Sardar Gurjari

ગુરુવાર, તા. ૨૪ એપ્રિલ, ૨૦૨૫, ચૈત્ર વદ ૧૧, વિ.સં. ૨૦૮૧, વર્ષ -૨૪, અંક -૩૦૪

મુખ્ય સમાચાર :

આણંદ : ર.૪૯ કરોડના ખર્ચ બગીચો ખુલ્લો મૂકાયાના ૩ માસ બાદ વીજ જોડાણ માટે અરજી કર્યાની મનપાની કબૂલાત

24/04/2025 00:04 AM

નગરજનોના આનંદ-પ્રમોદ માટે બગીચા બનાવવા માટે રાજય સરકાર દ્વારા કરોડો રુપિયા ફાળવવામાં આવે છે. પરંતુ સ્થાનિક તંત્રની ગાફેલગીરીના કારણે નાણાંનો સદ્દપયોગ કે નગરજનોને આનંદના બદલે પરેશાનીની સ્થિતિ સર્જાતી હોવાનું જોવા મળતું હોય છે. આ પ્રકારનો કિસ્સો આણંદમાં ટીપી ૯માં ર.૪૯ કરોડના ખર્ચ ગત ર૩ ડિસે.ર૦ર,ના રોજ લોકાર્પણ કરાયેલ બગીચા મામલે જોવા મળ્યો છે. લોકાર્પણ કરાયેલ બગીચામાં રમતગમતના...

BSNLની બેદરકારી : ૧૦ વર્ષ અગાઉ ટેલિફોન જમા કરાવનાર અનેકો ગ્રાહકોને ડિપોઝીટ પરત મેળવવા દડમજલ

24/04/2025 00:04 AM

એક સમયે સંદેશા વ્યવહાર માટે મોભાદાર ગણાતી ટેલિફોન સેવા છેલ્લા કેટલાક વર્ષોથી જાણે કે ગ્રાહકોની નજરમાંથી ઉતરી ગઇ છે. બીજી તરફ મોબાઇલયુગમાં નવા નવા ફીચર્સ હાથ વગા હોવાથી રણકતાં ટેલિફોન હવે જૂનવાણી ગણાય છે. આણંદ શહેરમાંથી અનેકો ગ્રાહકોએ ૧૦ વર્ષ અગાઉ તેમના ટેલિફોન બીએસએનએલની કચેરીમાં જમા કરાવ્યા હતા. પરંતુ વડી કચેરી, ઝોન કચેરી, જિલ્લા કચેરી વચ્ચે સંચારના સંકલનના અભાવે અનેકો ગ્રાહકો...

રાસના તળાવમાં અસંખ્ય માછલીઓના મોતથી રોગચાળો ફેલાવાની દહેશત

24/04/2025 00:04 AM

રાસ ગામના તળાવમાં આજે અસંખ્ય માછલીઓ મૃત હાલતમાં પાણીમાં તરતી ગામલોકોને જોવા મળતા જીવદયા પ્રેમીઓ સાથે ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ તળાવનું પાણી રાસ ગામની બાજુના કઠોલ ગામમાં પીવા માટે અપાતું હોઈ રોગચાળો ફેલાવાની દહેશત પણ વ્યાપી છે....

પેટલાદ: દબાણ હટાવ્યા બાદ આરસીસી રોડ બનાવવા વિષ્ણુપુરાના સ્થાનિકોની માંગ

24/04/2025 00:04 AM

પેટલાદ નગરપાલિકા વિસ્તારમાં સમાવેશ વિષ્ણુપુરા વિસ્તારમાં નગરપાલિકા દ્વારા કરવામાં આવી રહેલા આર.સી.સી. રસ્તાનો આજે સ્થાનિક રહીશોએ વિરોધ કરી હોબાળો મચાવ્યો હતો અને પ્રથમ દબાણ દૂર કરો પછી આર.સી.સી. રસ્તો બનાવોની સ્થાનિકોએ માંગ કરી હતી...

આવતીકાલે વિશ્વ મેલેરિયા દિવસ : આણંદ જિલ્લામાં ગત વર્ષની સરખામણીએ કેસોમાં પ૦ ટકાનો વધારો

24/04/2025 00:04 AM

વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા વર્ષ ર૦૦૮થી સમગ્ર વિશ્વમાં રપ એપ્રિલે વિશ્વ મેલેરિયા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. તેનો હેતુ મેલેરિયા વિશે લોકોને સમજણ અને શિક્ષણ આપવા તેમજ વૈશ્વિક સ્તરે મેલેરિયા નિવારણ, નાબૂદી અને લોકોમાં જનજાગૃતિ કેળવવા અંગેનો છે....

બુદ્ઘિનું દેવાળું : આણંદ જિલ્લાના ૪૯૮૭ વિદ્યાર્થીઓને ચિત્રની પરીક્ષા આપવા ભરતડકે ૧પ કિ.મી. દૂર જવું પડશે

23/04/2025 00:04 AM

કાળઝાળ ગરમીના કારણે બપોરની પ્રાથમિક શાળાઓનો સમય સવારનો કરવાનો રાજય સરકાર દ્વારા તાજેતરમાં નિર્ણય લેવાયો હતો. પરંતુ સરકારના જ રાજય પરીક્ષા બોર્ડે તા. ર૪ અને રપ એપ્રિલે યોજાનાર ચિત્રકલાની એલિમેન્ટરી અને ઇન્ટરમીડિયેટ પરીક્ષાના સેન્ટર ફાળવણીમાં બાળકોના સ્વાસ્થ્યની દરકાર સામે જાણે કે બુદ્વિનું દેવાળું ફૂંકયું છે....

