Sardar Gurjari

રવિવાર, તા. ૨૮ મે, ૨૦૨૩, જેઠ સુદ ૮, વિ.સં. ૨૦૭૯, વર્ષ-૨૨, અંક-૩૪૦

મુખ્ય સમાચાર :

ટેલર બર્ડ : ચાંચ વડે કપડાંની જેમ પાંદડા સીવીને સુરિક્ષત માળો તૈયાર કરતું પક્ષી

22/05/2023 00:05

વિશ્વમાં જાતજાતના અને કદમાં નાના, મોટા અગણિત પક્ષીઓ વસવાટ કરે છે. જે પૈકી કેટલાક પોતાની સુંદરતા, કેટલાક અવાજ તો કેટલાક શિકાર કરવાની ખાસિયત સહિતની બાબતોએ જાણીતા છે. મોટાભાગના પક્ષીઓ પોતાના વસવાટ માટેના માળા જાતે તૈયાર કરતા હોય છે. જેમાં ટેલર બર્ડ તરીકે ઓળખાતું પક્ષી અજાયબીભરી રીતે પોતાનો માળો તૈયાર કરે છે. દરજી જેમ સોયદોરાની મશીનથી કાપડને સિલાઇ કરે છે તેવી જ રીતે આ પક્ષી પોતાની ...

કેલિફોર્નિયા : માત્ર ર૭૦ રૂપિયામાં ખરીદયા ૩ બંગલા, બનાવશે ભવ્ય આર્ટ ગેલેરી

22/05/2023 00:05

પોતાનું ઘર બનાવવા માટે મોટાભાગના વ્યકિતઓ જીવન વિતાવી દેતા હોય છે કે જીવનભરની મૂડી લગાવતા હોય છે. પરંતુ કેલિફોર્નિયામાં એક મહિલાએ માત્ર ૩.૩૦ ડોલર એટલે કે રૂપિયા ર૭૦માં ત્રણ બંગલા ખરીદયા. માનવામાં ન આવે તેવી વાત સાથે પહેલો સવાલ એ પણ થાય કે આ સોદો કેવી રીતે થયો?...

શિકાગો : ઉડ્ડયન કરતાં જ આકાશમાં જમ્બો વિમાનના થયા બે ટૂકડા, પાયલોટે દાખવી સમજદારી

22/05/2023 00:05

શિકાગો માટે ઉડ્ડયન કરી રહેલ પ્લેન આકાશમાં પહોંચતા જ જમ્બો વિમાનના વચ્ચેથી બે ટૂકડા થઇ ગયા. આ ગંભીર સ્થિતિમાં પાયલટે સમજદારી દાખવીને પ્લેનની ઇમરજન્સી લેન્ડીંગ કરાવી હતી. હવાઇ યાત્રાને અન્ય યાત્રા કરતાં સુરિક્ષત માનવામાં આવે છે. જે ઓછા સમયમાં લોકોને તેમની મંજીલ સુધી પહોંચાડે છે. હવાઇ યાત્રા અગાઉ વિમાનની અનેક પ્રકારે ચકાસણી કરવામાં આવતી હોય છે. યાત્રિકોને પણ અનેક પ્રકારના સીકયુરી...

ઓસ્ટ્રેલિયા : દુનિયાનો એકમાત્ર અનોખો જીવ, જે ફુલોમાંથી પરાગ ખાઇને રહે છે જીવિત

22/05/2023 00:05

મોટાભાગના પક્ષીઓ, નાના સસ્તનધારી નાના કીડા કે ફુલછોડની પત્તીઓ પર નિર્ભર હોય છે. પરંતુ ટ્વિટર એકાઉન્ટ પર તાજેતરમાં હની પોસમ જીવનો એક વિડીયો પોસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં હની પોસમ જીવન ફુલમાંથી પરાગ ખાઇ રહ્યાનું જોવા મળે છે....

હવા કા ગીત મધ્ધમ હૈ સમય કી ચાલ ભી કમ હૈ, નીલા આસમાં સો ગયા...!

09/04/2023 00:04

(ગતાંકથી આગળ) જ્યારે શિવકુમારને પોતાની થનાર પત્ની મનોરમા સાથે પિક્ચર જોવા જવાની મંજૂરી મળી, ત્યારે તેમને એમ હતું કે ત્રણેક કલાક એકાંતના મળશે. તેમાં એ પોતાના સંગીતને કરિયર બનાવવાના પ્લાનની ચર્ચા કરશે. કેમ કે તેમને એટલી ખબર હતી કે જમ્મુની વિમેન્સ કોલેજમાં ભણેલી કન્યા સિતાર સારી રીતે વગાડી શકતી હતી. પણ 'મહાભારત' જોવા ટોકિઝે જવા નીકળ્યા, ત્યારે મુરતિયા સાથે તેમના ત્રણ-ચાર પરિવારજન...

