નડિયાદમાં ડભાણ રોડ ઉપર થોડા મહિના અગાઉ નવીન જિલ્લા પંચાયત ભવન બનતા પવનચકકી રોડ પરની જૂની જિ.પં. કચેરીને નવા ભવનમાં સ્થળાંતર કરવામાં આવી હતી. જયારે જૂની જિ.પં.ની જગ્યામાં તાલુકા પંચાયત કચેરીને સ્થળાંતર કરવામાં આવી છે....
નડિયાદ શ્રેયસ અન્ડરબ્રિજમાં આજે ગટરના ગંદા પાણી ઉભરાતા ગરનાળામાંથી પસાર થતાં વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. અપ અને ડાઉન એમ બન્ને ગરનાળામાં ગટરના ગંદા પાણી ફરી વળતાં વાહન વ્યવહાર એક ગરનાળામાં રાખવામાં આવતા ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી....
કપડવંજમાં પાલિકાની મિલકતોના ભાડા અને વેચાણની માહિતી સમયસર ન આપનાર પ્રાદેશિક કમિશનર કચેરીના ચીફ ઓફિસરને રૂા. ૪ હજારનો દંડ કરવામાં આવ્યો છે.મળતી વિગતોમા કપડવંજ નગરપાલિકાની મિલકત ભાડે તેમજ દસ્તાવેજથી વેચાણ કરી હોવાની અરજદારે મુખ્યમંત્રીને ફરિયાદ કરી હતી. જેમાં પાલિકાની દુકાનોના કોમ્પલેક્ષના નકશા પણ કલેક્ટર દ્વારા મંજુર કરાવ્યા ન હોવાથી ભવિષ્યમાં પાર્કિંગનો પ્રશ્ન ઉભો થાય તેવી રજૂ...
નડિયાદમાં સ્પોર્ટસ સંકુલ ખાતે સાંસદ ખેલ સ્પર્ધા અંતર્ગત જુદી જુદી સ્પર્ધાના ફાઇનલ રાઉન્ડ સુધી પહોંચેલા ખેલાડીઓનું આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અભિવાદન કર્યુ હતું અને ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા. મુખ્યમંત્રીએ સૌપ્રથમ વોલીબોલ મેચ માટેનો ટોસ ઉછાળીને તેમજ વોલીબોલ કોર્ટમાં બોલની પ્રથમ સર્વિસ કરીને રમતની શરુઆત કરાવી હતી. ઉપરાંત મહિલાઓની રસ્સાખેંચ ટીમને ફલેગ ઓફ કરાવીને ખેલની શર...
ખેડા જિલ્લાનું ધો.૧૦નું પ૭.૯પ ટકા પરિણામ જાહેર થયું છે. સવારથી વિદ્યાર્થીઓએ મોબાઇલમાં ઓનલાઇન અને વોટસએપ મેસેજ દ્વારા પરિણામ જાણ્યું હતું. જિલ્લામાં ૧૦૮ વિદ્યાર્થીઓએ એ-વન ગ્રેડ મેળવ્યો છે. ખેડા જિલ્લામાં કુલ ર૪૬પ૩ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી ૧૪ર૮૭ ઉર્ત્તીણ થયા છે. બોર્ડની વેબસાઇટ પર પરિણામ જાહેર થતાં સ્કૂલો દ્વારા પોતાના વિદ્યાર્થીઓના ઇન્ડેકસ નંબર નાંખીને માર્કશીટ ડાઉન...
નડિયાદમાં એસ.ટી.નગરની નજીક આવેલા વર્ષોજૂના પ્રગતિનગર ફલેટ પૈકીનો પુનેશ્વર ફલેટ થોડા વર્ષ અગાઉ ધરાશાયી થઇ જતા ૬થી વધુ નાગરિકોએ જીવ ગૂમાવ્યો હતો અને કેટલાક ઇજાગ્રસ્ત થયા હતા. ત્યારબાદ રાજય સરકાર દ્વારા અહીં આવાસો બનાવવાની જાહેરાતને અઢી વર્ષ પૂર્ણ થવા છતાંયે ઇંટ સુદ્વા ન મૂકાઇ હોવાના આક્ષેપ સાથે આજે પાલિકાના અપક્ષ સભ્ય ગોકુલભાઇ શાહ, શહેર કોંગ્રેસ પ્રમુખ હાર્દિક ભટ્ટ સહિત કાર્યકરોએ...
વૈષ્ણવ સંપ્રદાયના મંદિરોમાં પ્રભુને વિવિધ પ્રકારના મનોરથની પરંપરા જોવા મળે છે. યાત્રાધામ ડાકોરમાં શ્રી રણછોડજી મંદિરમાં આજે જેઠ સુદ પાંચમના દિવસે નાવ મનોરથની આનંદ અને ઉત્સાહની છોળો વચ્ચે ઉજવણી કરવામાં આવી હતી. સાંજના સમયે કીર્તનકારો દ્વારા પ્રભુ ભકિત અર્થ છેડાયેલ સુરાવલી વચ્ચે ભાવિકજનો દ્વારા રાજા રણછોડના જયજયકાર સાથે ગોપાલલાલજી મહારાજને વાજતેગાજતે નૌકાવિહાર કરાવવામાં આવ્યું હત...
નડિયાદ શહેરમાં ઈન્દિરાનગરી વિસ્તારમાં પાલિકા દ્વારા નવા પાર્કીગની કામગીરી ચાલી રહી છે. જેમાં ટેન્ડર મુજબ પેવર બ્લોકના કામ ન થતા હોવાની પાલિકાના અપક્ષ સભ્ય ગોકુલ શાહે પાલિકાના સીઓને લેખિતમાં રજૂઆત કરીને સ્થળ નિરીક્ષણ કરવા માંગ કરી છે....
વડતાલ સ્વામીનારાયણ મંદિર દ્વારા વલ્લભ વિદ્યાનગરમાં મોટા બજાર ખાતે બનાવવામાં આવેલ અત્યાધુનિક નિ:શુલ્ક છાત્રાલયનું આજે આચાર્ય રાકેશપ્રસાદદાસજી મહારાજ, સરધારધામના પૂ.નિત્યસ્વરુપદાસજી તેમજ સંપ્રદાયના વડીલ સંતો, અગ્રણીઓના હસ્તે લોકાર્પણ કરાયું હતું....
નડિયાદ શહેરમાં વરસાદી પાણીના નિકાલ માટે નકકર આયોજન ન હોવા સાથે શહેરમાંથી પસાર થતા કાંસની સાફસફાઇ પણ માત્ર કાગળિયે થતી હોવાથી ચોમાસામાં ભરપૂર વરસાદ ટાણે શહેરીજનોને પરેશાનીભરી સ્થિતિનો સામનો કરવો પડે છે....
>> << News IN Picture