Sardar Gurjari

બુધવાર, તા. ૨૯ નવેમ્બર, ૨૦૨૩, કારતક વદ ૨, વિ.સં. ૨૦૮૦, વર્ષ -૨૩, અંક -૧૬૨

મુખ્ય સમાચાર :

સ.પ.યુનિ.માં સત્તા મંડળોમાં નેકની જૂની માન્યતા પ્રાપ્ત કોલેજના પ્રતિનિધિઓની નિમણૂંક શકય !

29/11/2023 00:11 AM

વલ્લભ વિદ્યાનગર સ્થિત સ.પ.યુનિ. સહિત રાજયની સરકારી યુનિવર્સિટીઓમાં કોમન એકટ લાગુ કર્યા બાદ જુદા જુદા સત્તામંડળોમાં સભ્યોની નિયુકિત માટે સરકાર દ્વારા ધારાધોરણો નકકી કરવામાં આવ્યા હતા. જેમાં નેકની માન્યતા ધરાવતી હોય તેવી કોલેજના પ્રિન્સીપાલ-પ્રોફેસરની નિમણૂંક કરવી તેવી જોગવાઇ કરવામાં આવી હતી....

આણંદ : સમાજ સુરક્ષા અધિકારીનો ભોજનાર્થ વિહાર ને' દિવ્યાંગ અરજદારો કચેરીએ રાહ જોતા બેસી રહ્યાં

29/11/2023 00:11 AM

રાજય સરકારની પ્રજાલક્ષી વિવિધ યોજનાઓના અમલીકરણની જવાબદારી સરકારી બાબુઓ પર રહેલી છે. જેથી સરકારને બાબુગીરી પર અવલંબિત રહેવું પડે છે. જો કે કેટલાક સરકારી અધિકારીઓ પ્રજાલક્ષી કામગીરીને સભાનપણે નિભાવે છે. પરંતુ અનેક અધિકારીઓ સમયસર ફરજના સ્થળે હાજર ન થવા સાથે હાજર થયા બાદ કલાકો સુધી 'સ્વૈરવિહાર' માટે નીકળી જતા હોય છે....

આણંદ : ૩ માસમાં બીજીવાર માવઠાંથી નુકસાન, નિયમની આંટીઘૂંટીમાં સહાય ન મળતા જગતનો તાત વિવશ

29/11/2023 00:11 AM

આણંદ જિલ્લામાં ૩ મહિનામાં બીજીવાર માવઠું થતા ખેતીને વ્યાપક નુકસાન થયાનો વલોપાત ખેડૂતો વ્યકત કરી રહ્યા છે.. જો કે સરકારી ચોપડે નોંધાતો વરસાદ સહાયની વ્યાખ્યામાં ન આવતો હોવાથી જગતના તાતનો સહાય મામલે કોઇ હાથ પકડવા તૈયાર ન હોવાથી ચિંતાભરી સ્થિતિ જોવા મળી રહી છે....

પ૦ વર્ષોથી ખંભાતના અન્નપૂર્ણા ભોજનાલય દ્વારા જરૂરતમંદો માટે અવિરત ચાલતી સાત્વિક ભોજન સેવા

29/11/2023 00:11 AM

ગરીબ અને જરુરતમંદોને શકય તેટલી સહાય કરવી એ આપણી સંસ્કૃતિની ઓળખ છે. તેમાંયે જરુરતમંદને માત્ર ટોકન રકમ લઇને ભરપેટ ભોજન આપવાનો ઉમદા વિચાર પ૦ વર્ષ પૂર્વ ખંભાતના શાસ્ત્રી પરિવારના મોભી, સમાજસેવક અને તત્કાલિન ધારાસભ્ય રણજિતરાય શાસ્ત્રીને આવ્યો હતો. ૧૯૭૩માં શરુ કરાયેલ અન્નપૂર્ણા સસ્તું ભોજનાલય પ૦ વર્ષોથી સતત જરુરતમંદ, આર્થિક રીતે અગવડતા ભોગવતા ગરીબોને 'કહેવા પૂરતી' રકમ લઇને દરરોજ બપોર...

ખંભોળજના પૂર્વ પીએસઆઈ દિલીપકુમાર બ્રહ્મભટ્ટ, પત્ની અને પુત્રની અમેરિકામાં હત્યા

29/11/2023 00:11 AM

આણંદ જિલ્લાના ખંભોળજ પોલીસ મથકે સને ૧૯૯૬-૯૭માં ફરજ બજાવી ચુકેલા અને આણંદ ટાઉનમાં પીઆઈ તરીકે ખ્યાતી પામેલા કિરિટ બ્રહ્મભટ્ટના ભાઈ, તેમની પત્ની અને પુત્રની ગઈકાલે અમેરિકાના ન્યુઝર્સી ખાતે દોહિત્ર દ્વારા ભર ઉંઘમાં જ ફાયરીંગ કરીને હત્યા કરી નાંખવામાં આવતાં ચકચાર મચી જવા પામી છે. ન્યુઝર્સી પોલીસે હત્યારાની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે....

આણંદ: સામરખા ઓવરબ્રિજની જોખમી ફૂટપાથ અકસ્માત સર્જશેની ભીતિ

29/11/2023 00:11 AM

આણંદથી ને.હા.નં.૮, અમદાવાદ-વડોદરા-મુંબઇ જતો એકસપ્રેસ-વે, નડિયાદ, ડાકોર, ગોધરા સહિતના સ્થળોએ જવા-આવવા માટે સામરખા ચોકડી થઇને આણંદ શહેરને જોડતો મુખ્ય બ્રિજ છેલ્લા ઘણા સમયથી વાહનચાલકો માટે પરેશાનીરૂપ બની રહ્યો છે....