આણંદ જિલ્લામાં સ્વરક્ષણાર્થે કુલ ૯૧૪ જેટલા હથિયાર પરવાના હાલમાં સક્રિય

23/04/2025 00:04 AM

એક તરફ સમગ્ર રાજ્યમાં બોગસ દસ્તાવેજોના આધારે હથિયાર પરવાના મેળવીને તેના આધારે હથિયારોની હેરાફેરી સહિતની ગેરરીતીઓ ઉજાગર થવા પામી છે ત્યારે આણંદ જિલ્લામાં હાલમાં કુલ ૯૧૪ જેટલા હથિયાર પરવાના સક્રિય હોવાનું જાણવા મળ્યું છે. છેલ્લા કેટલાક સમયથી નવા હથિયાર પરવાના મેળવવા માટેની કોઈ જ અરજીઓ પણ નહીં આવી હોય હાલમાં સક્રિય પરવાના રીન્યુ કરવાની જ કામગીરી ચાલી રહી હોવાની સત્તાવાર સુત્રો દ્...

આણંદ : નવા બસ સ્ટેન્ડથી સરદાર બાગ પોલીસ ચોકી સુધી બે માસથી રોડની સાઇડે મેટલ પાથર્યા બાદ અધૂરી કામગીરી

23/04/2025 00:04 AM

આણંદ મનપા બન્યા બાદ દબાણો હટાવીને માર્ગો પહોળા બનાવવાનું અભિયાન હાથ ધરાયું હતું. જેમાં નવા બસ સ્ટેન્ડથી સરદાર બાગ પોલીસ ચોકી સુધીના દબાણો હટાવ્યા બાદ બે માસ અગાઉ મેટલ પાથરવામાં આવ્યા હતા. પરંતુ ત્યારબાદ આગળની કામગીરી જ હાથ ધરવામાં ન આવતા પાથરેલા મેટલ રાહદારીઓ, નાના-મોટા વાહનચાલકો માટે પરેશાનીરૂપ બન્યા છે....

આણંદ : પ્રદેશ કોંગ્રેસના નિરીક્ષકો દ્વારા કાર્યકરો-નેતાઓ સાથે સંવાદ કરી જિલ્લા પ્રમુખની પસંદગીનો સર્વ કરશે

23/04/2025 00:04 AM

આણંદ જિલ્લામાં આજથી કોંગ્રેસના ત્રિદિવસીય સંગઠન સૃજન અભિયાનનો પ્રારંભ થયો છે. રાહુલ ગાંધીએ અભિયાનની શરુઆત ૧પ એપ્રિલે કરી હતી. જેને સમગ્ર રાજયના જિલ્લાઓમાં અમલી બનાવવામાં આવ્યું છે....

ખંભાતની શાળામાં લેવાયેલ ધો.૬ની ગણિતની પરીક્ષાનું પ્રશ્નપત્ર ૩ દિવસ બાદ અન્ય ૬ શાળાઓમાં બેઠેબેઠું પૂછાયું !

22/04/2025 00:04 AM

ખંભાતમાં આવેલી ખાનગી-ગ્રાન્ટેડ શાળાઓના નિયમોનુસાર બનાવેલા સંકુલ દ્વારા વાર્ષિક પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરાયો હતો. જેમાં ન્યુ એરા સ્કૂલમાં ૮ એપ્રિલે લેવાયેલ ધો.૬નું ગણિતનું પ્રશ્નપત્ર અન્ય ૬ સ્કૂલોમાં ૧૧ એપ્રિલે બેઠેબેઠું પૂછવામાં આવ્યું હતું. આ મામલો વિદ્યાર્થીઓ દ્વારા વાલીઓ સુધી પહોંચ્યો હતો. જેથી વાલીઓએ જુદી જુદી શાળાઓમાં લેવાયેલ પરીક્ષાની તારીખ અંગે ચકાસણી કરતા એક શાળામાં ...

    

આણંદ : ર.૪૯ કરોડના ખર્ચ બગીચો ખુલ્લો મૂકાયાના ૩ માસ બાદ વીજ જોડાણ માટે અરજી કર્યાની મનપાની કબૂલાત

BSNLની બેદરકારી : ૧૦ વર્ષ અગાઉ ટેલિફોન જમા કરાવનાર અનેકો ગ્રાહકોને ડિપોઝીટ પરત મેળવવા દડમજલ

રાસના તળાવમાં અસંખ્ય માછલીઓના મોતથી રોગચાળો ફેલાવાની દહેશત

પેટલાદ: દબાણ હટાવ્યા બાદ આરસીસી રોડ બનાવવા વિષ્ણુપુરાના સ્થાનિકોની માંગ

આવતીકાલે વિશ્વ મેલેરિયા દિવસ : આણંદ જિલ્લામાં ગત વર્ષની સરખામણીએ કેસોમાં પ૦ ટકાનો વધારો

બુદ્ઘિનું દેવાળું : આણંદ જિલ્લાના ૪૯૮૭ વિદ્યાર્થીઓને ચિત્રની પરીક્ષા આપવા ભરતડકે ૧પ કિ.મી. દૂર જવું પડશે

આણંદ જિલ્લામાં સ્વરક્ષણાર્થે કુલ ૯૧૪ જેટલા હથિયાર પરવાના હાલમાં સક્રિય

આણંદ : નવા બસ સ્ટેન્ડથી સરદાર બાગ પોલીસ ચોકી સુધી બે માસથી રોડની સાઇડે મેટલ પાથર્યા બાદ અધૂરી કામગીરી