જમ્મુ-કાશ્મીરમાં હાલ ૫૬ જેટલા આતંકવાદી સક્રિય : સૌથી વધુ લશ્કર-એ-તૈયબાના
૧૮ 'જૈશ-એ-મોહમ્મદ'ના, ૩ હિઝબુલ મુજાહિદ્દીનના અને ૩૫ 'લશ્કર-એ-તૈયબા'ના હોવાનું કહેવાઈ રહ્યું છે
મંગળવાર, ૨૨ એપ્રિલ ૨૦૨૫ ના રોજ કાશ્મીરમાં ભયંકર આતંકવાદી હુમલો થયો, જેના લીધે દેશ આખો થથરી ઊઠયો. પહેલગામમાં સહેલ કરી રહેલા પ્રવાસીઓને લક્ષ બનાવીને આતંકવાદીઓએ ગોળીબાર કર્યા હતા જેમાં ઓછામાં ઓછા ૨૮ નાગરિકો માર્યા ગયા છે.
હુમલાખોરો પાકિસ્તાનથી જમ્મુ-કાશ્મીરમાં પ્રવેશ્યા હોવાનું કહેવાઈ રહ્યું છે. જમ્મુ-કાશ્મીરમાં હાલમાં ઓછામાં ઓછા ૫૬ વિદેશી આતંકવાદીઓ સક્રિય હોવાનો અંદાજ છે.
એમાંના ૧૮ 'જૈશ-એ-મોહમ્મદ' (ત્નીસ્)ના, ૩ હિઝબુલ મુજાહિદ્દીન (ઁસ્)ના અને ૩૫ 'લશ્કર-એ-તૈયબા' (ન્ી્) ના હોવાનું કહેવાઈ રહ્યું છે. આ આંકડા સુરક્ષા દળો દ્વારા જાળવવામાં આવેલા રેકોર્ડમાં દર્શાવાયા છે.
પહેલગામના હુમલાની જવાબદારી 'ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ' (્ઇહ્લ) નામના આતંકવાદી જૂથે સ્વીકારી છે, પરંતુ સુરક્ષા દળો અને નિષ્ણાતોએ એમનો દાવો એમ કહીને ફગાવી દીધો છે કે, હુમલા પાછળ અસલી હાથ લશ્કર-એ-તૈયબાનો છે અને લશ્કર-એ-તૈયબા પાકિસ્તાનની જાસૂસી સંસ્થા ૈંજીૈં નું પ્યાદું છે. ટૂંકમાં, આ હુમલાનું કાવતરું પાકિસ્તાને કર્યું છે.
સુરક્ષા દળોનો રિપોર્ટ કહે છે કે, જમ્મુ-કાશ્મીરમાં ૧૭ સ્થાનિક આતંકવાદીઓ પણ છે. 'રાષ્ટ્રીય તપાસ એજન્સી' (ગ્દૈંછ - ધ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી) આ મુદ્દે તપાસ હાથ ધરે તેવી શક્યતા છે.
જમ્મુ-કાશ્મીરમાં ભૂતકાળમાં પણ પ્રવાસીઓ પર છૂટાછવાયા હુમલા થયા છે, પરંતુ તાજેતરમાં પહેલગામમાં જે થયું એ લેવલનો હુમલો અગાઉ ક્યારેય નથી થયો.
ભૂતકાળમાં સ્થાનિક અને વિદેશી બંને આતંકવાદીઓએ મોટાભાગે અમરનાથ યાત્રાળુઓને નિશાન બનાવ્યા હતા, પરંતુ પહેલગામ હુમલામાં તેમણે અલગ વ્યૂહરચના અપનાવી છે. તેથી આ બાબત વિશેષપણે ચિંતાજનક છે.
આ આતંકી હુમલાના પરિણામ ગંભીર આવવાના છે. માંડ બેઠો થયેલો કાશ્મીરનો પ્રવાસન ઉદ્યોગ ફરી ઠપ થઈ જશે. પ્રવાસીઓ કાશ્મીર આવતા ડરશે. તેમના બુકિંગ રદ કરશે. હોટલો ખાલી થઈ જશે. પાકિસ્તાન એ જ ઈચ્છે છે કે, કાશ્મીર ભારતથી અલગથલગ થઈ જાય અને રાજ્યમાં તેના આતંકવાદીઓની આણ વર્તાતી રહે.