ભારતમાં સૌથી વધુ સારસ પક્ષી ઉત્તરપ્રદેશમાં અને બીજા ક્રમે ગુજરાતમાં આવેલા છે. તેમાંયે રાજયના ૬૦ ટકાથી વધુ સારસ પક્ષીઓ ખેડા જિલ્લાના માતર તાલુકાના પરિએજ વિસ્તારમાં વસવાટ કરે છે. વર્ષ ર૦૧પથી આણંદ, ખેડા જિલ્લામાં યુપીએલ સારસ કન્ઝર્વશન પ્રોજેકટના અધિકારીઓ, કર્મચારીઓ અને સ્વયંસેવકો કાર્યરત છે. જેઓની જહેમતના કારણે સારસ પક્ષીના રક્ષણના કારણે ૬ વર્ષમાં સારસ પક્ષીઓની સંખ્યામાં વધારો નોં...