ઇશ્વરનો મિસ્ડ કોલ

09/04/2023 00:04

કાં તો ભાગી જવું ને કાં તો જાગી જવું - આવી દ્વિધામાં જાતને ત્યાગી જવું એ જ ન સમજાય એવી સ્થિતિ-પરિસ્થિતિમાં ઘડીયાળના લોલકની જેમ લટકતા રહીને ગતિમાં રહેવું એ ઘણું અઘરૂં બની જતું હોય છે. ઊંઘી જવું એ આમ તો મૃત્યુનું જ રીહર્સલ હોય છે. કયારેક ને કયારેક તો આવું ગ્રાન્ડ -રીહર્સલ કરીને ખરેખરનો મૃત્યુનો શો ભજવી જવાનો હોય છે. બસ, આવો મૃત્યુનો શો હાઉસફૂલ જાય તો એક-એક શ્વાસનું કરેલું ઇન્વેસ્...

ચૈત્રની ચમક-દમક

09/04/2023 00:04

ફાગણની વાસંતી લહેરો હજુ માંડ શમી હતી અને ત્યાં પવનની બદલાતી ચાલ ઉપરથી કહેવું પડે કે લ્યો ચઇતર બેઠો ! ચૈત્રનું સમગ્ર આકાશ આસમાની નજરે પડે વાદળ વગરનું, એકાંત માણતું આભ સૂનકારાતી અભિવ્યકિત કરે છે એમ પણ કહી શકાય કે આકાશ મૌન પાળે છે. ચૈત્રના દિવસો એ દૈવી દિવસો છે માતાજીના દહાડા છે. આ ઋતુમાં 'નીમાહાર'નો મોટો મહિમા છે, બ્રહ્માની પૂજા થાય છે. ખેતરને શેઢે કે બાગમાં, ગામને પાદરે કે ફૂટ...

દેખા એક ખ્વાબ તો યે સિલસિલે હુએ, દૂર તક નિગાહોં મેં હૈ ફુલ ખીલે હુએ...

02/04/2023 00:04

ફિલ્મ સંગીતની મધુર સ્મૃતિઓનો તે દિવસે વળી એક તાર તૂટયો હતો... ૧૦મી મેના ૨૦૨૨ના રોજ સંતુરવાદક પંડિત શિવકુમાર શર્માના સુર શાંત થઈ ગયા હતા. ૧૯૮૨માં જ્યારે 'સિલસિલા'ની સ્ટારકાસ્ટ જાહેર થઈ, ત્યારે પ્રથમ તબક્કે અમિતાભ બચ્ચન સાથે સ્મિતા પાટીલ અને પરવીન બાબીનાં નામ બહાર પડયાં હતાં. શૂટીંગ પણ કાશ્મીરમાં શરૃ થયું હતું. પણ તે પછી જયા બચ્ચન અને રેખાએ કામ કરવાનું ફાઇનલ કર્યું તે વખતે શિવ-હ...

અનન્ય ભક્તિનું વાસ્તવિક સ્વરૂપ

02/04/2023 00:04

અનન્ય ભક્તિનું સ્વરૃ૫ બતાવતાં નિરંકારી સદગુરૃ બાબાજીએ અવતારવાણીમાં કહ્યું છે કે પ્રભુનો અનન્ય ભક્ત એ છે કે જે સર્વવ્યાપી નિરાકાર પરમાત્માનાં ઘટ ઘટમાં દર્શન કરીને તમામની સાથે પ્રેમ કરે છે અને તેમને પ્રભુનું સ્વરૃ૫ સમજીને તમામનો સત્કાર કરે છે.સંસારના તમામ માનવોને આ પ્રભુ ૫રમાત્માની સાથે જોડે છે અને માનવને ભવસાગરથી પાર કરવામાં સહાયતા કરે છે.મનુષ્યની આત્માને ૫રમાત્મા સંગ જોડવા જેવો...

ઓળખાણ બાળપણની...

02/04/2023 00:04

બાળપણ અને નાનપણ સમાનાર્થી શબ્દો ભલે રહયા, પણ પ્રત્યેક નાનપણમાં બાળપણી અખંડિતતાનો હિસાબ માંડવા જેવો છે. બાળપણમાં ઇન્દ્રિયોના શેઢે વિસ્મયની અપાર વનસ્પતિ ફૂટે છે. એ વનસ્પતિનાં પર્ણો, એથીય ઘેરું રહસ્યમયી વિસ્મય છે. પ્રત્યેક બાળક વિસ્મયના મહેલમાં ઘરઘર રમે છે. પુષ્પો સાથે પ્રેમ કરે છે - વાતો કરે છે વિવાદ કરે છે- વાદ કરે છે - સંવાદ કરે છે. બાળક નિર્જીવ સાથે જે સજીવ જેવો વ્યવહાર કરે છે...