Sardar Gurjari

સોમવાર, તા. ૧૯ મે, ૨૦૨૫, વૈશાખ વદ ૬, વિ.સં. ૨૦૮૧, વર્ષ -૨૪, અંક -૩૨૯

મુખ્ય સમાચાર :
પહલગામ આતંકવાદી હુમલો
પડદા પાછળ જે પણ છે, બધાને જવાબ મળશે: રાજનાથ સિંહ
હું દેશવાસીઓને આશ્વસ્ત કરવા માંગુ છું કે સરકાર દરેક જરૂરી પગલાં ભરશે : રક્ષા મંત્રી રાજનાથ સિંહનું નિવદેન
24/04/2025 00:04 AM Send-Mail
જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાના લીધે દેશ ક્રોધે ભરાયેલો છે. દરેક તેની પાછળ છુપાયેલા લોકો પર કાર્યવાહી ઇચ્છે છે. એવામાં રક્ષા મંત્રી રાજનાથ સિંહે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે પહલગામમાં થયેલા કાયરતાપૂર્ણ હુમલામાં આપણે ઘણી માસૂમ જીંદગીઓ ગુમાવી દીધી છે. અમને આ વાતનું દુખ છે. હું તે પરિવારો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું જેમને પોતાના પરિજનોનો ગુમાવ્યા. અમારી આતંકવાદ પ્રત્યે જીરો ટૉલરેન્સની નીતિ છે. હું દેશવાસીઓને આશ્વસ્ત કરવા માંગુ છું કે સરકાર દરેક જરૃરી પગલાં ભરશે. અમે ના ફક્ત આ કૃત્યને અંજામ આપનાર દોષીઓ સુધી પહોંચીશું પરંતુ પડદા પાછળના લોકો સુધી પણ પહોંચીશું. આરોપીઓને જલદી જોરદાર અને સ્પષ્ટ જવાબ મળશે, હું દેશને આશ્વસ્ત કરવા માંગુ છું.

આતંકવાદી હુમલા બાદ કેન્દ્રની મોદી સરકાર એલર્ટ મોડ પર આવી ગઇ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાઉદી અરબનો પ્રવાસ અધૂરો છોડીને દિલ્હી આવ્યા ગયા અને આવતાં જ એક્શન મોડમાં જોવા મળ્યા. દિલ્હીમાં સાંજે ૬ વાગે સીસીએસની બેઠક યોજાઇ રહી છે. આ દરમિયાન આતંકી હુમલાથી બદલાતી પરિસ્થિતિ વચ્ચે ત્રણેય સેનાઓના પ્રમુખોએ પણ રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે તે દરેક પરિસ્થિતિ માટે તૈયાર છે.

સૂત્રોનું કહેવું છે કે રક્ષા મંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં દિલ્હીમાં યોજાયેલી હાઇ લેવલ મીટિંગમાં જમ્મુ કાશ્મીરની સમગ્ર સ્થિતિની સમીક્ષા કરવામાં આવી. આ બેઠકમાં પ્રમુખ રક્ષા અધ્યક્ષ સીડીએસ જનરલ અનિલ ચૌહાણ, ત્રણેય સેનાઓના પ્રમુખ અને રક્ષા સચિવે ભાગ લીધો હતો. આ બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ પણ સામેલ હતા. સરંક્ષણ મંત્રી રાજનાથ સિંહે જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાના પરિણામોની ચર્ચા કરવા અને કેન્દ્રશાસિત પ્રદેશમાં સુરક્ષા પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અને ત્રણેય સૈન્યના પ્રમુખ તથા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે સાથે ઈમરજન્સી બેઠક કરી હતી. આ બેઠક લગભગ અઢી કલાક સુધી ચાલી હતી. આ પહેલા આજે સંરક્ષણ મંત્રીને પહલગામ અને સમગ્ર જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા પરિસ્થિતિ વિશે આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી અને તેમના નૌકાદળના સમકક્ષ એડમિરલ દિનેશ ત્રિપાઠી દ્વારા માહિતી આપવામાં આવી હતી. બેઠકમાં જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષા પરિસ્થિતિ સંબંધિત તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં ગ્દજીછ અજિત ડોભાલ અને ત્રણેય સૈન્ય પ્રમુખો તથા ઝ્રડ્ઢજી સાથે જમ્મુ-કાશ્મીરની સુરક્ષા પરિસ્થિતિ સંબંધિત તમામ મુદ્દાઓ પર અઢી કલાક સુધી બેઠક ચાલી હતી.

હૈદરાબાદ : ગુલઝાર હાઉસમાં ભીષણ આગ ભભૂકતા ૮ બાળકો સહિત ૧૭ના મોત

ઉત્તર પ્રદેશ : ડેપ્યુટી સીએમ બ્રિજેશ પાઠક પર અભદ્ર ટિપ્પણી

રાષ્ટ્રપતિ દ્વારા સુપ્રીમ કોર્ટપાસે માગેલા સંદર્ભના વિરોધમાં સ્ટાલિને બિન-ભાજપ શાસિત રાજયોના મુખ્યમંત્રીઓ પાસેથી માંગ્યું સમર્થન

ભારતનું બંધારણ સર્વોચ્ચ, લોકશાહીના ત્રણેય સ્તંભોએ સાથે મળીને કામ કરવું જોઈએ : સીજેઆઈ

ડ્રોન-વિસ્ફોટક ખરીદવા કેન્દ્ર સરકારે ૪૦ હજાર કરોડ કર્યા મંજૂર

ભારત મોટા યુદ્ઘની તૈયારીમાં : સંરક્ષણ મંત્રાલય દ્વારા વધારાનું ભંડોળ ફાળવવાનો સરકારને પ્રસ્તાવ

૫ાકિસ્તાનને પ્રહાર : ભારત ચિનાબ નદી પરના રીવર જળવિધુત પ્રોજેક્ટસ બગલિહાર અને સલાલમાં દર મહિને ફલશિંગ કરશે

સેના અને સૈનિકો વડાપ્રધાન મોદીના ચરણોમાં નતમસ્તક મધ્યપ્રદેશ ભાજપ સરકારના ઉપમુખ્યમંત્રીનો બફાટ