Sardar Gurjari

સોમવાર, તા. ૧૯ મે, ૨૦૨૫, વૈશાખ વદ ૬, વિ.સં. ૨૦૮૧, વર્ષ -૨૪, અંક -૩૨૯

મુખ્ય સમાચાર :
પેટલાદ: દબાણ હટાવ્યા બાદ આરસીસી રોડ બનાવવા વિષ્ણુપુરાના સ્થાનિકોની માંગ
દબાણનો પ્રશ્ન અલગ હોવાનું કહીને પાલિકા પ્રમુખે સ્થાનિકોની રસ્તાના માપ મુજબ આરસીસી બનાવવાની માંગ અવગણી
24/04/2025 00:04 AM Send-Mail
ટેન્ડર પ્રક્રિયા મુજબ કામ થઈ રહ્યું છે : પ્રમુખ
પેટલાદ નગરપાલિકા પ્રમુખ જીગ્નેશભાઈ જોશીએ આ અંગે જણાવ્યું હતું કે, વિષ્ણુપુરામાં ટેન્ડર પ્રક્રિયા મુજબ રસ્તાનું કામ હાથ ધરવામાં આવ્યું છે વિષ્ણુપુરાના રહીશોને રસ્તાની સુવિધા ઉપલબ્ધ થાય તે માટે રસ્તાનું કામ મંજૂર કરવામાં આવ્યું હતું દબાણનો પ્રશ્ન અલગ છે.

પેટલાદ નગરપાલિકા વિસ્તારમાં સમાવેશ વિષ્ણુપુરા વિસ્તારમાં નગરપાલિકા દ્વારા કરવામાં આવી રહેલા આર.સી.સી. રસ્તાનો આજે સ્થાનિક રહીશોએ વિરોધ કરી હોબાળો મચાવ્યો હતો અને પ્રથમ દબાણ દૂર કરો પછી આર.સી.સી. રસ્તો બનાવોની સ્થાનિકોએ માંગ કરી હતી

જેને લઈને કોન્ટ્રાકટરોને આર.સી.સી. રસ્તાનું કામ બંધ રાખવાની ફરજ પડી હતી. પેટલાદ શહેરના ખોડિયાર ભાગોળ વિસ્તારના વિષ્ણુપુરામાં આજે આર.સી.સી. રસ્તાનું કામ કરવા ગયેલ કોન્ટ્રાકટર સાથે સ્થાનિકોએ રકઝક કરી પ્રથમ આ વિસ્તારમાં દબાણો દૂર કરો પછી જ આર.સી.સી. રસ્તો બનાવોની માંગણી સાથે સ્થાનિકોએ હોબાળો મચાવ્યો હતો જેના કારણે કોન્ટ્રાકટરને રસ્તાનું કામ બંધ રાખવાની ફરજ પડી હતી. આ અંગે મળતી વિગતો મુજબ વિષ્ણુપુરા વિસ્તારમાં ૧૦૦ મીટરનો આર.સી.સી. રસ્તો નગરપાલિકા દ્વારા મંજૂર કરવામાં આવ્યો છે.

આ આર.સી.સી. રસ્તાના કામનો કોન્ટ્રાકટર નગરપાલિકાએ સ્થાનિક કોન્ટ્રાકટરને આપ્યો છે આજે કોન્ટ્રાકટર વિષ્ણુપુરા વિસ્તારમાં આર.સી.સી. રસ્તાનું કામ કરવા ગયા ત્યારે સ્થાનિક રહીશોએ કામનો વિરોધ કરી હોબાળો મચાવ્યો હતો. સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે નગરપાલિકા દ્વારા રસ્તાનું કામ આડેધડ કરવામાં આવે છે રસ્તા ઉપર થયેલ દબાણો દૂર કર્યા વગર જ આર.સી.સી. રસ્તો બનાવવામાં આવી રહ્યો છે. હાલમાં રસ્તા ઉપરથી મોટા વાહનો પસાર થઈ શકતા નથીનો આક્ષેપ કરી રસ્તાના માપ પ્રમાણે આર.સી.સી. રસ્તો બનાવવાની માંગણી કરી હતી.

આણંદ જિલ્લામાં કલીનીકલ એસ્ટાબ્લીશમેન્ટ એકટના ૭ માસ બાદ પણ માત્ર ૧૦૭૮ થયેલ અરજી, ૧૦ર૪ મંજૂર

અંતે ઉમરેઠથી ઓડ તરફેના ત્રિમાર્ગીય રસ્તાનું કરાયું ડામરકામ

ખંભાત : ૧.૯૦ લાખના ચેક રીર્ટન કેસમાં મહિલાને ૧ વર્ષની કેદની સજા

આણંદ : બ્રેનડેડના અંગદાન થકી જીવન જીવવા લાચાર બનેલ દર્દીઓને મળતું ‘નવજીવન’

આણંદ મનપામાં સમાવેશ થયાને ૪ માસ ઉપરાંતનો સમય છતાંયે ૪ ગામોના રહિશોને વેરો કયાં ભરવોની ‘વિમાસણ’ !

નડિયાદમાં રોગચાળાનો કહેર : ઝાડા-ઉલ્ટીના વધુ પ૦ કેસ નોંધાયા

આણંદ જિલ્લામાં ચોથા વર્ષ ડેન્ગ્યુ પોઝિટિવ કેસોમાં નોંધાયો ઘટાડો

પેટલાદ : ગર્ભ પરીક્ષણ મામલે ઇશિતા હોસ્પિટલનું સોનોગ્રાફી મશીન સીલ