Sardar Gurjari

સોમવાર, તા. ૧૯ મે, ૨૦૨૫, વૈશાખ વદ ૬, વિ.સં. ૨૦૮૧, વર્ષ -૨૪, અંક -૩૨૯

મુખ્ય સમાચાર :
આતંકવાદીઓની કાયરતાપૂર્ણ હરકતને વિશ્વભરના દેશોએ વખોડી
યુએસ રાષ્ટ્ર પ્રમુખ ટ્રમ્પ, રશિયન રાષ્ટ્ર પ્રમુખ પુતિન અને ઈટાલિયન વડા પ્રધાન જ્યોર્જિયા મેલોનીએ ભારત સાથે એકતા દર્શાવી છે
24/04/2025 00:04 AM Send-Mail
યુએસ રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ, રશિયન રાષ્ટ્ર પ્રમુખ વ્લાદિમીર પુતિન અને ઇટાલિયન વડા પ્રધાન જ્યોર્જિયા મેલોનીએ ભારત સાથે એકતા દર્શાવી છે. જેમાં પહલગામ, જમ્મુ અને કાશ્મીરમાં થયેલા આતંકી હુમલાની નિંદા કરી હતી. યુએસ રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે, પહલગામ આતંકી હુમલાની નિંદા કરતા, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું છે કે કાશ્મીરમાંથી ઘણા ખલેલ પહોંચાડનારા સમાચાર આવ્યા છે. અમેરિકા આતંકવાદ સામે ભારત સાથે નિશ્ચિતપણે ઊભું છે. અમે હુમલામાં માર્યા ગયેલા લોકોની આત્માઓની શાંતિ માટે પ્રાર્થના કરીએ છીએ.

અમેરિકાના ઉપ રાષ્ટ્રપતિ જેડી વાન્સ અને તેમના પત્ની ઉષા ચિલુકુરીએ પણ મંગળવારે પહલગામ આતંકી હુમલામાં માર્યા ગયેલા લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. ભારતની યાત્રા પર આવેલા વાન્સે એક્ટ પર એક પોસ્ટમાં કહ્યું કે, ઉષા અને હું ભારતમાં પહલગામમાં ખતરનાક આતંકી હુમલાથી પીડિત લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરીએ છીએ. તેમણે કહ્યું કે, છેલ્લા કેટલાક દિવસમાં અમે આ દેશ અને તેમના લોકોની સુંદરતાથી અભિભૂત છીએ. આ ભયાનક હુમલામાં અમારો વિચારો અને પ્રાર્થનાઓ તેમની સાથે છે.

ઈટલીના વડાપ્રધાને પણ પહલગામ હુમલાની નિંદા કરતા ભારત સરકાર અને અહીંના લોકો સાથે એકજૂટતાની વાત કહી છે. મેલોનીએ પીડિત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.તો વળી રશિયાના રાષ્ટ્ર પ્રમુખ વ્લાદિમીર પુતિને એક્સ પર એક પોસ્ટમાં કહ્યું કે, આ ક્રૂર અપરાધનું કોઈ ઔચિત્ય નથી. આશા કરીએ છીએ કે, હુમલાને અંજામ આપનારા અપરાધીઓને યોગ્ય સજા મળશે. તેમણે આગળ કહ્યું કે, તેઓ આતંકવાદ વિરુદ્ધ લડાઈમાં ભારતીયો સાથે પોતાની કટિબદ્ધતામાં ફરીથી ભાગીદાર માને છે. ઇઝરાઇલે કહ્યું હતું કે જમ્મુ -કાશ્મીરના પ્રવાસીઓ પરના આતંકવાદી હુમલા અંગે સાંભળ્યું તે ખૂબ જ દુખદ છે અને આતંકવાદ સામેની લડતમાં ભારત સાથે ઊભા છીએ. ઇઝરાઇલના વિદેશ પ્રધાન ગિડોન સારે એક્સ પર આ હુમલામાં માર્યા ગયેલા લોકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે જમ્મુ -કાશ્મીરના પહલગામમાં પ્રવાસીઓ પર આતંકવાદી હુમલો ખૂબ જ દુખદ છે. અમારી સંવેદના પીડિતો અને તેમના પરિવારો સાથે છે. દરમિયાન, સંયુક્ત આરબ અમીરાત વિદેશ મંત્રાલયે પણ આતંકવાદી હુમલાની ભારપૂર્વક નિંદા કરી હતી. તેમણે એવું કહ્યું કે યુએઈ આ ગુનાહિત કૃત્યોની સખત નિંદા કરે છે અને આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન કરીને સુરક્ષા અને સ્થિરતાને નબળી બનાવવા માટે તમામ પ્રકારના આતંકવાદ ફગાવે છે.

હૈદરાબાદ : ગુલઝાર હાઉસમાં ભીષણ આગ ભભૂકતા ૮ બાળકો સહિત ૧૭ના મોત

ઉત્તર પ્રદેશ : ડેપ્યુટી સીએમ બ્રિજેશ પાઠક પર અભદ્ર ટિપ્પણી

રાષ્ટ્રપતિ દ્વારા સુપ્રીમ કોર્ટપાસે માગેલા સંદર્ભના વિરોધમાં સ્ટાલિને બિન-ભાજપ શાસિત રાજયોના મુખ્યમંત્રીઓ પાસેથી માંગ્યું સમર્થન

ભારતનું બંધારણ સર્વોચ્ચ, લોકશાહીના ત્રણેય સ્તંભોએ સાથે મળીને કામ કરવું જોઈએ : સીજેઆઈ

ડ્રોન-વિસ્ફોટક ખરીદવા કેન્દ્ર સરકારે ૪૦ હજાર કરોડ કર્યા મંજૂર

ભારત મોટા યુદ્ઘની તૈયારીમાં : સંરક્ષણ મંત્રાલય દ્વારા વધારાનું ભંડોળ ફાળવવાનો સરકારને પ્રસ્તાવ

૫ાકિસ્તાનને પ્રહાર : ભારત ચિનાબ નદી પરના રીવર જળવિધુત પ્રોજેક્ટસ બગલિહાર અને સલાલમાં દર મહિને ફલશિંગ કરશે

સેના અને સૈનિકો વડાપ્રધાન મોદીના ચરણોમાં નતમસ્તક મધ્યપ્રદેશ ભાજપ સરકારના ઉપમુખ્યમંત્રીનો બફાટ