૧૫-૦૨-૨૦૨૫, શનિવાર
તિથિ:મહા વદ ૩. મોઢેશ્વરી માતાનો પ્રાગટોત્સવ (મોઢેરા), સ્થિર યોગ ૨૩.૫૪ થી ૨૫.૪૦.
નક્ષત્ર:ઉ.ફા. ૨૩.૫૪.
ચોઘડિયા દિવસના:કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ.
ચોઘડિયા રાત્રીના:લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ.
મેષ (અ.લ.ઈ.): શારીરિક સ્વાસ્થ્ય સારું રહેશે.
વૃષભ (બ.વ.ઉ): વિદેશમાં નોકરીની તક સર્જાઈ શકે.
મિથુન (ક.છ.ધ): અસંતોષની લાગણી દૂર કરી શકશો.
કર્ક (ડ.હ.): મહેનત વધતી જણાશે.
સિંહ (મ.ટ.): સામેથી કોઈ મિત્રની મદદ મળશે.
કન્યા (પ.ઠ.ણ.): મનની ચિંતા વ્યાકુળતા દૂર કરી શકો.
તુલા (ર.ત.): મહેનતનું ફળ મળતું દેખાશે.
વૃશ્ચિક (ન.ય): યોગ્ય વ્યક્તિની સલાહ હિતમાં રહેશે.
ધન (ભ.ધ.ફ.): વિકટ પરિસ્થિતિનો સામનો કરવો પડે.
મકર (ખ.જ.): કોઈ મોટો નિર્ણય લેવાનું આજે ટાળવું.
કંભ એકાગ્રતા સંબંધિત સમસ્યા રહેશે.
મીન (દ.ચ.ઝ.થ.): કોઈ નવી યોજના મગજમાં આવે.
મીરાંબાઈ કાગળ મોકલે રે
દેજો રાણાજીને હાથ
રાજપાટ છોડી તમે રાણાજી
વસો રે સાધુની સાથ
‘મીરાંબાઈ
જગત સારાં કામની પ્રશંસા કરે તેમાં કશું ખોટું નથી, પણ જો પ્રશંસા મેળવવા જ સારું કામ થાય તો તે ખોટું છે.
‘પંડિત શ્રીરામ શર્મા
વક્ત અપના સભી તર્હ ગુજર જાતા હૈ
અચ્છી કિ બુરી તર્હ ગુજર જાતા હૈ
મારો સમય બધી જ રીતે પસાર થઈ જાય છે. સારી કે ખરાબ કે ખરાબ રીતે પસાર થઈ જાય છે.
‘‘ફાની’ બદાયુની
તમે શોધો તમોને એ જ રીતે
હું ખોવાયા પછી મુજને જડ્યો છું
‘‘શાયદા’