ભાજપે બુધવારે નવા સંસદીય બોર્ડ અને ચૂંટણી સમિતિની જાહેરાત કરી છે. ૧૧ સભ્યોવાળા સંસદીય બોર્ડમાંથી મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને હટાવી દેવામાં આવ્યા છે. નવા સંસદીય બોર્ડમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, જેપી નડ્ડા, અમિત શાહ, રાજનાથ સિંહ સિવાય સર્વાનંદ સોનોવાલ, બીએસ યેદિયુરપ્પા, કે. લ-મણ, ઇકબાલ સિંહ લાલપુરા, સુધાબેન યાદવ, સત્યનારાયણ જાટિયા...