતે પોતાનો જીવ ગુમાવ્યો, તેના શરીરના ટુકડા કરવામાં આવ્યા, પરંતુ આજ સુધી તેની ઓળખ થઇ શકી નથી. આ કેસમાં બેદરકારી દાખવવા બદલ કોર્ટે પોલીસને પણ ફટકાર લગાવી હતી.
વાસ્તવમાં, મનજીત કેરકટ્ટાએ એ આધાર પર જામીન માગ્યા હતા કે તે ૨૦૧૮થી જેલમાં છે,પરંતુ હજી સુધી તે પુષ્ટિ થઇ નથી કે હત્યા કોણે કરી છે. કારણકે મહિલા સોની ઉર્ફે છોટી, જેની હત્યા માટે તેને જેલમાં મોકલવામાં આવ્યો હતો તે જીવિત છે. જે વ્યકિતની લાશ મળી આવી તેની ઓળખ થઇ શકી નથી.
મનજીતે કહ્યું કે તેને માત્ર એ આધારે આરોપી બનાવવામાં આવ્યો હતો કે તે સોની સાથે છેલ્લે જોવા મળ્યો હતો. પોલીસે ૧૭ મે ૨૦૧૮ના રોજ મનજીતની ધરપકડ કરી હતી.
પોલીસે આ કેસમાં પાંચ ફરિયાદ નોંધી હતી. સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યુંકે તપાસ પર નજર રાખવાની જવાબદારી માત્ર તપાસકર્તા (પોલીસ)ની જ નહીં પરંતુ વરિષ્ઠ પોલીસ અધિકારીઓની પણ છે. પરંતુ એવું લાગે છે કે તેણે સખત મહેનત કરી નથી.
જયારે અન્ય પક્ષે મનજીતના જામીનનો વિરોધ કર્યો હતો. કોર્ટે કહ્યું કે આરોપીને સ્વતંત્રતાથી વંચિત ન રાખી શકાય કારણકે પીડિતાની ઓળખ થઇ શકી નથી. કોર્ટે કહ્યું - આરોપીની જામીન અરજી સ્વીકારવામાં આવે છે અને નિર્દેશ આપવામાં આવે છે કે આરોપીને તાત્કાલિક જામીન પર મુકત કરવામાં આવે.