Sardar Gurjari

સોમવાર, તા. ૧૯ મે, ૨૦૨૫, વૈશાખ વદ ૬, વિ.સં. ૨૦૮૧, વર્ષ -૨૪, અંક -૩૨૯

મુખ્ય સમાચાર :
જમ્મુ-કાશ્મીરમાં હાલ ૫૬ જેટલા આતંકવાદી સક્રિય : સૌથી વધુ લશ્કર-એ-તૈયબાના
૧૮ 'જૈશ-એ-મોહમ્મદ'ના, ૩ હિઝબુલ મુજાહિદ્દીનના અને ૩૫ 'લશ્કર-એ-તૈયબા'ના હોવાનું કહેવાઈ રહ્યું છે
24/04/2025 00:04 AM Send-Mail
મંગળવાર, ૨૨ એપ્રિલ ૨૦૨૫ ના રોજ કાશ્મીરમાં ભયંકર આતંકવાદી હુમલો થયો, જેના લીધે દેશ આખો થથરી ઊઠયો. પહેલગામમાં સહેલ કરી રહેલા પ્રવાસીઓને લક્ષ બનાવીને આતંકવાદીઓએ ગોળીબાર કર્યા હતા જેમાં ઓછામાં ઓછા ૨૮ નાગરિકો માર્યા ગયા છે.

હુમલાખોરો પાકિસ્તાનથી જમ્મુ-કાશ્મીરમાં પ્રવેશ્યા હોવાનું કહેવાઈ રહ્યું છે. જમ્મુ-કાશ્મીરમાં હાલમાં ઓછામાં ઓછા ૫૬ વિદેશી આતંકવાદીઓ સક્રિય હોવાનો અંદાજ છે.

એમાંના ૧૮ 'જૈશ-એ-મોહમ્મદ' (ત્નીસ્)ના, ૩ હિઝબુલ મુજાહિદ્દીન (ઁસ્)ના અને ૩૫ 'લશ્કર-એ-તૈયબા' (ન્ી્) ના હોવાનું કહેવાઈ રહ્યું છે. આ આંકડા સુરક્ષા દળો દ્વારા જાળવવામાં આવેલા રેકોર્ડમાં દર્શાવાયા છે. પહેલગામના હુમલાની જવાબદારી 'ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ' (્ઇહ્લ) નામના આતંકવાદી જૂથે સ્વીકારી છે, પરંતુ સુરક્ષા દળો અને નિષ્ણાતોએ એમનો દાવો એમ કહીને ફગાવી દીધો છે કે, હુમલા પાછળ અસલી હાથ લશ્કર-એ-તૈયબાનો છે અને લશ્કર-એ-તૈયબા પાકિસ્તાનની જાસૂસી સંસ્થા ૈંજીૈં નું પ્યાદું છે. ટૂંકમાં, આ હુમલાનું કાવતરું પાકિસ્તાને કર્યું છે. સુરક્ષા દળોનો રિપોર્ટ કહે છે કે, જમ્મુ-કાશ્મીરમાં ૧૭ સ્થાનિક આતંકવાદીઓ પણ છે. 'રાષ્ટ્રીય તપાસ એજન્સી' (ગ્દૈંછ - ધ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી) આ મુદ્દે તપાસ હાથ ધરે તેવી શક્યતા છે. જમ્મુ-કાશ્મીરમાં ભૂતકાળમાં પણ પ્રવાસીઓ પર છૂટાછવાયા હુમલા થયા છે, પરંતુ તાજેતરમાં પહેલગામમાં જે થયું એ લેવલનો હુમલો અગાઉ ક્યારેય નથી થયો. ભૂતકાળમાં સ્થાનિક અને વિદેશી બંને આતંકવાદીઓએ મોટાભાગે અમરનાથ યાત્રાળુઓને નિશાન બનાવ્યા હતા, પરંતુ પહેલગામ હુમલામાં તેમણે અલગ વ્યૂહરચના અપનાવી છે. તેથી આ બાબત વિશેષપણે ચિંતાજનક છે. આ આતંકી હુમલાના પરિણામ ગંભીર આવવાના છે. માંડ બેઠો થયેલો કાશ્મીરનો પ્રવાસન ઉદ્યોગ ફરી ઠપ થઈ જશે. પ્રવાસીઓ કાશ્મીર આવતા ડરશે. તેમના બુકિંગ રદ કરશે. હોટલો ખાલી થઈ જશે. પાકિસ્તાન એ જ ઈચ્છે છે કે, કાશ્મીર ભારતથી અલગથલગ થઈ જાય અને રાજ્યમાં તેના આતંકવાદીઓની આણ વર્તાતી રહે.

હૈદરાબાદ : ગુલઝાર હાઉસમાં ભીષણ આગ ભભૂકતા ૮ બાળકો સહિત ૧૭ના મોત

ઉત્તર પ્રદેશ : ડેપ્યુટી સીએમ બ્રિજેશ પાઠક પર અભદ્ર ટિપ્પણી

રાષ્ટ્રપતિ દ્વારા સુપ્રીમ કોર્ટપાસે માગેલા સંદર્ભના વિરોધમાં સ્ટાલિને બિન-ભાજપ શાસિત રાજયોના મુખ્યમંત્રીઓ પાસેથી માંગ્યું સમર્થન

ભારતનું બંધારણ સર્વોચ્ચ, લોકશાહીના ત્રણેય સ્તંભોએ સાથે મળીને કામ કરવું જોઈએ : સીજેઆઈ

ડ્રોન-વિસ્ફોટક ખરીદવા કેન્દ્ર સરકારે ૪૦ હજાર કરોડ કર્યા મંજૂર

ભારત મોટા યુદ્ઘની તૈયારીમાં : સંરક્ષણ મંત્રાલય દ્વારા વધારાનું ભંડોળ ફાળવવાનો સરકારને પ્રસ્તાવ

૫ાકિસ્તાનને પ્રહાર : ભારત ચિનાબ નદી પરના રીવર જળવિધુત પ્રોજેક્ટસ બગલિહાર અને સલાલમાં દર મહિને ફલશિંગ કરશે

સેના અને સૈનિકો વડાપ્રધાન મોદીના ચરણોમાં નતમસ્તક મધ્યપ્રદેશ ભાજપ સરકારના ઉપમુખ્યમંત્રીનો બફાટ