વિશ્વભાવનાનો વિચાર ભારતીય સંસ્કૃતિની ઉદાત્ત ભાવનાઓનું જ એક અંગ છે. વસુધૈવ કુટુંબકમ્ (સમસ્ત વસુધા જ પરિવાર છે) અને સર્વે ભવન્તુ સુખિન: (બધા લોકો સુખી થાય)ની કામના અને ભાવના આપણે ત્યાં સનાતન કાળથી જ રહી છે. આપણા બધાનું જીવન, આપણો સ્વભાવ અને કાર્ય-વ્યવહાર બધામાં બધા માટે સુખ, શાંતિ, પ્રેમ અને સદ્ભાવનાન