ખોરાક અને ઔષદ નિયમન તંત્ર તપાસમાં
સલુણમાં આવેલા ન્યુ શ્રી બાલ ગણેશ નમકીન પેઢીને રૂા. ૫૦ હજારનો દંડ
નડિયાદમાં ચાઈનીઝની દુકાનમાં તપાસ દરમ્યાન પાણીની ટાંકીમાં લીલ મળી આવતા નોટીસ ફટકારી
નડિયાદ તાલુકાના સલુણમાં આવેલ ન્યુ શ્રી બાલગણેશ નમકીનને રૂા.૫૦ હજારનો દંડ એડિશ્નલ કલેક્ટર દ્વારા કરવામાં આવ્યો છે. જ્યારે નડિયાદમાં આવેલા એક ચાઈનીઝ પડીને પાણીની ટાંકીમાં લીલ નોટિસ ફટકારવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે.
મળતી માહિતી અનુાસર નડિયાદના ખોરાક અને ઔષધ નિયમન તંત્રના ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા તા. ૧૭-૧૦-૨૪ના રોજ નડિયાદ તાલુકાના સલુણમાં આવેલા ન્યુ શ્રી બાલગણેશ નમકીનમાંથી ખાદ્યચીજ નમકીન શ્રી બાલગણેશ બ્રાન્ડ ૫૦૦ ગ્રામ કંપની એક પાઉચનો નમૂનો તપાસ અર્થ લઈ ગુજરાત રાજ્યની ફુડ લેબોરેટરીમાં પૃથ્થકરણ માટે મોકલી આપવામાં આવ્યું હતું. તેમજ સ્થળ પર લેબલ બાબતે શંકા જતા ૩૦૦ નમકીનના પેકેટનો જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો. મહત્વની બાબત એ હતી કે નમુનાના કંપની પેક પાઉચ ઉપર લેબલની વિસંગતતાઓને લીધે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ મુજબ નમુનો મીસબ્રાન્ડેડ કર્યો હતો. જેથી તેઓ વિરૂદ્ઘ ફુડ સેફ્ટી ઓફિસર દ્વારા તા. ૨૩-૧-૨૫ના રોજ રેસિડેન્સીયલ એડિશ્નલ કલેક્ટર અને એજ્યુડિકેટીંગ ઓફિસરની કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. જે કેસ ચાલી જતાં ન્યુ શ્રી બાલગણેશ નમકીન પેઢીના માલિકને રૂા. ૫૦ હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે.
આ ઉપરાંત તા. ૧૭-૪-૨૦૨૫ના રોજ સોશિયલ એક્ટિવિસ્ટ દ્વારા એવી ફરિયાદ મળી હતી કે નડિયાદમાં આવેલ કીડની હોસ્પિટસ પાસેની સમ્રાટ ચાઈનીઝની ટાંકીમાં લીલ ખૂબ છે અને આ લીલવાળા પાણીનો ઉપયોગ ખોરાક રાંધવા તથા ધોવા માટે થાય છે. આફરિયાદના આધારે ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા તા. ૧૭-૪-૨૦૨૫ના રોજ તપાસ હાથ ધરવામાં આવી હતી.આ તપાસમાં સમ્રાટ ચાઈનીઝના સંચાલકો એફ.એસ.એસ.એ.આઈ હેઠળના રજીસ્ટ્રેશન વિના ધંધો કરતા માલૂમ પડેલે તેમજ ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ હેઠળ સદર એકમની શિડ્યુલ-૪ મુજબ તપાસ કરવામાં આવી હતી. જે અન્વર્ય તપાસમાં મળી આવેલ ક્ષતિઓ બાબતે તે અંગેની અને રજીસ્ટ્રેશન મેળવી લેવા અંગેની નોટિસ ાઠવવામાં આવી છે. જે સંદર્ભ સદર એકમના માલિક દ્વારા શિડ્યુલ-૪ની નોટીસનો તા. ૨૧-૪-૨૦૫ના રોજ જવાબમાં ખોરાક બનાવવામાં વપરાશમાં લેવાતા પાણીનો રીપોર્ટ તેમજ તેઓનું મેડિકલ ફીટનેશ અને એફ.એસ.એસ.એ.આઈ હેઠળનું રજીસ્ટ્રેશન રજૂ કરતા તેમનો ધંધો રાબેતા મુજબ શરૂ કરવામાં આવ્યો હતો.