ચરોતરમાં માવઠાંનું સંકટ ટળ્યું, ઉભા પાકનો સોથ વળી જતા જગતનો તાત વિવશ સ્થિતિમાં

28/11/2023 00:11 AM

આણંદ, ખેડા જિલ્લામાં ગતરોજ ખાબકેલા માવઠાં બાદ આજે સવારે પણ વાદળો ઘેરાયેલા રહ્યા હતા. પરંતુ દિવસ દરમ્યાન માવઠાંનું કમઠાણ સર્જાયું ન હોવાથી સૌએ રાહતનો શ્વાસ લીધો હતો. જો કે હવામાન વિભાગના જણાવ્યાનુસાર રાજય પરથી વરસાદી સિસ્ટમ પસાર થઇ જતા હવે માવઠાંની કોઇ સંભાવના નથી....

પેટલાદ : સુણાવ કેળવણી મંડળની કારોબારી કમિટિની ૩જી ડીસેમ્બરે ચૂંટણી યોજાશે

28/11/2023 00:11 AM

પેટલાદ તાલુકાના શિક્ષણ ક્ષેત્રે અગ્રણી મનાતી સુણાવ કેળવણી મંડળના કારોબારી કમિટિના ૨૫ સભ્યોની ચૂંટણી આગામી ૩જી ડીેસેમ્બરના રોજ યોજાશે. જે માટે આજે ફોર્મ પરત ખેંચાઈ ગયા બાદ હરિફ ઉમેદવારોની યાદી પણ બહાર પાડી દેવામાં આવી છે. જે અનુસાર પાંચ વિભાગમાં થઈને કુલ ૪૩ ઉમેદવારો વચ્ચે ચૂંટણીં જંગ જામ્યો છે....

ભગવાન સર્વ કર્તા છે, એમની મરજી વગર સૂકું પાંદડું હાલી શકે એમ નથી : પ.પૂ.મહંતસ્વામી મહારાજ

28/11/2023 00:11 AM

બીએપીએસના ગાદીસ્થાન બોચાસણમાં પ.પૂ.મહંતસ્વામી મહારાજના પાવન સાંનિધ્યમાં કાર્તિકી પૂનમ અને દેવદિવાળી ઉત્સવની ઉત્સાહ અને ભકિતભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મંદિરમાં ભગવાન સમક્ષ વિવિધ વાનગીઓનો કલાત્મક અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. વિશેષ માહાત્મય ધરાવતી કાર્તિકી પૂર્ણિમા નિમિત્તે પ્રતિ વર્ષ પ્રગટ સત્પુરુષના સાંનિધ્યમાં બોચાસણમાં સમૈયાની ઉજવણી થતી હોઇ મોટી સંખ્યામાં હરિભકતો દર્...

ભકત બોડાણાની ભકિતને વશ થઇને દ્વારિકાથી દ્વારિકાધીશને ડાકોર આવ્યાને ૮૬૮ વર્ષ પૂર્ણ, ભાવિકજનોનું ઘોડાપૂર

28/11/2023 00:11 AM

આજે કાર્તિકી પૂર્ણિમાએ ડાકોરના શ્રીરણછોડરાયજી મંદિરમાં મંગળા આરતીથી સાંજ સુધી હજારોની સંખ્યામાં ભાવિકજનો પ્રભુ દર્શન કાજે ઉમટયા હતા. ભકત વિજયસિંહજી બોડાણાની અતૂટ ભકિતને વશ થઇને દ્વારિકાથી શ્રી દ્વારિકાધીશને ડાકોરમાં આવ્યાને આજે ૮૬૮ વર્ષ પૂર્ણ થયા. આ મહાપર્વ પર શ્રી ઠાકોરજીને વિશેષ શ્રૃંગાર, ઉત્સવ તિલક કરીને મોટો મોર મુકુટ ધારણ કરાવવામાં આવ્યો હતો. ઉત્સવ આરતીમાં સૌ શ્રદ્વાભેર જો...

    

સ.પ.યુનિ.માં સત્તા મંડળોમાં નેકની જૂની માન્યતા પ્રાપ્ત કોલેજના પ્રતિનિધિઓની નિમણૂંક શકય !

આણંદ : સમાજ સુરક્ષા અધિકારીનો ભોજનાર્થ વિહાર ને' દિવ્યાંગ અરજદારો કચેરીએ રાહ જોતા બેસી રહ્યાં

આણંદ : ૩ માસમાં બીજીવાર માવઠાંથી નુકસાન, નિયમની આંટીઘૂંટીમાં સહાય ન મળતા જગતનો તાત વિવશ

પ૦ વર્ષોથી ખંભાતના અન્નપૂર્ણા ભોજનાલય દ્વારા જરૂરતમંદો માટે અવિરત ચાલતી સાત્વિક ભોજન સેવા

ખંભોળજના પૂર્વ પીએસઆઈ દિલીપકુમાર બ્રહ્મભટ્ટ, પત્ની અને પુત્રની અમેરિકામાં હત્યા

આણંદ: સામરખા ઓવરબ્રિજની જોખમી ફૂટપાથ અકસ્માત સર્જશેની ભીતિ

ચરોતરમાં માવઠાંનું સંકટ ટળ્યું, ઉભા પાકનો સોથ વળી જતા જગતનો તાત વિવશ સ્થિતિમાં

પેટલાદ : સુણાવ કેળવણી મંડળની કારોબારી કમિટિની ૩જી ડીસેમ્બરે ચૂંટણી યોજાશે