માતર : માછિયેલમાં ૬૫ વર્ષિય વૃદ્ઘા સાથે દુષ્કર્મ ગુજારનાર ૩૮ વર્ષીય યુવકને ૧૦ વર્ષની સજા
નડિયાદ સેશન્સ કોર્ટના જજ એસ.પી. રાહતકરે સરકારી વકીલ સાગર આર.બ્રહ્મભટ્ટની દલીલો અને રજૂ કરેલા પુરાવાઓને ધ્યાનમાં રાખીને સજાનો કરેલો હૂકમ
ભોગ બનનારને વળતર ચૂકવવા હૂકમ
ભોગ બનનાર વૃદ્ધાને આરોપીએ ભરેલ દંડમાંથી રૃપિયા ૫૦,૦૦૦ તેમજ સીઆરપીસી કલમ ૩૫૭(એ) હેઠળ ભોગ બનનારને ૪ લાખ વળતર પેટે ચુકવી આપવાનો પણ હુકમ કર્યો હતો.
કયા ગુનામાં કેટલી સજા કરાઈ
-ઇ.પી.કો કલમ ૩૭૬ મુજબના ગુનામાં ૧૦ વર્ષની કેદની સજા તથા રૃ. ૪૦,૦૦૦નો દંડ, જો દંડની રકમ ન ભરે તો વધુ ૪ માસની સજા
-૪પ૨ મુજબના ગુનામાં એક વર્ષની સજા તથા રૃ. ૧૦,૦૦૦નો દંડ, જો દંડની રકમ ન ભરે તો વધુ ૧ માસની સજા
-૫૦૬(૨) મુજબના ગુનામાં એક વર્ષની સજા તથા રૃ. ૧૦,૦૦૦નો દંડ, જો દંડની રકમ ન ભરે તો વધુ ૧ માસની સજા
માતર તાલુકાના માછિયેલ ગામમાં ૬૫ વર્ષીય વૃદ્ધા સાથે દુષ્કર્મ ગુજારનાર ૩૮ વર્ષીય ઈસમને દોષિત ઠેરવી નડિયાદ કોર્ટ ૧૦ વર્ષની સખત કેદની સજા સંભળાવી હતી.
આ બનાવ અંગે મળતી માહિતી મુજબ માતર તાલુકાના માછિયેલ માં આવેલ પટેલ ખડકીમાં રહેતા હિરેનભાઈ ભાસ્કરભાઈ પટેલ, (ઉં. વ. ૩૮)એ સન ૨૦૨૨માં પોતાના વિસ્તારમાં રહેતી એક ૬૫ વર્ષીય વૃદ્ધા ઘરમાં એકલી હોય તે ઘરમાં ઘૂસી ગયો હતો. ત્યારબાદ ે પાછળથી મોંમા રૃમાલનો ડૂચો મારી ઘરના બીજા માળે લઇ જઇ ભોગ બનનાર વૃદ્ધાની મરજી વિરુદ્ધ બળજબરીપૂર્વક શારિરિક સંબંધ બાંધી આ બનાવ બાબતે કોઇ વ્યક્તિને જાણ કરશે તો તારા પતિને જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપી હતી.
આ અંગે માતર પોલીસે ઇપીકો કલમ- ૩૭૬, ૪૫૨, ૫૦૬(૨) હેઠળ ફરિયાદ નોંધી આરોપીની અટક કરી તપાસ કર્યા બાદ પુરતા પુરાવા મળી આવતાં ચાર્જસીટ કોર્ટમાં રજુ કરી હતી. આ કેસ નડીયાદ સેશન્સ કોર્ટ જજ એસ. પી. રાહતકરની કોર્ટમાં ચાલતા સરકારી વકીલ સાગર આર. ભટ્ટની દલીલો તેમજ રજુ કરેલા પુરાવાઓને ધ્યાને રાખીને આરોપીને દસ વર્ષની સખત કેદની સજાનો હુકમ કર્યો હતો.