Sardar Gurjari

સોમવાર, તા. ૧૯ મે, ૨૦૨૫, વૈશાખ વદ ૬, વિ.સં. ૨૦૮૧, વર્ષ -૨૪, અંક -૩૨૯

મુખ્ય સમાચાર :
જે મહિલાની હત્યાનો આરોપ હતો તે જીવતી મળી, દિલ્હી હાઈકોર્ટે ૨૦૧૮થી જેલમાં બંધ વ્યકિતને નિર્દોષ જાહેર કર્યો
જે યુવતીની લાશ મળી હતી તેની ઓળખ હજુ સુધી થઈ નથી
24/04/2025 00:04 AM Send-Mail
દિલ્હી હાઇકોર્ટે મહિલાની હત્યાના આરોપમાં જેલમાં બંધ એક વ્યકિતને જામીન આપ્યા તે ૨૦૧૮થી જેલમાં હતો. જેની હત્યા માટે તેને જેલમાં મોકલવામાં આવ્યો તે મહિલા જીવિત મળી આવી છે. તે જ સમયે, જે યુવતીની લાશ મળી હતી તેની ઓળખ હજુ સુધી થઇ નથી.

જસ્ટિસ ગિરિશ કઠપાલિયાએ ૨૧ એપ્રિલે આ કેસની સુનાવણી કરી હતી. તેમણે કહ્યું હતું કે એવું કહેવું જોઇએ કે આ કેસની તપાસ કોર્ટના અંતરાત્માને હચમચાવી નાખ્યું છે, મૃતક મહિલાની હજુ સુધી ઓળખ થઇ નથી.

જસ્ટિસ કઠપાલિયાએ કહ્યું- આ ખૂબ જ દુ:ખદ છે કે ૭ વર્ષ પહેલા એક મહિલાએ આટલી ભયાનક રીતે પોતાનો જીવ ગુમાવ્યો, તેના શરીરના ટુકડા કરવામાં આવ્યા, પરંતુ આજ સુધી તેની ઓળખ થઇ શકી નથી. આ કેસમાં બેદરકારી દાખવવા બદલ કોર્ટે પોલીસને પણ ફટકાર લગાવી હતી. વાસ્તવમાં, મનજીત કેરકટ્ટાએ એ આધાર પર જામીન માગ્યા હતા કે તે ૨૦૧૮થી જેલમાં છે,પરંતુ હજી સુધી તે પુષ્ટિ થઇ નથી કે હત્યા કોણે કરી છે. કારણકે મહિલા સોની ઉર્ફે છોટી, જેની હત્યા માટે તેને જેલમાં મોકલવામાં આવ્યો હતો તે જીવિત છે. જે વ્યકિતની લાશ મળી આવી તેની ઓળખ થઇ શકી નથી. મનજીતે કહ્યું કે તેને માત્ર એ આધારે આરોપી બનાવવામાં આવ્યો હતો કે તે સોની સાથે છેલ્લે જોવા મળ્યો હતો. પોલીસે ૧૭ મે ૨૦૧૮ના રોજ મનજીતની ધરપકડ કરી હતી. પોલીસે આ કેસમાં પાંચ ફરિયાદ નોંધી હતી. સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યુંકે તપાસ પર નજર રાખવાની જવાબદારી માત્ર તપાસકર્તા (પોલીસ)ની જ નહીં પરંતુ વરિષ્ઠ પોલીસ અધિકારીઓની પણ છે. પરંતુ એવું લાગે છે કે તેણે સખત મહેનત કરી નથી. જયારે અન્ય પક્ષે મનજીતના જામીનનો વિરોધ કર્યો હતો. કોર્ટે કહ્યું કે આરોપીને સ્વતંત્રતાથી વંચિત ન રાખી શકાય કારણકે પીડિતાની ઓળખ થઇ શકી નથી. કોર્ટે કહ્યું - આરોપીની જામીન અરજી સ્વીકારવામાં આવે છે અને નિર્દેશ આપવામાં આવે છે કે આરોપીને તાત્કાલિક જામીન પર મુકત કરવામાં આવે.

હૈદરાબાદ : ગુલઝાર હાઉસમાં ભીષણ આગ ભભૂકતા ૮ બાળકો સહિત ૧૭ના મોત

ઉત્તર પ્રદેશ : ડેપ્યુટી સીએમ બ્રિજેશ પાઠક પર અભદ્ર ટિપ્પણી

રાષ્ટ્રપતિ દ્વારા સુપ્રીમ કોર્ટપાસે માગેલા સંદર્ભના વિરોધમાં સ્ટાલિને બિન-ભાજપ શાસિત રાજયોના મુખ્યમંત્રીઓ પાસેથી માંગ્યું સમર્થન

ભારતનું બંધારણ સર્વોચ્ચ, લોકશાહીના ત્રણેય સ્તંભોએ સાથે મળીને કામ કરવું જોઈએ : સીજેઆઈ

ડ્રોન-વિસ્ફોટક ખરીદવા કેન્દ્ર સરકારે ૪૦ હજાર કરોડ કર્યા મંજૂર

ભારત મોટા યુદ્ઘની તૈયારીમાં : સંરક્ષણ મંત્રાલય દ્વારા વધારાનું ભંડોળ ફાળવવાનો સરકારને પ્રસ્તાવ

૫ાકિસ્તાનને પ્રહાર : ભારત ચિનાબ નદી પરના રીવર જળવિધુત પ્રોજેક્ટસ બગલિહાર અને સલાલમાં દર મહિને ફલશિંગ કરશે

સેના અને સૈનિકો વડાપ્રધાન મોદીના ચરણોમાં નતમસ્તક મધ્યપ્રદેશ ભાજપ સરકારના ઉપમુખ્યમંત્રીનો બફાટ